April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી પાલિકા વિસ્‍તારમાં ચાલીમાં રૂમ વધારે હોય છે છતાં પાણી કનેકશન એક હોવાથી પાણી સમસ્‍યા વધી

પાલિકામાં યોજાયેલ સામાન્‍ય સભામાં વિરોધ પક્ષએ અનેક બાબતોમાં શાસકપક્ષને ઘેર્યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: વાપી નગરપાલિકાની સામાન્‍ય સભા શનિવારે પાલિકા હોલમાં યોજાઈ હતી. જેમાં શહેરની સમસ્‍યા અને નવિન વિકાસ અને વહિવટી બાબતોની ચર્ચાઓ અને નિર્ણય લેવાયા હતા.
વાપી પાલિકાની સામાન્‍ય સભા પ્રમુખ શ્રીમતી કાશ્‍મિરાબેન શાહની અધ્‍યક્ષતામાં યોજાઈ હતી. ત્રિમાસિક સામાન્‍ય સભામાં વિરોધ પક્ષ હાવી રહ્યો હતો. શાસકપક્ષ સામે પ્રશ્નોનો મારો ચલાવી ઘેરી લીધો હતો. વિરોધ પક્ષના નેતા ખંડુભાઈ પટેલએ સભાના પ્રારંભમાં જ પાણી સમસ્‍યાનો મુદ્દો ઉઠાવ્‍યો હતો. તેમણે જણાવ્‍યું હતું કે, વાપી વિસ્‍તારમાં અસંખ્‍ય ચાલીઓ આવી છે. આ ચાલીઓમાં રૂમો 10 ઉપરાંત હોય છે છતાં પાણીનું સામુહિક એક કનેકશન હોવાથી ચાલીમાં વસનારા આમ લોકો પાણીની વિકટ સમસ્‍યા ભોગવી રહ્યા છે. તેમજ તમામ ચાલી નળનો ખોટો ટેક્ષ ઉઘરાવાય છે. જવાબમાં કારોબારી અધ્‍યક્ષ મિતેશ દેસાઈએ જણાવ્‍યું હતું કે, ટેક્ષ નિયમ મુજબ જ લેવાય છે. સભામાં ફીશમાર્કેટ હરાજીનો મુદ્દો પણ ઉઠયો હતો. હરાજીમાં એક જ પરિવારને વધુ દુકાનોની ફાળવણી કરાઈ હોવાનો આક્ષેપ કરાયો હતો. સ્‍ટ્રીટ લાઈટ અંગેની વ્‍યાપક ફરિયાદોનો મુદ્દો સામાન્‍ય સભામાં ઉઠયો હતો. જેમાં નિર્ણય કરાયો હતો કે ડિસેમ્‍બર 2023માં એજન્‍સીનો કોન્‍ટ્રાક્‍ટ પુરો થાય છે તેને રીન્‍યુ કરવામાં આવશે નહીં. વાપીના ત્રણ તળાવોની માનજતના મામલે શશીજીત ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરનો કરાર કરી કોર કમિટિ નવી એજન્‍સીની નિમણૂંક કરશે. જેવા મુદ્દાઓ પાલિકાની સામાન્‍ય સભામાં ચર્ચાયા હતા.

Related posts

દીવના તડ ચેકપોસ્‍ટ પર બુટલેગરોને લગામ લગાડવા પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્‍યું

vartmanpravah

પ્રદેશ ભાજપ પ્રભારી પૂર્ણેશભાઈ મોદીના માર્ગદર્શનમાં સંઘપ્રદેશમાં પ્રબળ ગતિથી ચાલી રહેલું ભાજપનું મહા જનસંપર્ક અભિયાન

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપના ઉપ પ્રમુખ મહેશભાઈ આગરિયાની આગેવાની હેઠળ દીવમાં ચલાવાઈ રહેલું ભાજપનું સદસ્‍યતા અભિયાન

vartmanpravah

દમણ જિ.પં. : પ્રથમ અઢી વર્ષનો કાર્યકાળ ‘પુરુષ’ માટે અનામત હોવાથી મહિલા સભ્‍યો મોહભંગ

vartmanpravah

ધરમપુરની ખારવેલ પ્રાથમિક શાળામાં તા.11-12 ઓક્‍ટો.એ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાશે

vartmanpravah

‘વિશ્વાસથી વિકાસ યાત્રા’ અંતર્ગત ચીખલી પ્રાંતમાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ દ્વારા રૂા. 17.29 કરોડના પ્રકલ્‍પોની ભેટ

vartmanpravah

Leave a Comment