July 28, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં સ્‍વીપ એક્‍ટિવીટી હેઠળ 9 જેટલી દિવ્‍યાંગ સંસ્‍થાઓમાં મતદાર જાગૃત્તિ કાર્યક્રમો યોજાયા

જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા દિવ્‍યાંગ મતદારો માટે કરાયેલી વિશેષ સુવિધા અને મતાધિકાર અંગે વાકેફ કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.22: લોકસભા સામાન્‍ય ચૂંટણી-2024 અંતર્ગત મતદારોમાં મતદાન જાગૃત્તિ માટે વલસાડ જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી -વ- જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકના માર્ગદર્શન હેઠળ સ્‍વીપ મેનેજમેન્‍ટના નોડલ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.બી.વસાવા અને તેમની ટીમ દ્વારા મતદાન જાગૃતિ માટે અનેકવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે ત્‍યારે જિલ્લાની દિવ્‍યાંગ સંસ્‍થાઓમાં પણ દિવ્‍યાંગ મતદારોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા માટે પીડબલ્‍યુડી નોડલ અધિકારી અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી વી.એમ.ગોહિલના સહયોગથી તા.22 માર્ચના રોજ સવારે 11 કલાકે જિલ્લામાં કુલ 9 સ્‍થળે મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં (1) વલસાડની નેશનલ એસોસિએશન ફોર ધી બ્‍લાઈન્‍ડ, નનકવાડા, વલસાડ, (2) ધી ટાટા એગ્રિકલ્‍ચર એન્‍ડ રૂરલ ટ્રેનીંગ સેન્‍ટર ફોર ધીબ્‍લાઈન્‍ડ, ફણસા, (3) મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિત મુકબધિર વિદ્યાલય દેગામ, (4) માનવ આરોગ્‍ય સેવા કેન્‍દ્ર સંચાલિત માનસિક ક્ષતિગ્રસ્‍ત બાળકોની વિશિષ્ટ શાળા, વાત્‍સલ્‍ય સ્‍કૂલ, કિલ્લા પારડી, (5) જલારામ મનોવિકાસ કેન્‍દ્ર, જયના અનુપમ એન્‍ડ પરમાર ડે કેર મંદબુધ્‍ધિ બાળકોની સંસ્‍થા, કૈલાસ રોડ, વલસાડ, (6) ઉદય ચેરીટેબલ ટ્રસ્‍ટ, વલસાડ, (7) દિલખુશ હોમ, ઉમરગામ, (8) ગીરીજન આદિજાતિ દિવ્‍યાંગ સેવા ટ્રસ્‍ટ, ધરમપુર અને (9) પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્‍દ્ર, ઉમરગામનો સમાવેશ થાય છે. આ 9 સંસ્‍થાઓમાં અધિકારીઓ દ્વારા દિવ્‍યાંગ મતદારોને પોતાના કિંમતી મતાધિકારનો ઉપયોગ કરવા માટે આહવાન કરાયુ હતું. આ સિવાય જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઉપલબ્‍ધ કરવામાં આવનાર સુવિધાઓ વિશે પણ દિવ્‍યાંગ મતદારોને વાકેફ કરાયા હતા. વધુમાં વધુ મતદારો આ લોકશાહીના પર્વમાં ઉત્‍સાહભેર ભાગ લે તે મુજબનું આયોજન જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવ્‍યું છે.

Related posts

ચીખલીના સોલધરા ગામે દીપડાએ એક બકરી અને બકરાને ફાડી ખાતા સ્‍થાનિકોમાં ભયનો માહોલ

vartmanpravah

વાપી ડુંગરામાં ભાજપ દ્વારા નરેન્‍દ્ર મોદીનો લોકપ્રિય કાર્યક્રમ મન કી બાત શ્રવણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

મોદી સરકારે દાનહ અને દમણ-દીવના રસ્‍તાના વિસ્‍તૃતીકરણ માટે રૂા. 250 કરોડની ફાળવણી કરતા સંઘપ્રદેશ ભાજપે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી, સડક,પરિવહન મંત્રી નિતિન ગડકરી અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો માનેલો આભાર

vartmanpravah

રેલવે દ્વારા ઉદવાડા ફાટક પાસે 50 વરસ જૂની ચાલી તોડી પડાઈ

vartmanpravah

દાદરાની સરલા પરર્ફોમન્‍સ ફાઇબર્સ કંપનીના કર્મચારીઓની પગાર વધારા મુદ્દે હડતાલ

vartmanpravah

વાપીમાં કરૂણામૂર્તિ મહાવીર ભગવાનની જન્‍મ જયંતિની ભવ્‍ય ઉજવણી : શોભાયાત્રામાં તમામ ફીરકા જોડાયા

vartmanpravah

Leave a Comment