April 19, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ ફૂડ એન્‍ડ સેફટી વિભાગે અથાલમાં મીઠાઈની દુકાનમાં રેડ પાડતાં ભેળસેળવાળો માવો મળી આવતા દુકાનને તાળુ માર્યું

ગત દિવસોમાં પણ દિવાળીના તહેવારને ધ્‍યાનમાં રાખી દાનહમાં મીઠાઈઓની કેટલીક દુકાનોમાંથી જિલ્લા આરોગ્‍ય વિભાગે લીધેલા સેમ્પલોનો રિપોર્ટ શું આવ્‍યો તે આજદિન સુધી સાર્વજનિક શા માટે નથી કરાયો?

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.28: દાદરા નગર હવેલી ફુડ સેફટી વિભાગ દ્વારા દિવાળી તહેવારને લઈ વિવિધ મીઠાઈની દુકાનોમાં ચકાસણી કરી સેમ્‍પલો લઈ એમની વાનની અંદર પ્રાથમિક તપાસ કર્યા બાદ શંકાસ્‍પદ લાગતા એ સેમ્‍પલોને વધુ તપાસ માટે મોકલવામાં આવે છે. ફુડ એન્‍ડ સેફટી વિભાગને મળેલ ફરિયાદના આધારે અથાલ ગામે આવેલ જય જલારામ સ્‍વીટની દુકાનમાં તપાસ હાથ કરતા ત્‍યાં મીઠાઈ બનાવવા માટેના માવાનો સેમ્‍પલ લેતા તેની અંદર ભેળસેળ કરેલ હોવાનું પ્રાથમિક તપાસમાં આવ્‍યું હતું. જેથી જ્‍યાં સુધી સેમ્પલોનો સંપુર્ણ રિપોર્ટ નહીં આવે ત્‍યાં સુધી દુકાનને બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્‍યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દિવાળીના તહેવારને ધ્‍યાનમાં રાખી દાનહની મીઠાઈઓની દુકાનોમાંથી ગત દિવસોમાં જિલ્લાના આરોગ્‍ય વિભાગના સબંધિત અધિકારીઓએ કેટલીક મીઠાઈની દુકાનોમાંથી સેમ્‍પલ લીધા હતા, પરંતુ આજદિન સુધી આ સેમ્‍પલોનો રિપોર્ટ સાર્વજનિક કરવામાં આવ્‍યો નથી. રિપોર્ટ વહેલી તકે સાર્વજનિક કરવા પ્રદેશ શિવસેના પ્રમુખ શ્રી શ્વેતલ ભટ્ટે સંઘપ્રદેશના આરોગ્‍ય સચિવને લેખિત રજૂઆત પણ કરી હતી. છતાં હજુ સુધી પણ તેની રાહ જ જોવાઈ રહી છે.

Related posts

આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલનો આજનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

ઉજવણી ઉલ્લાસમય શિક્ષણનીઃ વલસાડ જિલ્લા કલેકટર અનસૂયા જ્‍હાંના અધ્‍યક્ષસ્‍થાને શાળા પ્રવેશોત્‍સવ બેઠક મળી

vartmanpravah

ચીખલીના નોગામા ગામેથી બિનવારસી કારમાંથી રૂા. 86 હજારનો દારૂ મળ્‍યો

vartmanpravah

કૃષિ પ્રાયોગિક કેન્‍દ્ર પરીયા દ્વારા ‘ખેડૂત તાલીમ કમ ટેકનોલોજી નિદર્શન’ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપીમાં યુવા બોર્ડની બેઠક મળી: દરેક તાલુકા-પાલિકા વિસ્‍તારમાં ‘‘સ્‍વામી વિવેકાનંદ વન” અભિયાન હાથ ધરાશે

vartmanpravah

વાપી રાજસ્‍થાન પ્રગતિ મંડળ ચેરીટેબલ ટ્રસ્‍ટના હોદ્દેદારોની ચૂંટણી બિનહરિફ

vartmanpravah

Leave a Comment