Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં દર્દીઓ, જરૂરતમંદો અને દિવ્‍યાંગ બાળકોને નિઃશૂલ્‍ક ભોજન સેવાની શરૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.18: વાપીના એલ્‍યુર જય રાધે ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ દ્વારા ફ્રી ભોજન સેવાની શરૂઆત કરાઈ હતી. પ્રથમ હોસ્‍પિટલમાં દર્દીઓને અને જરૂરતમંદ લોકો સુધી ભોજન પહોંચાડવામાં આવ્‍યું હતું. પરંતુ આજ રોજ ટ્રસ્‍ટ દ્વારા એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. જેમાં ટ્રસ્‍ટની બહાર દરરોજ જે પણ જરૂરિયાતમંદ કે ભૂખ્‍યા લોકો હશે તેઓને પણ આ ટ્રસ્‍ટ દ્વારા બહાર ભોજન પૂરું પાડવામાં આવશે. આ સેવા સિવાય પણ દિવ્‍યાંગ બાળકોને શાળામાં જઈભોજન વિતરણ કરાય છે. આ વિકલાંગ બાળકોની શાળામાં ટ્રસ્‍ટ દ્વારા દરરોજ બપોરે આશરે 125 વિકલાંગ બાળકોને વિના મૂલ્‍યે ભોજન પૂરું પાડી સેવાનું કામ થઈ રહ્યું છે. આ પહેલમાં જોડાવા અને સેવાકીય કાર્યોમાં સાથ સહકાર આપવા માટે મોહન રાયસીંગાની અને અંજલિ રાયસીંગાની દ્વારા શરૂ કરાયેલી આ સેવા જ્‍યાં સુધી એલ્‍યુર જય રાધે ફાઉન્‍ડેશન કાર્યરત રહેશે ત્‍યાં સુધી જરૂરતમંદોને ભોજન અપાશે. દાન આપવા માટે શૈલેષભાઈ લાડના મો.નં. 7227055201 ઉપર સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

બુધવારે મોટી દમણના પટલારાના ભીખી માતાજી અને હરી હરેશ્વર મહાદેવ મંદિરનો પાંચમો પાટોત્‍સવ યોજાશે

vartmanpravah

વલસાડ વિભાગના રેવન્‍યુ કર્મચારીઓ 18 જેટલી પડતર માંગણીઓ માટે માસ સી.એલ. પર ઉતર્યા

vartmanpravah

દાનહમાં આજરોજ એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં નોંધાયો

vartmanpravah

સેલવાસ પોલીસે મટકાનો જુગારઃ રમાડનાર એક વ્‍યક્‍તિની કરેલી ધરપકડ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દમણના સોમનાથ તીર્થ ક્ષેત્રની કરેલી સાફ-સફાઈ અને વૃક્ષારોપણ

vartmanpravah

ડાંગ જિલ્લામાંઆદિવાસી પરંપરાગત રીતે ઉજવાતો ‘વાઘ બારસ’નો તહેવાર

vartmanpravah

Leave a Comment