April 19, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી બસ સ્‍ટેન્‍ડનું ખાતમુહૂર્ત થયાને બે માસ કરતા વધુ સમય વિતવા છતાં કામ શરૂ ન થતાં સર્જાયેલ અનેક તર્ક-વિતર્ક

રૂા.3.04 કરોડના ખર્ચે નિર્માણ થનારા બસ સ્‍ટેન્‍ડનું ખાતમુહૂર્ત પમી સપ્‍ટેમ્‍બરના રોજ થયું હતું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.15: નેશનલ હાઈવેને અડીને આવેલા ચીખલી બસ સ્‍ટેન્‍ડ રાજ્‍ય આંતરરાજ્‍ય અને સ્‍થાનિક બસોના રૂટથી અને મુસાફરોથી ધમધમતું રહે છે. આ બસ સ્‍ટેન્‍ડ અધતન સુવિધાવાળું બનાવવા માટે જુના બસ સ્‍ટેન્‍ડનું ડિમોલિશન કરી નાખવામાં આવ્‍યું હતું અને રૂા.3.04 કરોડના ખર્ચે નિર્માણ થનારા નવા બસ સ્‍ટેન્‍ડના બાંધકામનું ખાતમુહૂર્ત પમી સપ્‍ટેમ્‍બરના રોજ કરવામાં આવ્‍યું હતું. 1761 ચો.મી.ના બાંધકામમાં પ્‍લેટફોર્મ, ડ્રાઇવર કંડકટર, લેડીઝ કંડકટર રેસ્‍ટ રૂમ, બેબી ફિડિંગ રૂમ, કેન્‍ટીન, પાસ રૂમ, કિચન વોટર રૂમ, ઈલેક્‍ટ્રીક રૂમ, સ્‍ટોલ, બેઠક વ્‍યવસ્‍થા સાથેનો મુસાફરો માટેનો વેઈટિંગ હોલ, શૌચાલય સહિતની સુવિધાનોસમાવેશ થાય છે.
જોકે હાલે, ખાતમુહૂર્ત થવાને બે માસ કરતા વધુ સમય વિતવા છતાં બસ સ્‍ટેન્‍ડનું બાંધકામ શરૂ થયું નથી. આ બાંધકામ પૂર્ણ કરવાની અવધિ 11 માસની છે. ત્‍યારે સમય મર્યાદામાં પૂર્ણ થશે કે કેમ તેવા સવાલો ઉભા થવા પામ્‍યા છે. બીજી તરફ હાલે જે બસ સ્‍ટેન્‍ડની વૈકલ્‍પિક વ્‍યવસ્‍થા ઊભી કરવામાં આવી છે. તેમાં વિદ્યાર્થીઓ સહિતના મુસાફરોને હાલાકી વેઠવા પડી રહી છે. ત્‍યારે એસટી તંત્રને મોટા ઉપાડે ખાતમુહૂર્ત કરાયા બાદ બાંધકામ શરૂ કરવાનું મુહૂર્ત ક્‍યારે મળશે તે જોવું રહ્યું.

Related posts

‘પુરુષાર્થમાં જ વ્‍યક્‍તિનું સાચું ભાગ્‍ય છૂપાયેલું છે, નહીં કે હસ્‍તરેખામાં’

vartmanpravah

સેલવાસ ન.પા. દ્વારા કૂતરાઓની નિયમિત થતી નશબંધી છતાં સતત વધતી વસ્‍તી : નશબંધીના નામે તો નથી લખાતું ને નામું?

vartmanpravah

સોમવારે પ્રદેશમાં સ્‍વચ્‍છતા સંકલ્‍પ સાથે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સ્‍વચ્‍છતા અભિયાનઃ આદતો કો બદલને કા આંદલન’નો જયઘોષ કરાવશે

vartmanpravah

ભારતના રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની કાર્યનિષ્‍ઠા અને દીર્ઘદૃષ્‍ટિની મુક્‍ત મને કરેલી પ્રશંસા

vartmanpravah

પારડી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જન જાગરણ અભિયાન અંતર્ગત લોક જાગૃતિ અભિયાનનો કાર્યક્રમ

vartmanpravah

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલના નેતૃત્‍વમાં પાકિસ્‍તાની જેલમાં બંદીવાન માછીમાર પરિવારના સભ્‍યોએ કેન્‍દ્રના મત્‍સ્‍યોદ્યોગ રાજ્‍યમંત્રી પુરૂષોત્તમ રૂપાલાની લીધેલી મુલાકાત

vartmanpravah

Leave a Comment