વલસાડ, તા. ૩૦: વલસાડ જિલ્લામાં ગ્રામ પંચાયતની સમાન્ય ચૂંટણીને અનુલક્ષીને જાહેર હિતમાં કાયદો અને વ્યવસ્થા તેમજ જાહેર સલામતી જાળવાના હેતુસર જિલ્લા મેજિસ્ટ્રેટ ક્ષિપ્રા એસ. આગ્રેએ તાત્કાલિક અસરથી તા.૨૪/૧૨/ર૦૨૧ સુધી વલસાડ જિલ્લામાં નગરપાલિકા વિસ્તાર સિવાય જે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે તે વિસ્તારોમાં જાહેરમાં ધરણાં કરવા, ઘેરાવો કરવા કે ઉપવાસ ઉપર જવા ઉપર મનાઇ ફરમાવી છે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનારાઓ સામે ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.