March 2, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ ફૂડ એન્‍ડ સેફટી વિભાગે અથાલમાં મીઠાઈની દુકાનમાં રેડ પાડતાં ભેળસેળવાળો માવો મળી આવતા દુકાનને તાળુ માર્યું

ગત દિવસોમાં પણ દિવાળીના તહેવારને ધ્‍યાનમાં રાખી દાનહમાં મીઠાઈઓની કેટલીક દુકાનોમાંથી જિલ્લા આરોગ્‍ય વિભાગે લીધેલા સેમ્પલોનો રિપોર્ટ શું આવ્‍યો તે આજદિન સુધી સાર્વજનિક શા માટે નથી કરાયો?

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.28: દાદરા નગર હવેલી ફુડ સેફટી વિભાગ દ્વારા દિવાળી તહેવારને લઈ વિવિધ મીઠાઈની દુકાનોમાં ચકાસણી કરી સેમ્‍પલો લઈ એમની વાનની અંદર પ્રાથમિક તપાસ કર્યા બાદ શંકાસ્‍પદ લાગતા એ સેમ્‍પલોને વધુ તપાસ માટે મોકલવામાં આવે છે. ફુડ એન્‍ડ સેફટી વિભાગને મળેલ ફરિયાદના આધારે અથાલ ગામે આવેલ જય જલારામ સ્‍વીટની દુકાનમાં તપાસ હાથ કરતા ત્‍યાં મીઠાઈ બનાવવા માટેના માવાનો સેમ્‍પલ લેતા તેની અંદર ભેળસેળ કરેલ હોવાનું પ્રાથમિક તપાસમાં આવ્‍યું હતું. જેથી જ્‍યાં સુધી સેમ્પલોનો સંપુર્ણ રિપોર્ટ નહીં આવે ત્‍યાં સુધી દુકાનને બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્‍યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દિવાળીના તહેવારને ધ્‍યાનમાં રાખી દાનહની મીઠાઈઓની દુકાનોમાંથી ગત દિવસોમાં જિલ્લાના આરોગ્‍ય વિભાગના સબંધિત અધિકારીઓએ કેટલીક મીઠાઈની દુકાનોમાંથી સેમ્‍પલ લીધા હતા, પરંતુ આજદિન સુધી આ સેમ્‍પલોનો રિપોર્ટ સાર્વજનિક કરવામાં આવ્‍યો નથી. રિપોર્ટ વહેલી તકે સાર્વજનિક કરવા પ્રદેશ શિવસેના પ્રમુખ શ્રી શ્વેતલ ભટ્ટે સંઘપ્રદેશના આરોગ્‍ય સચિવને લેખિત રજૂઆત પણ કરી હતી. છતાં હજુ સુધી પણ તેની રાહ જ જોવાઈ રહી છે.

Related posts

વલસાડમાં જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં 1480 કલાકારો ઉત્‍સાહભેર ભાગ લીધો

vartmanpravah

આઈસ્‍ક્રીમ લઈ પારડી આવી રહેલ ટેમ્‍પાનો પારડી આઈટીઆઈ નજીક અકસ્‍માત

vartmanpravah

દમણ જિલ્લા કોળી સમાજના કાર્યકારી પ્રમુખ તરીકે જયંતિભાઈ પટેલની બે માસ માટે વરણીઃ ફક્ત પ્રમાણપત્ર ઉપર હસ્તાક્ષર કરવાનો અધિકાર

vartmanpravah

સેલવાસમાં કિશોરીએ ફાંસી લગાવી કરેલી આત્‍મહત્‍યા

vartmanpravah

આજે લઘુ ઉદ્યોગ ભારતી વાપી ઈકાઈ દ્વારા સભાસદ પ્રમાણપત્ર વિતરણ- સ્‍નેહ મિલન કાર્યક્રમ યોજાશે

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ લક્ષદ્વીપના સમુદ્રમાં સ્‍નોર્કલિંગ કરી પોતાની જીજ્ઞાસાનો આપેલો પરિચય

vartmanpravah

Leave a Comment