June 10, 2026
Vartman Pravah
વાપી

વલસાડ મોગરાવાડીમાં બાકી ઉધારી નહી આપતા વેપારીઍ ગ્રાહકને બેઝબોલના ફટકા મારી મોતને ઘાટ ઉતાર્યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.૦૫
વલસાડના મોગરાવાડીમાં સુપર સ્ટોર્સ ચલાવતા વેપારી અને ઉધાર લઈ ગયેલ ગ્રાહકની ઉધારી મામલે બોલચાલનો મામલો મારામારીમાં પરિણમ્યો હતો. જેમાં વેપારીઍ બેઝબોલના ફટકા ગ્રાહકને મારી દીધેલા ગ્રાહકનું સારવારમાં મોત નિપજતા સીટી પોલીસે વેપારીની અટક કરીને જેલ ભેગો કર્યો હતો.
પ્રા વિગતો પોલીસ સુત્રો મુજબ વલસાડ મોગરાવાડી સુખી તલાવડી વિસ્તારમાં ઉમીયા ચાલની પાછળના ભાગે ક્રીષ્ણા ઉર્ફે કલ્લુ લલીતપ્રસાદ ચોરસીયા સુપર સ્ટોર્સ ચલાવે છે. નજીકમાં રહેતો અને લારી ચલાવતા શરીફ નથ્થુ શેખ દુકાનમાંથી ઉધાર માલ લેતો હતો તે પેટે વેપારી ક્રીષ્ણાઍ ગત તા.૨૮મી રોજ ઉઘરાણી કરી હતી. મામલો બોલાચાલીમાંથી હાથાપાઈ સુધી પહોîચેલો. જેમાં ક્રીષ્ણાઍ દુકાનમાં રહેલ બેઝબોલના ફટકા મારેલા તેથી ગ્રાહક શરીફ શેખ બેભાન થઈ ગયો હતો. સગાઅોઍ તેને સિવિલમાં ખસેડ્યો હતો. બાદમાં સુરત વધુ સારવાર માટે ખસેડેલ. જ્યાં તેનું મૃત્યુ થયું હતું. તેથી પોલીસે આઈ.પી.સી. ૩૦૨ દાખલ કરીને વેપારી ક્રીષ્ણા ચોરસીયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Related posts

નીતિન જાની ઉર્ફે ‘‘ખજૂરભાઈ” અને મીનાક્ષી દવેએ પ્રભૂતામાં પગલાં પાડયા પછી નાનાપોંઢામાં આદિવાસી પરિવારના મસીહા બની પહેલું ઘર બનાવી ગૃહ પ્રવેશ કરાવ્‍યો

vartmanpravah

વલસાડ સરોધી હાઈવે ઉપર એક્‍સલ તૂટી જતા કેશ અને ગોલ્‍ડ લઈ જતી સિક્‍યોરિટી વેન પલટી મારી ગઈ

vartmanpravah

વાપીમાં છઠ્ઠ પૂજાની ભવ્‍ય ઉજવણી : હજારો ભાવિકાઓ સૂર્યનારાયણ ભગવાનનો અર્ઘ્ય અભિષેક કર્યો

vartmanpravah

બાબા જય ગુરુદેવ ધર્મ પ્રચાર જન જાગરણ યાત્રાનું વાપીમાં અનુયાયીઓએ ભવ્‍ય સ્‍વાગત કર્યું

vartmanpravah

ભીલાડ ખાતે આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત તિરંગા યાત્રાનું કરવામાં આવેલું ભવ્‍ય આયોજન

vartmanpravah

વલસાડ જિલ્લાના તત્‍કાલિન કલેકટર આર.આર.રાવલે રૂ.40 લાખનો ચેક જિલ્લાના વિકાસ માટે અર્પણ કર્યો

vartmanpravah

Leave a Comment