February 5, 2025
Vartman Pravah
Breaking NewsOtherદેશસેલવાસ

સેલવાસન.પા. વિસ્‍તારમાં પાણીની લાઈનના સ્‍થળાંતરિત કાર્યના કારણે બે દિવસ પાણીનો પ્રવાહ ધીમો રહેશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29 : સેલવાસ પાલિકા દ્વારા પાણી પુરવઠાની લાઈનને સ્‍થળાંતરિત કરવા માટે આગામી તા. 01 એપ્રિલના સોમવારે સવારે 7:00 વાગ્‍યાથી મંગળવાર તા.02 એપ્રિલ સવારે 7:00 વાગ્‍યા સુધી કામગીરી કરવામાં આવનાર હોવાથી પાણીનો પુરવઠો સીમિત પ્રમાણમાં પુરો પાડવામાં આવશે, જેથી શહેરીજનોને સૂચિત કરવામાં આવે છે કે પાણીનો ઉપયોગ સંભાળીને કરે અને સોમવાર-મંગળવારના માટે પોતાના ઘરમાં પાણી જમા કરી રાખે. સેલવાસના બાવીસા ફળિયા, પાતળીયા ફળિયા, લાયન્‍સ સ્‍કૂલની આજુબાજુનો વિસ્‍તાર, ઇન્‍ડસ્‍ટ્રીયલ કોલોની, 66 કેવી રોડ આમલી, ફાયર સ્‍ટેશનની આજુબાજુના વિસ્‍તારમાં પાણીનો પુરવઠાનો પ્રવાહ ધીમો રહેશે જેની નાગરિકોએ નોંધ લેવા જણાવાયું છે.

Related posts

વાપી હાઈવે દમણગંગા બ્રિજ પાસે રોયલ ઈન્‍ડસ્‍ટ્રીયલ પાર્કમાં કાર્યરત ફાર્મા કંપનીમાં આગ

vartmanpravah

ઉમરગામ ઇન્‍ડસ્‍ટ્રીઝ એસોસિયેશનની વાર્ષિક સાધારણ સભા સંપન્ન

vartmanpravah

મોટી દમણ કોમ્‍પલેક્ષના વાર્ષિક રમતોત્‍સવમાં પરિયારી અને દમણવાડા ઉચ્‍ચ પ્રાથમિક શાળા સંયુક્‍ત રૂપે ચેમ્‍પિયન

vartmanpravah

વલસાડ જિલ્લામાં બેરોકટોક ચાલતા ગેરકાયદે કતલખાના અને મટન શોપની તપાસ કરવા કલેક્‍ટરને રજૂઆત

vartmanpravah

આજે દીવ ન.પા.ના 7 વોર્ડ માટે ચૂંટણીઃ મતદારોમાં ઉત્‍સાહનો અભાવ

vartmanpravah

સેલવાસ દમણગંગા નદીમાં વધુ એક વ્‍યક્‍તિએ લગાવી મોતની છલાંગ

vartmanpravah

Leave a Comment