March 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

ભીલાડ સ્‍વામિનારાયણ ગુરુકુળના સભાખંડમાં એક શામશહીદો કે નામ કાર્યક્રમ રંગે ચંગે યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.17: ઉમરગામ તાલુકાના ભીલાડ સ્‍થિત કાર્યરત સ્‍વામિનારાયણ ગુરુકુળ શાળાના સભાખંડમાં 15 મી ઓગસ્‍ટના સ્‍વતંત્ર દિનની સાંજે શહીદોની યાદમાં ‘‘એક શામ શહીદોને નામ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમમાં શહીદ વીરોના બલિદાનને યાદ કરી દેશભક્‍તિની ગાથાઓ રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત કાર્યક્રમમાં એકથી એક ચડિયાતા દેશભક્‍તિના ગીતો કલાકારો દ્વારા રજુ કરવામાં આવ્‍યા હતા. આ પ્રસંગે મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહેલા અંકલાસના નિવૃત્ત બીએસએફ જવાન શ્રી ઉત્તમભાઈ વારલી, પેરા મિલેટ્રીના જવાન, અર્ધ લશ્‍કર સંગઠનના શ્રી કુશળભાઈ વાળું, ગુજરાત પ્રદેશ જનરલ સેક્રેટરી શ્રી મુકેશભાઈ પટેલ, વલસાડ જિલ્લા પ્રમુખશ્રી અશ્વિનભાઈ પંડેરનું સરીગામની સેવાભાવી સંસ્‍થા સીતારામ ફાઉન્‍ડેશનના ચેરમેન શ્રી પ્રતિકભાઈ રાયે પુષ્‍પગુચ્‍છ આપી સન્‍માનિત કર્યા હતા.
આ કાર્યક્રમમાં ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકર, વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહ, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રમેશભાઈ ધાંગડા, એસ.આઈ.એ. ના પૂર્વ પ્રમુખ શ્રી શિરીષભાઈ દેસાઈ, અગ્રણી ઉદ્યોગપતિ શ્રી સજ્જનભાઈ મોરારકા, શ્રી નિર્મલભાઈ દુધાની, સ્‍વામિનારાયણ ગુરુકુળના સ્‍વામી સંતસ્‍વરૂપદાસજી સહિત મોટી સંખ્‍યામાં રાજકીય આગેવાનો, સામાજિક સંગઠનના અગ્રણીઓ તેમજ ભીલાડ સહિત આજુબાજુના ગ્રામજનોની હાજરી જોવા મળી હતી.

Related posts

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ દાનહના સેલ્‍ટી સહિત દેશની પ0 એકલવ્‍ય મોડલ આવાસીય શાળાનું   કરેલું શિલાન્‍યાસ

vartmanpravah

ચીખલીના સમરોલી-કેસલી માર્ગ ઉપર નમી ગયેલા વીજપોલ અને વીજતારો જોખમી

vartmanpravah

કોરોમંડલ ઈન્‍ટરનેશનલે શંકરસુબ્રમણ્‍યનને એમડી અને સીઈઓ તરીકે નિયુક્‍ત કર્યા

vartmanpravah

આજથી શરૂ થઈ રહેલ ધોરણ 10ની પરીક્ષામાં સંઘપ્રદેશના 8207 અને ધોરણ 12ના 5705 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ શ્રેષ્‍ઠ ‘થ્રીડી’ના મિશન માટે મક્કમઃ મરવડ હોસ્‍પિટલના મહત્‍વાકાંક્ષી નિર્માણ કાર્યનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

દમણ-દીવની સેવા સંસ્‍થા ‘આશા મહિલા ફાઉન્‍ડેશન’ના પ્રમુખ તરુણાબેન પટેલની આગેવાની હેઠળ દીવના વણાંકબારા અને સાઉદવાડી ગ્રા.પં.ની સ્‍વસહાય જૂથની મહિલાઓને સિલાઈ મશીનોનું કરાયેલું વિતરણ

vartmanpravah

Leave a Comment