April 30, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસના દુકાનદારો તથા શાકભાજી વિક્રેતાઓ પોતાનો કારોબાર બંધ રાખી પ્રધાનમંત્રીની જનસભામાંપહોંચશે

ન.પા. અધ્‍યક્ષ રાકેશસિંહ ચૌહાણે દુકાનદારો અને શાકભાજી વિક્રેતાઓ તથા સોસાયટીના રહેવાસીઓને પ્રધાનમંત્રીશ્રીની પહેલથી પ્રદેશની થયેલ કાયાપલટની આપેલી જાણકારી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.23: સેલવાસ નગરપાલિકાના અધ્‍યક્ષ શ્રી રાકેશસિંહ ચૌહાણના નેતૃત્‍વમાં આજે વોર્ડ નં.5 ના પાર્ક સીટી અને પ્રમુખ વાટિકામાં જનસભા તથા શાકભાજી માર્કેટ આમલી, ઝંડાચોક અને કિલવણી નાકા ખાતે પગપાળા ફરી વેપારીઓ અને વિક્રેતાઓને 25મી એપ્રિલના રોજ યશસ્‍વી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની જનસભામાં મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેવા આમંત્રણ પાઠવ્‍યું હતું.
સેલવાસ ન.પા. અધ્‍યક્ષ શ્રી રાકેશસિંહ ચૌહાણે સોસાયટીના રહેવાસીઓ તથા શાકભાજી વિક્રેતાઓ અને દુકાનદારોને પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની પહેલથી પ્રદેશ અને દાદરા નગર હવેલીની થઈ રહેલી કાયાપલટની સમજ આપી હતી. તમામ શાકભાજી વિક્રેતાઓ, દુકાનદારો તથા સોસાયટીના રહેવાસીઓએ પ્રધાનમંત્રીશ્રીની જનસભામાં પોતાના ફલેટ ઉપર તાળા મારી અને શાકભાજી વિક્રેતા તથા દુકાનદારો પોતાનો કારોબાર બંધ રાખી સભામાં આવવા પોતાની સ્‍વયંભૂ ઉત્‍સુકતા બતાવી હતી.
આ પ્રસંગે સેલવાસ ન.પા.ના ઉપ પ્રમુખ શ્રી અજયભાઈ દેસાઈ અને નગરપાલિકાના કાઉન્‍સિલરો જોડાયાહતા.

Related posts

દેગામ સ્‍થિત સોલાર કંપનીમાંથી ચોરાયેલ સોલાર પ્‍લેટનો રૂા.1.22 કરોડનો વધુ જથ્‍થો પોલીસે અમદાવાદથી કબ્‍જે કર્યો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ત્રિ-દિવસીય દાનહ મુલાકાતના સમાપન બાદ દાનહના કાર્યાન્‍વિત પ્રોજેક્‍ટોને ગતિઅને નવી યોજનાને મળનારો ઓપ

vartmanpravah

સમરોલી ગામે રહેતી પરિણીત મહિલા ગુમ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી.

vartmanpravah

આઝાદીના અમૃત મહોત્‍સવની અનોખી ઉજવણી: દિલ્‍હીથી 34 રાજ્‍યોમાં ક્‍વીટ ઈન્‍ડિયાની થીમ હેઠળ નિકળેલ 10 મહિલા સહિત 7પ બાઈર્સનું પારડી-વલસાડમાં ભવ્‍ય સન્‍માન કરાયું

vartmanpravah

પ્રિ-સુબ્રતો મુખર્જી કપ ફૂટબોલ ટૂર્નામેન્‍ટની બોયઝ અંડર 14માં ચેમ્‍પિયન બનેલી મોટી દમણ સ્‍કૂલ

vartmanpravah

વાપીમાં ગુમ થયેલ આધેડની એક મહિના બાદ છીરીમાં કન્‍ટ્રકશન સાઈટ ઉપર ફાંસો ખાલેલ લાશ મળી

vartmanpravah

Leave a Comment