October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસના દુકાનદારો તથા શાકભાજી વિક્રેતાઓ પોતાનો કારોબાર બંધ રાખી પ્રધાનમંત્રીની જનસભામાંપહોંચશે

ન.પા. અધ્‍યક્ષ રાકેશસિંહ ચૌહાણે દુકાનદારો અને શાકભાજી વિક્રેતાઓ તથા સોસાયટીના રહેવાસીઓને પ્રધાનમંત્રીશ્રીની પહેલથી પ્રદેશની થયેલ કાયાપલટની આપેલી જાણકારી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.23: સેલવાસ નગરપાલિકાના અધ્‍યક્ષ શ્રી રાકેશસિંહ ચૌહાણના નેતૃત્‍વમાં આજે વોર્ડ નં.5 ના પાર્ક સીટી અને પ્રમુખ વાટિકામાં જનસભા તથા શાકભાજી માર્કેટ આમલી, ઝંડાચોક અને કિલવણી નાકા ખાતે પગપાળા ફરી વેપારીઓ અને વિક્રેતાઓને 25મી એપ્રિલના રોજ યશસ્‍વી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની જનસભામાં મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેવા આમંત્રણ પાઠવ્‍યું હતું.
સેલવાસ ન.પા. અધ્‍યક્ષ શ્રી રાકેશસિંહ ચૌહાણે સોસાયટીના રહેવાસીઓ તથા શાકભાજી વિક્રેતાઓ અને દુકાનદારોને પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની પહેલથી પ્રદેશ અને દાદરા નગર હવેલીની થઈ રહેલી કાયાપલટની સમજ આપી હતી. તમામ શાકભાજી વિક્રેતાઓ, દુકાનદારો તથા સોસાયટીના રહેવાસીઓએ પ્રધાનમંત્રીશ્રીની જનસભામાં પોતાના ફલેટ ઉપર તાળા મારી અને શાકભાજી વિક્રેતા તથા દુકાનદારો પોતાનો કારોબાર બંધ રાખી સભામાં આવવા પોતાની સ્‍વયંભૂ ઉત્‍સુકતા બતાવી હતી.
આ પ્રસંગે સેલવાસ ન.પા.ના ઉપ પ્રમુખ શ્રી અજયભાઈ દેસાઈ અને નગરપાલિકાના કાઉન્‍સિલરો જોડાયાહતા.

Related posts

શનિ અને રવિવારની રજામાં પણ સંઘપ્રદેશનું દોડતું તંત્રઃ પ્રશાસકશ્રીએ દમણ અને સેલવાસમાં કાર્યાન્‍વિત વિવિધ પ્રોજેક્‍ટોનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

દમણ અને દીવથી પ્રથમ બેઠક જીતાડી ‘અબકી બાર 400 પાર’ના સૂત્ર અને સંકલ્‍પ સાથે ‘એકબાર ફિર મોદી સરકાર’ બનાવવામાં સહયોગ આપવા લાલુભાઈ પટેલે કરેલું આહ્‌વાન

vartmanpravah

યુવાનોમાં હાર્ટ એટેકનું વધતું જતું પ્રમાણ ચિંતાજનક છે: સરકારી આર્ટસ કોલેજ, ગાંધીનગર ખાતે સેમીનાર યોજાયો

vartmanpravah

વાપી નોટિફાઈડ બોર્ડની મિટિંગ યોજાઈઃ ટ્રાફિક નિયંત્રિત કરવા માટે પે એન્‍ડ પાર્ક કાર્યરત કરાશે

vartmanpravah

દાદરા નગર હવેલીમાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયોઃ ખેડૂતોએ રોપણી શરૂ કરી

vartmanpravah

ફડવેલ પ્રાથમિક શાળાના ઓરડાના બાંધકામમાં નબળી ગુણવત્તાની ફરિયાદ ઉઠતા જિ.પં. સભ્‍ય અને સ્‍થાનિકોએ ડીપીઈઓને કરેલી જાણ

vartmanpravah

Leave a Comment