April 12, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

દમણ ડાભેલના તળાવમાં ડૂબી જતા એક બાળકનું મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.14: સંઘપ્રદેશ દમણના ડાભેલ આટિયાવાડ વિસ્‍તારમાં આવેલ ચંચળ ઘાટ તળાવમાં આજે બપોરે ન્‍હાવા પડેલા 3 થી 4 બાળકો પૈકી એક બાળકનું ડૂબી જતા કરૂણ મોન નિપજ્‍યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર દમણના ડાભેલ આટિવાડ વિસ્‍તારમાંઆવેલ ચંચળ ઘાટ તળાવબમાં આજે બપોરના સમયે 4 જેટલા બાળકો ન્‍હાવા પડયા હતા. જેમાં એક રાજ સંજય કેવટ નામક 7 વર્ષીય બાળક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જેથી ગભરાયેલા બાળકોએ તાત્‍કાલિક આસપાસના સ્‍થાનિક લોકો અને તેમના માતા-પિતાને જાણ કરી હતી. જે બાદ તરવૈયાઓએ લગભગ બે કલાક સુધી સઘન શોધખોળ કરીને તળાવમાંથી બાળકને બહાર કાઢયો હતો. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો અને 108ની ટીમ તાત્‍કાલિક ઘટના સ્‍થળે પહોંચી બાળકને મરવડ હોસ્‍પિટલમાં લાવી હતી. જ્‍યાં હાજર ડોક્‍ટોરએ બાળકને મૃત જાહેર કર્યો હતો. બાળકના મોતથી પરિવારમાં ભારે શોકની લાગણી ફેલાઈ હતી.

Related posts

વલસાડમાં પ્રેમલગ્નના ચાર મહિના બાદ છૂટાછેડા માટે પતિ-પત્‍ની વચ્‍ચેના ઝઘડામાં પતિએ પત્‍નીનું ઢીમ ઢાળી દીધું

vartmanpravah

ત્રણ ત્રણ ટર્મ સરપંચ પદે રહી ચીખલી નગરની કાયાપલટ કરવામાં મહત્‍વનું યોગદાન આપનાર વેપારી અગ્રણી સ્‍વ. પ્રતાપસિંહ રાજપૂતની ચીખલીમાં રાજપૂત સમાજ અને વિવિધ સંસ્‍થા દ્વારા યોજાયેલ પ્રાર્થના સભામાં મહાનુભાવો દ્વારા આપવામાં આવેલી શ્રદ્ધાંજલિ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિવસ તથા કાર્યકાળના સાત વર્ષ પૂર્ણ થતાં સેલવાસ ન.પા.ના પૂર્વ અધ્‍યક્ષ અને પ્રદેશ ભાજપના કદાવર નેતા રાકેશસિંહ ચૌહાણે ન.પા.માં કાર્યરત કર્મચારીઓને ધાબળા અને શ્રમપ્રસાદનું કરેલું વિતરણ

vartmanpravah

રાજ્‍ય કક્ષાની સ્‍વિમિંગ સ્‍પર્ધામાં વાપીના યુગ ટંડેલએ મેળવ્‍યો દ્વિતીય ક્રમાંક

vartmanpravah

તમામની નજર સિલવાસા પર હતી

vartmanpravah

વલસાડ નગરપાલિકા દ્વારાવિવિધ વેરામાં તોતિંગ વધારાના વિરોધમાં માજી વિરોધ પક્ષના નેતાની આગેવાનીમાં આવેદન પાઠવાયું

vartmanpravah

Leave a Comment