June 30, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

દમણ ડાભેલના તળાવમાં ડૂબી જતા એક બાળકનું મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.14: સંઘપ્રદેશ દમણના ડાભેલ આટિયાવાડ વિસ્‍તારમાં આવેલ ચંચળ ઘાટ તળાવમાં આજે બપોરે ન્‍હાવા પડેલા 3 થી 4 બાળકો પૈકી એક બાળકનું ડૂબી જતા કરૂણ મોન નિપજ્‍યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર દમણના ડાભેલ આટિવાડ વિસ્‍તારમાંઆવેલ ચંચળ ઘાટ તળાવબમાં આજે બપોરના સમયે 4 જેટલા બાળકો ન્‍હાવા પડયા હતા. જેમાં એક રાજ સંજય કેવટ નામક 7 વર્ષીય બાળક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જેથી ગભરાયેલા બાળકોએ તાત્‍કાલિક આસપાસના સ્‍થાનિક લોકો અને તેમના માતા-પિતાને જાણ કરી હતી. જે બાદ તરવૈયાઓએ લગભગ બે કલાક સુધી સઘન શોધખોળ કરીને તળાવમાંથી બાળકને બહાર કાઢયો હતો. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો અને 108ની ટીમ તાત્‍કાલિક ઘટના સ્‍થળે પહોંચી બાળકને મરવડ હોસ્‍પિટલમાં લાવી હતી. જ્‍યાં હાજર ડોક્‍ટોરએ બાળકને મૃત જાહેર કર્યો હતો. બાળકના મોતથી પરિવારમાં ભારે શોકની લાગણી ફેલાઈ હતી.

Related posts

સાંસદનિધિ અંતર્ગત રૂા.ર કરોડ 60 લાખના કામો સાથે દાનહની વિવિધ સમસ્‍યાઓ અને વિકાસલક્ષી મુદ્દાઓની સાંસદ કલાબેન ડેલકરે કલેક્‍ટરને કરેલી ધારદાર રજૂઆત

vartmanpravah

વલસાડ સાંસદ ડો.કે.સી. પટેલએ સંસદગૃહમાં કેરી પાક નુકશાન માટે ખેડૂતોને વળતરની માંગ કરી

vartmanpravah

ઉમરગામ પાલિકામાં પ્રમુખ સહિતના મહત્‍વના હોદ્દા હાંસલ કરવા લોબીંગ શરૂ

vartmanpravah

વાપી સેન્‍ટર ઓફ એક્‍સીલન્‍સમાં ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે સોલાર સિસ્‍ટમનું લોકાર્પણ

vartmanpravah

1લી જુલાઈએ શતરંજ ઓલમ્‍પિયાડની મશાલ રીલે દમણ પહોંચશેઃસંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમ ખાતે થનારૂં ભવ્‍ય સ્‍વાગત

vartmanpravah

કપરાડા તાલુકાના સુખાલા ગામે જરૂરિયાતમંદ પરિવારની પડખે સ્‍વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ

vartmanpravah

Leave a Comment