Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસ ડીસ્‍ટ્રીક્‍ટ કોર્ટનો શકવર્તી ચુકાદો આમલી ખાતે રહેતા યુવાનનું ગળુ દબાવી હત્‍યા કરવાના ગુનાના આરોપીજીજ્ઞેશ ભીખા વાળંદને ફટકારેલી આજીવન કેદની સજા

રોકડા રૂા.15 હજારનો પણ ફટકારેલો દંડઃ જો રૂા.15 હજાર નહીં ભરે તો વધુ એક વર્ષની સાદી કેદની સંભળાવેલી સજા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.20: સેલવાસના આમલી ફુવારા નજીક આવેલ સોસાયટીમાં રહેતા યુવાનનુ ગળું દબાવી હત્‍યા કરવાના ગુનામાં આરોપીને આજે સેલવાસ ડીસ્‍ટ્રીકટ કોર્ટ દ્વારા આજીવન કેદ અને રૂા.15 હજારના દંડની સખ્‍ત સજા ફટકારવામાં આવી હતી.
વર્ષ 2020ના ઓક્‍ટોબર મહિનામાં કરમખલ લવાછા ગામના રહેવાસી અવધેશ બહાદુર સિંહે સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, આમલી ફુવારા નજીક પૂજા વ્‍યુ સોસાયટીમાં જીગ્નેશ ભીખાભાઈ વાળંદે એમના પુત્ર ભાનુપ્રતાપ અવધેશ બહાદુર સિંહનું ગળું દબાવી હત્‍યા કરી છે. જે સંદર્ભે સેલવાસ પોલીસે આઇપીસીની કલમ 302, 201 મુજબ ફરિયાદ નોંધી હતી. ફરિયાદ મુજબ વધુ તપાસ એસ.એચ.ઓ. શ્રી સબાસ્‍ટીયન દેવાસિયાને સોંપવામાં આવી હતી.
તપાસ દરમ્‍યાન હત્‍યાનો આરોપી જીગ્નેશ ભીખાભાઈ વાળંદની ધરપકડ કરવામાં આવી હતી. ત્‍યારબાદ આ કેસ સેલવાસના ડિસ્‍ટ્રીક્‍ટ કોર્ટમાં દાખલ કર્યા બાદ સાક્ષીઓના નિવેદનના આધારે અને પુરાવાઓના આધારે માનનીય સત્ર ન્‍યાયાધીશ શ્રી એસ.એસ.અડકરે આરોપીને આઈપીસી 302 મુજબ સખત આજીવન કેદઅને રોકડ 15 હજારનો દંડ કરવાનો શકવર્તી ચુકાદો સંભળાવ્‍યો હતો. અને જો આરોપી દંડ નહીં ભરે તો વધુ એક વર્ષની સાદી કેદની સજા પણ સંભળાવવામાં આવી હતી.
સુનાવણી દરમિયાન ફરિયાદી તરફથી એડવોકેટ શ્રી ગોરધન પુરોહિતે ધારદાર દલીલો રજૂ કરી હતી.

Related posts

ગુજરાત પ્રાકૃતિક- વ- સેન્દ્રિ ય કૃષિ વિશ્વવિદ્યાલય આણંદ દ્વારા આયોજીત ઉમરગામ ખાતે પ્રાકૃતિક કૃષિના કૃષિકાર પૂ. ભાસ્કાર સાવેની જન્મતશતાબ્દીદ નિમિત્તે રાજયના નાણાં, ઊર્જા અને પ્રેટોકેમિકલ્સન મંત્રી કનુભાઇ દેસાઇના અધ્યયક્ષસ્થાકને ખેડૂતોની વિચાર ગોષ્ઠિદ યોજાઇ

vartmanpravah

દમણ-દીવની સરકારી શાળાઓના સમયમાં કરાયેલા ફેરફારથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ફેલાયેલો આક્રોશઃ શિક્ષકોમાં પણ નારાજગી

vartmanpravah

કરજગામ રાયવાડીમાં બોરિંગોમાંથી નીકળતું કલર યુક્‍ત પાણીની સમસ્‍યા યથાવત્‌

vartmanpravah

ગુજરાતના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ ના હસ્તે પારડી તાલુકા પંચાયત તથા બાળ વિકાસ યોજના ની કચેરીનું લોકાર્પણ

vartmanpravah

ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે ત્રિ-દિવસીય નિવાસી યોગ કોચ તાલીમ શિબિર યોજાઈ

vartmanpravah

નવસારી જિલ્લામાં મુખ્‍યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્‍કોલરશીપ યોજનામાં ધો.9માં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓ શિષ્‍યવૃત્તિના લાભથી વંચિત

vartmanpravah

Leave a Comment