June 26, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

દમણ ડાભેલના તળાવમાં ડૂબી જતા એક બાળકનું મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.14: સંઘપ્રદેશ દમણના ડાભેલ આટિયાવાડ વિસ્‍તારમાં આવેલ ચંચળ ઘાટ તળાવમાં આજે બપોરે ન્‍હાવા પડેલા 3 થી 4 બાળકો પૈકી એક બાળકનું ડૂબી જતા કરૂણ મોન નિપજ્‍યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર દમણના ડાભેલ આટિવાડ વિસ્‍તારમાંઆવેલ ચંચળ ઘાટ તળાવબમાં આજે બપોરના સમયે 4 જેટલા બાળકો ન્‍હાવા પડયા હતા. જેમાં એક રાજ સંજય કેવટ નામક 7 વર્ષીય બાળક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જેથી ગભરાયેલા બાળકોએ તાત્‍કાલિક આસપાસના સ્‍થાનિક લોકો અને તેમના માતા-પિતાને જાણ કરી હતી. જે બાદ તરવૈયાઓએ લગભગ બે કલાક સુધી સઘન શોધખોળ કરીને તળાવમાંથી બાળકને બહાર કાઢયો હતો. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો અને 108ની ટીમ તાત્‍કાલિક ઘટના સ્‍થળે પહોંચી બાળકને મરવડ હોસ્‍પિટલમાં લાવી હતી. જ્‍યાં હાજર ડોક્‍ટોરએ બાળકને મૃત જાહેર કર્યો હતો. બાળકના મોતથી પરિવારમાં ભારે શોકની લાગણી ફેલાઈ હતી.

Related posts

વાઘછીપાના વકીલ પર એટ્રોસીટીની ફરિયાદ નોંધાતા ચકચાર

vartmanpravah

ધરમપુર-કપરાડા વિસ્‍તારમાં પાણીની કપરી સ્‍થિતિ : લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે : નલ સે જલ યોજના ફલોપ

vartmanpravah

સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક (કન્‍યા) વિદ્યાલય વણાંકબારામાં સ્‍વતંત્ર ભારતના પ્રથમ ઉપરાષ્‍ટ્રપતિ તેમજ પ્રજાસત્તાક ભારતનાં દ્વિત્તીય રાષ્‍ટ્રપ્રમુખ ડો. સર્વપલ્લી રાધાકળષ્‍ણનો જન્‍મદિવસ ઉજવવામાં આવ્‍યો

vartmanpravah

મેલેરિયા વિભાગના છૂટા કરાયેલા 60 કર્મીઓને દમણ જિ.પં.માં ફરી સમાવાતા જિ.પં. સભ્‍ય સદાનંદ મિટનાએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો માનેલો આભાર

vartmanpravah

19મી નવેમ્‍બરના શનિવારે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના સત્‍કાર માટે દમણ એરપોર્ટથી દાભેલ ચેકપોસ્‍ટ સુધી યોજાનારો ભવ્‍ય રોડ શો

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યા મંદિરમાં સુરક્ષા અને માસિક સ્‍વચ્‍છતા જાગૃતતા કાર્યક્રમનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment