Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સ્‍વાગત સપ્તાહની ઉજવણીની શરૂઆતમાં ગ્રામ સ્‍વાગત કાર્યક્રમોમાં વલસાડ જિલ્લામાંથી 608 અરજી મળી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.19: મુખ્યમંત્રીશ્રીનાં જનસંપર્ક કાર્યક્રમ હેઠળ, ઓનલાઈન ફરીયાદ નિવારણ કાર્યક્રમ સ્વાગતની શરુઆત તા.૨૪ એપ્રિલ -૨૦૦૩નાં રોજ થઈ હતી. આ કાર્યક્રમને એપ્રિલ મહિનામાં ૨૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે વલસાડ જિલ્લામાં આ માસના ચોથા સપ્તાહની "સ્વાગત સપ્તાહ" તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. જિલ્લાનાં વિવિધ ગામોમાં ગ્રામ સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવેલ છે. જેમાં વિવિધ ગામોમાંથી કુલ ૬૦૮ જેટલી અરજીઓ મળી છે.
વલસાડ જિલ્લાનાં વિવિધ તાલુકાઓનાં ગામડાઓમાં ગ્રામ સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેમાં વલસાડ તાલુકામાંથી ૧૩૨ અરજી, ધરમપુર તાલુકામાંથી ૧૫૬ અરજી, પારડી તાલુકામાંથી ૯૦ અરજી, કપરાડા તાલુકામાંથી ૧૦૮ અરજી, ઉમરગામ તાલુકામાંથી ૭૩ અરજી અને વાપી તાલુકામાંથી ૪૯ અરજી અને રજૂઆત મળી છે. આમ, આ તમામ અરજીઓ ઉપર જરૂરી નિયમોનુસાર કાર્યવાહી કરી તમામ અરજીઓને ૨૪ એપ્રિલ થી ૨૬ એપ્રિલ સુધી તાલુકા સ્વાગત કાર્યક્રમમાં લઈ નિકાલ કરવામાં આવશે.
આગામી દિવસોમાં તાલુકા સ્વાગત કાર્યક્રમ તથા જિલ્લા સ્વાગત કાર્યક્રમ વલસાડ જિલ્લામાં યોજાશે. ત્યારે વધુમાં વધુ લોકોને કાર્યક્રમમાં જોડવા માટે ઈન્ચાર્જ કલેક્ટરશ્રી મનિષ ગુરવાનીએ સંબંધિત અધિકારીઓને સુચન કર્યુ છે. ૨૪ થી ૨૬ નાં રોજ દરેક તાલુકામાં તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ તથા ૨૭ એપ્રિલનાં રોજ જિલ્લા સ્વાગત અને રાજ્ય સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સપ્તાહની ઉજવણી દરમિયાન જિલ્લાનાં અલગ અલગ તાલુકામાં યોજાનારા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, પોલીસ અધિક્ષકશ્રી, પ્રાયોજના વહીવટદારશ્રી, નિયામકશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, નાયબ કલેક્ટરશ્રી વલસાડ, પારડી અને ધરમપુર તથા જિલ્લા પુરવઠા અધિકારીશ્રી સહીત વર્ગ-૧ નાં અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેશે.

Related posts

સેલવાસ ન.પા.એ શરૂ કરેલા ‘ગેરકાયદે દબાણ હટાવો’ અભિયાન સામે દુકાનદારોએ બંધ પાળી નોંધાવેલો વિરોધ

vartmanpravah

સામાજિક ન્‍યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા ‘‘નશા મુક્‍ત ભારત અભિયાન” હેઠળ એન.સી.સી. કેડેટ્‍સ સાથે ક્રિયા-પ્રતિક્રિયા કાર્યક્રમનું આયોજન કરાયું

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ, સલવાવનો 39મો વાર્ષિકોત્‍સવની ભવ્‍ય ઉજવણી માટે તડામાર તૈયારી

vartmanpravah

ખાનવેલ મરાઠી માધ્‍યમ શાળાના મેદાનમાં અંડર 19 મલખંબ ગર્લ્‍સ અને બોયઝ ટીમની યુટી સ્‍તરની પસંદગી પ્રક્રિયાનું આયોજન કરવામાંઆવશે

vartmanpravah

અમદાવાદના ગોઝારા અકસ્‍માતની ઘટનાબાદ વલસાડ જિલ્લા પોલીસ દ્વારા કોમ્‍બિંગ હાથ ધરી વાહનચાલકો સામે કાર્યવાહી કરે તે જરૂરી

vartmanpravah

વલસાડ જિલ્લામાં એકપણ નવો કોરોના પોઝિટિવ કેસો નોંધાયો નથી

vartmanpravah

Leave a Comment