March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

દમણ દુનેઠાના માહ્યાવંશી પરિવારને સપ્તશ્રુંગી દર્શન કરી પરત ફરતા ગોઝારો અકસ્‍માત નડયો : ધરમપુર ગનવા ગામે કાર ઝાડ સાથે ભટકાતા દોઢ વર્ષિય માસુમ બાળકીનું સારવારમાં મોત

દોઢ વર્ષની કેશા જીંદગી સામે જંગ હારી ગઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26: ધરમપુરના ગનવા ગામે આજે સવારે ગોઝારો અકસ્‍માત સર્જાયો હતો. સમગ્ર દુનેઠાનો માહ્યાવંશી પરિવારનીમાતા-પુત્રી સપ્તશ્રુંગી દર્શન કરી દમણ પરત આી રહ્યા હતા ત્‍યારે તેમની કાર ગનવા ગામે ઝાડ સાથે ભટકાતા અકસ્‍માત સર્જાયો હતો. જેમાં માતા ઘાયલ થઈ હતી જ્‍યારે દોઢ વર્ષની પૂત્રીનું સારવારમાં કરુણ મોત થવા પામ્‍યું હતું.
અકસ્‍માતની પ્રાપ્ત વિગતો મુજબ ધરમપુર પો.સ્‍ટે.માં વિષ્‍ણુભાઈ બાબુભાઈ માહ્યાવંશીએ નોંધાવેલ ફરિયાદ અનુસાર તેમની બ્રેજા કાર નં.ડીડી 03 કે 8297 લઈને પત્‍ની સાધનાબેન વિષ્‍ણુભાઈ માહ્યાવંશી અને દોઢ વર્ષની પૂત્રી કેશા ચાલક યોગેશ આહિર સપ્તશ્રુંગી દર્શન કરવા ગયા હતા. પરત ફરતા ગનવા ગામે કાર ઝાડ સાથે ભટકાતા અકસ્‍માત સર્જાયો હતો. અકસ્‍માતમાં સાધનાબેનને પગમાં ઈજાઓ થઈ હતી જ્‍યારે માસુમ પુત્રી કેશા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. બન્નેને સાંઈનાથ હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. સારવારમાં માસુમ દોઢ વર્ષિય બાળકી કેશા જીંદગીનો જંગ હારી ગઈ હતી. પોલીસે ચાલક વિરૂધ્‍ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Related posts

દમણના ડો. રાજેશભાઈ વાડેકરને આંતરરાષ્‍ટ્રીય વિશ્વ હિન્‍દુ પરિષદના અધ્‍યક્ષ ડો.પ્રવિણભાઈ તોગડીયાનું અભિવાદન કરવા મળેલી તક

vartmanpravah

દમણની દુણેઠા ગ્રામ પંચાયતના વેલકમ ગેટ સ્‍થિતરાત્રિ ચૌપાલ યોજાઈ

vartmanpravah

શ્રી સ્વામિનારાયણ સેકન્‍ડરી એન્‍ડ હાયર સેકન્‍ડરી સ્કૂલ સલવાવના વિદ્યાર્થીઓની ધોરણ ૧૨ કોમર્સની બોર્ડની પરીક્ષામાં ઝળહળતી સિધ્ધિ

vartmanpravah

દમણમાં પાંચ ગુંઠા સુધીની જમીનમાં પોતાનું ઘર બનાવવા પ્‍લાન પાસ કરવામાંથી આપેલી મુક્‍તિ બદલ દમણ-દીવના પૂર્વ સાંસદ લાલુભાઈ પટેલે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી, પ્રશાસક પ્રફુલભાઈ પટેલ અને જિલ્લા કલેક્‍ટર સૌરભ મિશ્રાનો માનેલો આભાર

vartmanpravah

મોરબી ખાતે દર્દનાક દુર્ઘટનાને લઈ દીવની ગ્રામ પંચાયતોએ મૃતકોને મીણબત્તી તથા પુષ્‍પ અર્પણ કરી શ્રધ્‍ધાંજલિ આપી

vartmanpravah

પાંચ વર્ષ પહેલાં દમણની ધરતી ઉપર પધારેલા રાષ્‍ટ્રસંત જૈનાચાર્ય પ.પૂ.આચાર્યદેવ પદ્મસાગર સૂરિશ્વરજી મહારાજ સાહેબના પુનિત પગલાંથી પ્રદેશનો થયો છે સર્વાંગી વિકાસ

vartmanpravah

Leave a Comment