December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસના દુકાનદારો તથા શાકભાજી વિક્રેતાઓ પોતાનો કારોબાર બંધ રાખી પ્રધાનમંત્રીની જનસભામાંપહોંચશે

ન.પા. અધ્‍યક્ષ રાકેશસિંહ ચૌહાણે દુકાનદારો અને શાકભાજી વિક્રેતાઓ તથા સોસાયટીના રહેવાસીઓને પ્રધાનમંત્રીશ્રીની પહેલથી પ્રદેશની થયેલ કાયાપલટની આપેલી જાણકારી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.23: સેલવાસ નગરપાલિકાના અધ્‍યક્ષ શ્રી રાકેશસિંહ ચૌહાણના નેતૃત્‍વમાં આજે વોર્ડ નં.5 ના પાર્ક સીટી અને પ્રમુખ વાટિકામાં જનસભા તથા શાકભાજી માર્કેટ આમલી, ઝંડાચોક અને કિલવણી નાકા ખાતે પગપાળા ફરી વેપારીઓ અને વિક્રેતાઓને 25મી એપ્રિલના રોજ યશસ્‍વી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની જનસભામાં મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેવા આમંત્રણ પાઠવ્‍યું હતું.
સેલવાસ ન.પા. અધ્‍યક્ષ શ્રી રાકેશસિંહ ચૌહાણે સોસાયટીના રહેવાસીઓ તથા શાકભાજી વિક્રેતાઓ અને દુકાનદારોને પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની પહેલથી પ્રદેશ અને દાદરા નગર હવેલીની થઈ રહેલી કાયાપલટની સમજ આપી હતી. તમામ શાકભાજી વિક્રેતાઓ, દુકાનદારો તથા સોસાયટીના રહેવાસીઓએ પ્રધાનમંત્રીશ્રીની જનસભામાં પોતાના ફલેટ ઉપર તાળા મારી અને શાકભાજી વિક્રેતા તથા દુકાનદારો પોતાનો કારોબાર બંધ રાખી સભામાં આવવા પોતાની સ્‍વયંભૂ ઉત્‍સુકતા બતાવી હતી.
આ પ્રસંગે સેલવાસ ન.પા.ના ઉપ પ્રમુખ શ્રી અજયભાઈ દેસાઈ અને નગરપાલિકાના કાઉન્‍સિલરો જોડાયાહતા.

Related posts

પારડી સાંઢપોર પ્રાથમિક શાળાના શિક્ષકા આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે ભારતનું પાવર લિફટીંગ સ્‍પર્ધામાં પ્રતિનિધિત્‍વ કરશે

vartmanpravah

ભાજપ દમણ જિલ્લાની ટીમે સંઘપ્રદેશ કલેક્‍ટર ડૉ. તપસ્‍યા રાઘવ અને ડેપ્‍યુટી કલેક્‍ટર મોહિત મિશ્રાની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

નવસારીમાં સયાજી વૈભવ સાર્વજનિક પુસ્‍તકાલય અને નરેન્‍દ્ર હિરાલાલ પારેખ જ્ઞાનધામ દ્વારા પુસ્‍તક પ્રદર્શન યોજાયું

vartmanpravah

ઓરવાડ-પરીયા રોડ ઉપર બે વાન સામસામે ભટકાઈ : ચાર ઘાયલ

vartmanpravah

દાદરા નગર હવેલી શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લાસ્‍તરીય કલા ઉત્‍સવ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશને સીડીએસ સ્‍વ. બિપિન રાવતને અર્પેલી શ્રદ્ધાંજલિ

vartmanpravah

Leave a Comment