April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી એપીએમસીમાં ફળોના રાજા કેરીની હરાજીનો વિધિવત પ્રારંભ

પ્રથમ દિવસે પ્રતિ 20 કિલો ગ્રામ કેસરનો રૂા.2,351/-, દશેરીનો રૂા.2,350/- અને લંગડો કેરીનો રૂા.1,651/- ભાવ જાહેર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.30: ચીખલી એપીએમસીમાં ફળોના રાજા કેરીની હરાજીનો વિધિવત પ્રારંભ થતા પ્રથમ દિવસે પ્રતિ 20 કિલો ગ્રામ કેસરનો રૂા.2,351/-, દશેરીનો રૂા.2,350/- અને લંગડો કેરીનો રૂા.1,651/- ભાવ જાહેર થયો હતો.
ચીખલી ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિમાં ચેરમેન કિશોરભાઈ પટેલ, વાઈસ ચેરમેન પરિમલભાઈ દેસાઈ, ડિરેકટર અજયભાઈ દેસાઈ, ધર્મેશભાઈ ઘેજ સેક્રેટરી મકસુંદભાઈ લાકડવાલા ઉપરાંત નરેન્‍દ્રભાઈ (મામા) અમિતકુમાર, અંકિત પટેલ, ગુરદીપભાઈ સહિતના વેપારીઓ અને ખેડૂતોની ઉપસ્‍થિતિમાં કેરીની હરાજીનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્‍યો હતો. પ્રથમ દિવસે કેસર કેરીનો પ્રતિ 20 કિલો ગ્રામનો સૌથી વધુ રૂા.2,351/-, દશેરીનો રૂા.2,350/- અને લંગડો કેરીનો રૂા.1,651/- ભાવ જાહેર થયો હતો. જોકે બીજા નંબરના ગ્રેડની કેરીનો કેસરના 901, દશેરીનોરૂા.801/- અને લંગડો કેરીનો રૂા.901/- ભાવ જાહેર થયો હતો. ચાલુ સિઝને અલગ અલગ બે-ત્રણ ફાલમાં ફૂટ થવા સાથે કેરીનું પ્રમાણ પણ સારું જોવા મળી રહ્યું છે. ત્‍યારે એપીએમસીમાં કેરીની વિપુલ માત્રામાં આવક થવા સાથે પોષણક્ષમ ભાવો પણ જળવાઈ રહે તેવો આશાવાદ ખેડૂતો રાખી રહ્યા છે. ગત સીઝનમાં ચીખલી એપીએમસીમાં 15,200 કવીન્‍ટલ સાથે રૂા.7.06 કરોડ રૂપિયાની કેરીની નિકાસ રાજસ્‍થાન, દિલ્‍હી સહિતના રાજ્‍યોમાં થઈ હતી.
ચીખલી એપીએમસીમાં 40-મણ થી વધુ કેરીનો જથ્‍થો લાવનાર ખેડૂતો માટે આ વખતે અલાયદી વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. 40-મણ થી વધુ કેરી લઈને આવનાર ખેડૂતોની કેરીની હરાજી માટે એપીએમસીના પાછળના ભાગે અલગ લાઈન કરી અલગથી હરાજી કરવામાં આવશે. વધુમાં કેરીની હરાજીનો પ્રારંભ દરરોજ સાંજે પાંચ વાગ્‍યાથી શરૂ થશે અને ચીકુની હરાજી બપોરે 3 થી 5 વાગ્‍યા દરમ્‍યાન જ થશે તેમ ચેરમેન કિશોરભાઈ પટેલે જણાવી ખેડૂતોને પોતાની કેરીના નાણાં રોજબરોજના રોકડ તથા ચેકથી લઈને જવા અનુરોધ કર્યો હતો. સાથે વેપારીઓને પણ જરૂરી સૂચના આપી કોઈપણ ફરિયાદ હોય તો તેમને સીધી રજૂઆત કરવા ખેડૂતોને જણાવ્‍યું હતું.
ચીખલી એપીએમસીમાં ચેરમેન કિશોરભાઈ પટેલ અને તેમની ટીમના સુચાર વહીવટનેપગલે ચીખલી ઉપરાંત વલસાડ, ગણદેવી, વાંસદા સહિતના વિસ્‍તારમાંથી પણ કેરી-ચીકુના વેચાણ માટે મોટી સંખ્‍યામાં ખેડૂતો આવતા હોય છે. કેરીની હરાજીના પ્રારંભને પગલે દિવસ-રાત એપીએમસીમાં વેપારી અને ખેડૂતોનો પગરવો રહેશે.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના નવા સલાહકાર તરીકે વિકાસ આનંદે સંભાળેલો ચાર્જઃ અનિલ કુમાર સિંઘને રિલીવ કરાયા

vartmanpravah

વાપી એસ.ટી. ડેપોની મહિલા કન્‍ડક્‍ટરની પ્રમાણિકતા : ઘરેણાં ભરેલ થેલી મહિલાને પરત કરી

vartmanpravah

ધનતેરસના દિને પ્રદેશના લોકો સોના-ચાંદીની દુકાનમાં સોના-ચાંદીની ખરીદી માટે ભીડ

vartmanpravah

ચણોદ કરવડ રોડની કામગીરી કેટલાક દિવસ ઠપ્‍પ રહેતા વાહન ચાલકો અને સ્‍થાનિક સહિત વેપારી આલમ પારાવાર મુશ્‍કેલીમાં

vartmanpravah

માનવતાની મહેક પ્રસરાવતી પારડી હોસ્‍પિટલ

vartmanpravah

દુણેઠા પંચાયતમાં યોજાયો જીએસટી રજીસ્‍ટ્રેશન અને જાગરૂકતા કેમ્‍પ: આજે વરકુંડ ગ્રામ પંચાયતમાં યોજાશે કેમ્‍પ

vartmanpravah

Leave a Comment