July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં દર્દીઓ, જરૂરતમંદો અને દિવ્‍યાંગ બાળકોને નિઃશૂલ્‍ક ભોજન સેવાની શરૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.18: વાપીના એલ્‍યુર જય રાધે ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ દ્વારા ફ્રી ભોજન સેવાની શરૂઆત કરાઈ હતી. પ્રથમ હોસ્‍પિટલમાં દર્દીઓને અને જરૂરતમંદ લોકો સુધી ભોજન પહોંચાડવામાં આવ્‍યું હતું. પરંતુ આજ રોજ ટ્રસ્‍ટ દ્વારા એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. જેમાં ટ્રસ્‍ટની બહાર દરરોજ જે પણ જરૂરિયાતમંદ કે ભૂખ્‍યા લોકો હશે તેઓને પણ આ ટ્રસ્‍ટ દ્વારા બહાર ભોજન પૂરું પાડવામાં આવશે. આ સેવા સિવાય પણ દિવ્‍યાંગ બાળકોને શાળામાં જઈભોજન વિતરણ કરાય છે. આ વિકલાંગ બાળકોની શાળામાં ટ્રસ્‍ટ દ્વારા દરરોજ બપોરે આશરે 125 વિકલાંગ બાળકોને વિના મૂલ્‍યે ભોજન પૂરું પાડી સેવાનું કામ થઈ રહ્યું છે. આ પહેલમાં જોડાવા અને સેવાકીય કાર્યોમાં સાથ સહકાર આપવા માટે મોહન રાયસીંગાની અને અંજલિ રાયસીંગાની દ્વારા શરૂ કરાયેલી આ સેવા જ્‍યાં સુધી એલ્‍યુર જય રાધે ફાઉન્‍ડેશન કાર્યરત રહેશે ત્‍યાં સુધી જરૂરતમંદોને ભોજન અપાશે. દાન આપવા માટે શૈલેષભાઈ લાડના મો.નં. 7227055201 ઉપર સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

દાનહની સનાતન કંપની દ્વારા વર્કરો સાથે થતા ગેરવર્તણુંક અંગે લેબર વિભાગમાં લેખિત રજૂઆત કરાઈ

vartmanpravah

દમણમાં પંચાયતી રાજના ઊંડા મૂળિયાં: 1987 સુધી ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓનો રહેલો દબદબો

vartmanpravah

ઉમરગામ તાલુકામાં બે અલગ અલગ સ્‍થળે ઝાડ પડવાની બનેલી ઘટનામાં થયેલો આબાદ બચાવ

vartmanpravah

ગુમ થયેલ પુત્રનું માતા પિતા સાથે મિલન કરાવતા પારડી પોલીસ સ્‍ટેશનના પીઆઈ મયુર પટેલ

vartmanpravah

દમણ કોર્ટમાં થયેલી ‘વિશ્વ વસતિ દિવસ’ની ઉજવણી

vartmanpravah

દમણના મશાલ ચોક ખાતે ચાલી રહેલી રામલીલાને અપાયેલો વિરામ

vartmanpravah

Leave a Comment