April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

દમણ દુનેઠાના માહ્યાવંશી પરિવારને સપ્તશ્રુંગી દર્શન કરી પરત ફરતા ગોઝારો અકસ્‍માત નડયો : ધરમપુર ગનવા ગામે કાર ઝાડ સાથે ભટકાતા દોઢ વર્ષિય માસુમ બાળકીનું સારવારમાં મોત

દોઢ વર્ષની કેશા જીંદગી સામે જંગ હારી ગઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26: ધરમપુરના ગનવા ગામે આજે સવારે ગોઝારો અકસ્‍માત સર્જાયો હતો. સમગ્ર દુનેઠાનો માહ્યાવંશી પરિવારનીમાતા-પુત્રી સપ્તશ્રુંગી દર્શન કરી દમણ પરત આી રહ્યા હતા ત્‍યારે તેમની કાર ગનવા ગામે ઝાડ સાથે ભટકાતા અકસ્‍માત સર્જાયો હતો. જેમાં માતા ઘાયલ થઈ હતી જ્‍યારે દોઢ વર્ષની પૂત્રીનું સારવારમાં કરુણ મોત થવા પામ્‍યું હતું.
અકસ્‍માતની પ્રાપ્ત વિગતો મુજબ ધરમપુર પો.સ્‍ટે.માં વિષ્‍ણુભાઈ બાબુભાઈ માહ્યાવંશીએ નોંધાવેલ ફરિયાદ અનુસાર તેમની બ્રેજા કાર નં.ડીડી 03 કે 8297 લઈને પત્‍ની સાધનાબેન વિષ્‍ણુભાઈ માહ્યાવંશી અને દોઢ વર્ષની પૂત્રી કેશા ચાલક યોગેશ આહિર સપ્તશ્રુંગી દર્શન કરવા ગયા હતા. પરત ફરતા ગનવા ગામે કાર ઝાડ સાથે ભટકાતા અકસ્‍માત સર્જાયો હતો. અકસ્‍માતમાં સાધનાબેનને પગમાં ઈજાઓ થઈ હતી જ્‍યારે માસુમ પુત્રી કેશા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. બન્નેને સાંઈનાથ હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. સારવારમાં માસુમ દોઢ વર્ષિય બાળકી કેશા જીંદગીનો જંગ હારી ગઈ હતી. પોલીસે ચાલક વિરૂધ્‍ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Related posts

વાપી સાન્‍દ્રાબેન શ્રોફ રોફેલ કોલેજ ઓફ નર્સિંગમાં બે દિવસીય બર્ન સારવારનો સેમિનાર યોજાયો

vartmanpravah

વાપી-પારડી વિસ્‍તારમાં અપરિપક્‍વ કેરી માર્કેટમાં ઠલવાતા ભાવો ગગડી ગયા

vartmanpravah

‘સેવ હ્યુમન લાઈફ’ સંસ્‍થા દ્વારા રક્‍તદાન શિબિર યોજાઈઃ 68 યુનિટ રક્‍ત એકત્ર થયું

vartmanpravah

જન કલ્‍યાણ યોજના પ્રચાર અભિયાન અને દામિની મહિલા ફાઉન્‍ડેશનના સહયોગથી ‘‘રાષ્‍ટ્રીય શહેરી આજીવિકા મિશન” અંતર્ગત નાની દમણ દામિની વુમન્‍સ ફાઉન્‍ડેશન કાર્યાલયમાં મહિલાઓને ભારત સરકારની લોક કલ્‍યાણકારી યોજનાઓની માહિતી આપવા યોજાયો કાર્યક્રમ

vartmanpravah

હિંમતનગરના આકોદરા ગામે આવેલ પરફેક્‍ટ સ્‍કૂલનો રૂા. 3,33,060 બાકી નીકળતો વેરો ભરપાઈ કરવા તલાટીએ નોટિસ પાઠવી

vartmanpravah

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહનો “નશીલા પદાર્થોના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામેના આંતરરાષ્ટ્રીય દિવસ” પર સંદેશ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ, ગૃહ મંત્રાલય દ્વારા અપનાવવામાં આવેલી માદક દ્રવ્યો સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિના આજે સફળ પરિણામો જોવા મળી રહ્યા છે

vartmanpravah

Leave a Comment