April 24, 2026
Vartman Pravah
વાપી

વલસાડ મોગરાવાડીમાં બાકી ઉધારી નહી આપતા વેપારીઍ ગ્રાહકને બેઝબોલના ફટકા મારી મોતને ઘાટ ઉતાર્યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.૦૫
વલસાડના મોગરાવાડીમાં સુપર સ્ટોર્સ ચલાવતા વેપારી અને ઉધાર લઈ ગયેલ ગ્રાહકની ઉધારી મામલે બોલચાલનો મામલો મારામારીમાં પરિણમ્યો હતો. જેમાં વેપારીઍ બેઝબોલના ફટકા ગ્રાહકને મારી દીધેલા ગ્રાહકનું સારવારમાં મોત નિપજતા સીટી પોલીસે વેપારીની અટક કરીને જેલ ભેગો કર્યો હતો.
પ્રા વિગતો પોલીસ સુત્રો મુજબ વલસાડ મોગરાવાડી સુખી તલાવડી વિસ્તારમાં ઉમીયા ચાલની પાછળના ભાગે ક્રીષ્ણા ઉર્ફે કલ્લુ લલીતપ્રસાદ ચોરસીયા સુપર સ્ટોર્સ ચલાવે છે. નજીકમાં રહેતો અને લારી ચલાવતા શરીફ નથ્થુ શેખ દુકાનમાંથી ઉધાર માલ લેતો હતો તે પેટે વેપારી ક્રીષ્ણાઍ ગત તા.૨૮મી રોજ ઉઘરાણી કરી હતી. મામલો બોલાચાલીમાંથી હાથાપાઈ સુધી પહોîચેલો. જેમાં ક્રીષ્ણાઍ દુકાનમાં રહેલ બેઝબોલના ફટકા મારેલા તેથી ગ્રાહક શરીફ શેખ બેભાન થઈ ગયો હતો. સગાઅોઍ તેને સિવિલમાં ખસેડ્યો હતો. બાદમાં સુરત વધુ સારવાર માટે ખસેડેલ. જ્યાં તેનું મૃત્યુ થયું હતું. તેથી પોલીસે આઈ.પી.સી. ૩૦૨ દાખલ કરીને વેપારી ક્રીષ્ણા ચોરસીયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Related posts

વલસાડ જિલ્લામાં તા.13 અને 14 એપ્રિલના રોજ કમોસમી વરસાદ પડવાની આગાહી

vartmanpravah

કપરાડા તાલુકાના ઓઝરડા ગામે ઉતરાયણ પર્વ નિમિત્તે બાળકોને પતંગ, દોરી અને ધાબળાનું કરાયેલું વિતરણ

vartmanpravah

રાજ્‍યના નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્‍યક્ષસ્‍થાને વલસાડના પારડીના મોતીવાડામાં ગરીબ કલ્‍યાણ મેળો યોજાયો

vartmanpravah

ચીખલી તાલુકામાં ત્રીજા રાઉન્‍ડમાં ફરી મેઘરાજા મનમુકીને વરસતા કાવેરી નદી ગાંડીતૂર થતાં તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ

vartmanpravah

વાપી દમણગંગા કિનારે બિહાર એસોસિએશન દ્વારા આસ્‍થા સાથે ધૂમધામથી દ્વિતીય ચૈત્રી છઠ્ઠની ઉજવણી કરાઈ

vartmanpravah

વલસાડ જિલ્લાના યાત્રાધામો અને ધાર્મિક સ્‍થળોને હરિયાળા બનાવવા માટે વૃક્ષારોપણ અભિયાન હાથ ધરાશે

vartmanpravah

Leave a Comment