Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસના દુકાનદારો તથા શાકભાજી વિક્રેતાઓ પોતાનો કારોબાર બંધ રાખી પ્રધાનમંત્રીની જનસભામાંપહોંચશે

ન.પા. અધ્‍યક્ષ રાકેશસિંહ ચૌહાણે દુકાનદારો અને શાકભાજી વિક્રેતાઓ તથા સોસાયટીના રહેવાસીઓને પ્રધાનમંત્રીશ્રીની પહેલથી પ્રદેશની થયેલ કાયાપલટની આપેલી જાણકારી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.23: સેલવાસ નગરપાલિકાના અધ્‍યક્ષ શ્રી રાકેશસિંહ ચૌહાણના નેતૃત્‍વમાં આજે વોર્ડ નં.5 ના પાર્ક સીટી અને પ્રમુખ વાટિકામાં જનસભા તથા શાકભાજી માર્કેટ આમલી, ઝંડાચોક અને કિલવણી નાકા ખાતે પગપાળા ફરી વેપારીઓ અને વિક્રેતાઓને 25મી એપ્રિલના રોજ યશસ્‍વી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની જનસભામાં મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેવા આમંત્રણ પાઠવ્‍યું હતું.
સેલવાસ ન.પા. અધ્‍યક્ષ શ્રી રાકેશસિંહ ચૌહાણે સોસાયટીના રહેવાસીઓ તથા શાકભાજી વિક્રેતાઓ અને દુકાનદારોને પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની પહેલથી પ્રદેશ અને દાદરા નગર હવેલીની થઈ રહેલી કાયાપલટની સમજ આપી હતી. તમામ શાકભાજી વિક્રેતાઓ, દુકાનદારો તથા સોસાયટીના રહેવાસીઓએ પ્રધાનમંત્રીશ્રીની જનસભામાં પોતાના ફલેટ ઉપર તાળા મારી અને શાકભાજી વિક્રેતા તથા દુકાનદારો પોતાનો કારોબાર બંધ રાખી સભામાં આવવા પોતાની સ્‍વયંભૂ ઉત્‍સુકતા બતાવી હતી.
આ પ્રસંગે સેલવાસ ન.પા.ના ઉપ પ્રમુખ શ્રી અજયભાઈ દેસાઈ અને નગરપાલિકાના કાઉન્‍સિલરો જોડાયાહતા.

Related posts

દાનહની નમો મેડિકલ કોલેજ માટે ડીન સહિત પ્રોફેસરો માટેની ઓર ર1 પોસ્‍ટોને ભારત સરકારે આપેલી મંજૂરી

vartmanpravah

વલસાડના નવનિયુક્‍ત જિલ્લા કલેક્‍ટર એન.એન. દવેએ પદભાર સંભાળ્‍યો

vartmanpravah

દમણ જિ.પં.ના પ્રમુખ નવિન પટેલ અને તેમના લઘુબંધુ અશોક પટેલની ખંડણીના કેસમાં ધરપકડઃ પાંચ દિવસના પોલીસ રિમાન્‍ડ

vartmanpravah

વાપી ડુંગરામાં ભાજપ દ્વારા નરેન્‍દ્ર મોદીનો લોકપ્રિય કાર્યક્રમ મન કી બાત શ્રવણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ધરમપુર માલનપાડા મોડેલ સ્કુલ ખાતે “મેન્સ્ટ્રુઅલ હાઈજીન દિવસ” ની ૧૩૫ વિદ્યાર્થીનીઓ સાથે ઉજવણી

vartmanpravah

દાનહના ખરડપાડા ગામના યુવાન તરંગ એમ. જાદવ પી.એચ.ડી. થયા

vartmanpravah

Leave a Comment