Vartman Pravah
વાપી

વલસાડ મોગરાવાડીમાં બાકી ઉધારી નહી આપતા વેપારીઍ ગ્રાહકને બેઝબોલના ફટકા મારી મોતને ઘાટ ઉતાર્યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.૦૫
વલસાડના મોગરાવાડીમાં સુપર સ્ટોર્સ ચલાવતા વેપારી અને ઉધાર લઈ ગયેલ ગ્રાહકની ઉધારી મામલે બોલચાલનો મામલો મારામારીમાં પરિણમ્યો હતો. જેમાં વેપારીઍ બેઝબોલના ફટકા ગ્રાહકને મારી દીધેલા ગ્રાહકનું સારવારમાં મોત નિપજતા સીટી પોલીસે વેપારીની અટક કરીને જેલ ભેગો કર્યો હતો.
પ્રા વિગતો પોલીસ સુત્રો મુજબ વલસાડ મોગરાવાડી સુખી તલાવડી વિસ્તારમાં ઉમીયા ચાલની પાછળના ભાગે ક્રીષ્ણા ઉર્ફે કલ્લુ લલીતપ્રસાદ ચોરસીયા સુપર સ્ટોર્સ ચલાવે છે. નજીકમાં રહેતો અને લારી ચલાવતા શરીફ નથ્થુ શેખ દુકાનમાંથી ઉધાર માલ લેતો હતો તે પેટે વેપારી ક્રીષ્ણાઍ ગત તા.૨૮મી રોજ ઉઘરાણી કરી હતી. મામલો બોલાચાલીમાંથી હાથાપાઈ સુધી પહોîચેલો. જેમાં ક્રીષ્ણાઍ દુકાનમાં રહેલ બેઝબોલના ફટકા મારેલા તેથી ગ્રાહક શરીફ શેખ બેભાન થઈ ગયો હતો. સગાઅોઍ તેને સિવિલમાં ખસેડ્યો હતો. બાદમાં સુરત વધુ સારવાર માટે ખસેડેલ. જ્યાં તેનું મૃત્યુ થયું હતું. તેથી પોલીસે આઈ.પી.સી. ૩૦૨ દાખલ કરીને વેપારી ક્રીષ્ણા ચોરસીયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Related posts

એસ.એસ.સી.માં ઓછા ટકા આવતા માતાએ ઠપકો આફતા ઘર છોડી નિકળેલી અમદાવાદની તરૂણી વલસાડમાં મળી

vartmanpravah

વાપી સલવાવ બ્રીજ પાસે રિક્ષા-કન્‍ટેનર વચ્‍ચે અકસ્‍માત સર્જાયો : કન્‍ટેનરે ડિવાઈડર તોડી દીધું

vartmanpravah

વાપી વિસ્‍તારમાં ગાંજો વેચવાનું વધેલુ દુષણ : ભિલાડમાં વધુ બે આરોપી ગાંજા સાથે ઝડપાયા

vartmanpravah

વાપી નાસિક જતી મહારાષ્‍ટ્ર એસ.ટી. બસનો અંભેટી પાસે અકસ્‍માત સર્જાયોઃ 35 મુસાફરોનો જીવ પડીકે બંધાયો

vartmanpravah

વાપી-દમણના સર્વોદય સેવક પદ્મશ્રી ગફુરભાઈ બિલખીયાનું વાપી સ્‍પંદન પરિવાર દ્વારા કરાયેલું સન્‍માન

vartmanpravah

વલસાડ એસટી વિભાગીય કચેરી દ્વારા પડતર પ્રશ્નોના નિકાલ માટે ઓપન હાઉસની નવી પહેલ

vartmanpravah

Leave a Comment