(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.01: વલસાડ અનાવિલ સમાજ દ્વારા રવિવારે મોંઘાભાઈ હોલમાં વાર્ષિક સ્નેહ મિલન કાર્યક્રમ જુદા જુદા આયોજનો થકી કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમ મહાનુભાવો સર્વશ્રી પ્રમુખ સમીર દેસાઈ, ઉપ પ્રમુખ ગૌત્તમ દેસાઈ, મંત્રી આશિષ દેસાઈ, મેહુલભાઈએ દિપ પ્રાગટય કર્યું હતું. કાર્યક્રમમાં બ્લડ ડોનેશન કેમ્પ તથા તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ આગામી 10મી મેના રોજ ઈચ્છા બાની વાડીમાં સમુહ યજ્ઞોપવિતનું આયોજન તથા સ્વ.કે.આર. દેસાઈ ટેનિસ ટૂર્નામેન્ટ આગામી તા.26-28મેના રોજ યોજાશે તેવી સભામાં જાહેરાત કરાઈ હતી. પ્રોજેક્ટ ચેરમેન ગીતાબેન દેસાઈ, હિતેન દેસાઈ અને હિનાબેન દેસાઈએ કાર્યક્રમની સફળતા માટે સરાહનિય જહેમત ઉઠાવી હતી. બાળકો માટે રમતગમત અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.