June 29, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

દમણ ડાભેલના તળાવમાં ડૂબી જતા એક બાળકનું મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.14: સંઘપ્રદેશ દમણના ડાભેલ આટિયાવાડ વિસ્‍તારમાં આવેલ ચંચળ ઘાટ તળાવમાં આજે બપોરે ન્‍હાવા પડેલા 3 થી 4 બાળકો પૈકી એક બાળકનું ડૂબી જતા કરૂણ મોન નિપજ્‍યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર દમણના ડાભેલ આટિવાડ વિસ્‍તારમાંઆવેલ ચંચળ ઘાટ તળાવબમાં આજે બપોરના સમયે 4 જેટલા બાળકો ન્‍હાવા પડયા હતા. જેમાં એક રાજ સંજય કેવટ નામક 7 વર્ષીય બાળક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જેથી ગભરાયેલા બાળકોએ તાત્‍કાલિક આસપાસના સ્‍થાનિક લોકો અને તેમના માતા-પિતાને જાણ કરી હતી. જે બાદ તરવૈયાઓએ લગભગ બે કલાક સુધી સઘન શોધખોળ કરીને તળાવમાંથી બાળકને બહાર કાઢયો હતો. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો અને 108ની ટીમ તાત્‍કાલિક ઘટના સ્‍થળે પહોંચી બાળકને મરવડ હોસ્‍પિટલમાં લાવી હતી. જ્‍યાં હાજર ડોક્‍ટોરએ બાળકને મૃત જાહેર કર્યો હતો. બાળકના મોતથી પરિવારમાં ભારે શોકની લાગણી ફેલાઈ હતી.

Related posts

વાપીના 24 વિદ્યાર્થીઓને હાર્દિક જોશી દ્વારા બ્‍લેક બેલ્‍ટ એનાયત કરાયા

vartmanpravah

દાનહ જિલ્લા પ્રશાસન દ્વારા ચોમાસાની તૈયારી સંદર્ભે કંટ્રોલરૂમ શરૂ કરાયો : આગામી ત્રણ દિવસ દરમિયાન આવનાર વાવાઝોડાં અને વરસાદ અંગેની પણ જાણકારી અપાશે

vartmanpravah

દમણ જિલ્લા ભાજપ અધ્‍યક્ષ અસ્‍પીભાઈ દમણિયાએ અંબામાતા મંદિરમાં 108 દીપક પ્રગટાવી પ્રધાનમંત્રીના નિરોગી અને દીર્ઘાયુ જીવનની કરેલી કામના

vartmanpravah

બુલેટ ટ્રેનની કામગીરી માટે વલસાડ-ગુંદલાવ-ખેરગામ માર્ગ તા.૯ થી ૧૧ મે સુધી બંધ રહેશે

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના 73મા જન્‍મદિવસના ઉપલક્ષમાં વાપી નગરપાલિકા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના અને પીએમજેએવાય યોજના અંતર્ગત લાભાર્થીઓને નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે આવાસની પ્રતીકાત્‍મક ચાવી અને આયુષ્‍માન કાર્ડનું કરાયેલું વિતરણ

vartmanpravah

ભિલાડથી સુરભીકુમારી ગુમ

vartmanpravah

Leave a Comment