January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

ભીલાડ સ્‍વામિનારાયણ ગુરુકુળના સભાખંડમાં એક શામશહીદો કે નામ કાર્યક્રમ રંગે ચંગે યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.17: ઉમરગામ તાલુકાના ભીલાડ સ્‍થિત કાર્યરત સ્‍વામિનારાયણ ગુરુકુળ શાળાના સભાખંડમાં 15 મી ઓગસ્‍ટના સ્‍વતંત્ર દિનની સાંજે શહીદોની યાદમાં ‘‘એક શામ શહીદોને નામ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમમાં શહીદ વીરોના બલિદાનને યાદ કરી દેશભક્‍તિની ગાથાઓ રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત કાર્યક્રમમાં એકથી એક ચડિયાતા દેશભક્‍તિના ગીતો કલાકારો દ્વારા રજુ કરવામાં આવ્‍યા હતા. આ પ્રસંગે મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહેલા અંકલાસના નિવૃત્ત બીએસએફ જવાન શ્રી ઉત્તમભાઈ વારલી, પેરા મિલેટ્રીના જવાન, અર્ધ લશ્‍કર સંગઠનના શ્રી કુશળભાઈ વાળું, ગુજરાત પ્રદેશ જનરલ સેક્રેટરી શ્રી મુકેશભાઈ પટેલ, વલસાડ જિલ્લા પ્રમુખશ્રી અશ્વિનભાઈ પંડેરનું સરીગામની સેવાભાવી સંસ્‍થા સીતારામ ફાઉન્‍ડેશનના ચેરમેન શ્રી પ્રતિકભાઈ રાયે પુષ્‍પગુચ્‍છ આપી સન્‍માનિત કર્યા હતા.
આ કાર્યક્રમમાં ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકર, વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહ, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રમેશભાઈ ધાંગડા, એસ.આઈ.એ. ના પૂર્વ પ્રમુખ શ્રી શિરીષભાઈ દેસાઈ, અગ્રણી ઉદ્યોગપતિ શ્રી સજ્જનભાઈ મોરારકા, શ્રી નિર્મલભાઈ દુધાની, સ્‍વામિનારાયણ ગુરુકુળના સ્‍વામી સંતસ્‍વરૂપદાસજી સહિત મોટી સંખ્‍યામાં રાજકીય આગેવાનો, સામાજિક સંગઠનના અગ્રણીઓ તેમજ ભીલાડ સહિત આજુબાજુના ગ્રામજનોની હાજરી જોવા મળી હતી.

Related posts

દાનહ પ્રશાસન દ્વારા ચીંચપાડા અને કુડાચા ગામે દમણગંગા નદીમાંથી રેતી ચોરી કરતા ઝડપી પાડયા

vartmanpravah

સેલવાસનાઆમલી વિસ્‍તારમાં દૂકાનોની બહાર ઉતારવામાં આવેલ ક્રેટમાંથી દૂધ ચોરી જવાની ઘટના સીસીટીવી કેદ

vartmanpravah

વાપી રેલવે ફાટકે યાંત્રિક ખામી સર્જાતા માત્ર એક સાઈડનું ફાટક ખુલતા અંધાધૂંધી સર્જાઈ

vartmanpravah

દાનહમાં ‘હિન્‍દી પખવાડા’ અંતર્ગત હિન્‍દી ભાષણ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

રખોલી પુલ પરથી યુવાને નદીમા ઝંપલાવતા મોત

vartmanpravah

કેન્‍દ્રીય આવાસ અને શહેરી વિભાગ મંત્રાલયે સ્‍ટ્રીટ્‍સ ફોર પીપલ ચેલેંજમાં સેલવાસ સ્‍માર્ટસીટીને જુરી સ્‍પેશલ મેંશન સિટીના રૂપે આપી માન્‍યતા

vartmanpravah

Leave a Comment