(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.17
સરીગામ ખાતે આવેલી એન.આર. અગરવાલ રોટરી હોસ્પિટલના પટાંગણમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
રોટરી ક્લબ ઓફ સરીગામના પ્રમુખ રો.દેવાંગ દિક્ષિતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યુ હતું. આજના આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ સરીગામના સેક્રેટરી રો.ડો.જાનહવી આરેકર તથા સભ્યો, હોસ્પિટલના ચેરમેન રો.સુરેન્દ્રસિંહ પરમાર તથા ટ્રસ્ટી મંડળ, રોટરેકટ ક્લબઓફ સરીગામના પ્રમુખ ધ્વની પટેલ તથા સભ્યો, હોસ્પિટલના સ્ટાફ, તથા આસપાસના ગ્રામજનો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન રો. ડો.આશીષ આરેકરે કર્યું હતું.