March 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પ્રેમનો કરૂણ અંજામ:  પારડીના નેવરી ગામે પ્રેમિકાએ ફાંસો ખાતા પ્રેમીએ પણ ડહેલી ખાતે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.01: પ્રેમમાં પડેલા પ્રેમીઓ એક બીજાને સાથે જીવનપર્યંત સાથે જીવવા અને સાથે મરવા સુધીના વચનોઆપતા હોય છે. પરંતુ કોઈક સાચા પ્રેમીઓ જ આવા વચનો પાળે છે.
પરંતુ હાલના આધુનિક જમાનામાં સંપૂર્ણપણે પ્રેમની વ્‍યાખ્‍યા બદલાઈ ગઈ છે અને નિર્દોષ અને પવિત્ર પ્રેમની જગ્‍યા વાસનામાં પરિવર્તિત થઈ ગઈ છે. બીજી બાજુ કેટલોક વર્ગ સમજી વિચાર્યા વિના મહામૂલી જીંદગી પણ ટૂંકાવવાના કિસ્‍સા પણ બની રહ્યા છે ત્‍યારે પારડી તાલુકાના નેવરીગામે ઘેલાલાલા ફળિયા ખાતે રહેતી નીલમબેન રામુભાઈ નાયકા ઉ.વ.19, ડહેલી ગામે દાદરી ફળિયા ખાતે રહેતા સચિન રમણભાઈ પટેલ ઉ.વ.24 આ બંને એકબીજાના ગળાડૂબ પ્રેમમાં પડયા હતા અને તેવો બંને એક વર્ષથી એકબીજાના સંપર્કમાં હતા.
પરંતુ નીલમબેને કોઈ કારણસર રવિવારના રોજ સવારે એક વાડીમાં પહોંચી આંબાના ઝાડની ડાળી સાથે દુપટ્ટો બાંધીને ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બાબતની જાણ થતાં પારડી પોલીસ ઘટના સ્‍થળે પહોંચી હતી. અને પોલીસ પીએમની કાર્યવાહી કરી રહી હતી તો બીજી તરફ આ બાબતની જાણ નીલમના પ્રેમી સચિનને થતાં તે આઘાતમાં સરી પડ્‍યો હતો અને તેને પણ બપોરે ડહેલીગામે એક વાડીમાં પહોંચી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. પારડી તાલુકાનાં પ્રેમી પંખીડા આપઘાત કરી લેતા અનેક ચર્ચાઓ ચાલી હતી ત્‍યારે પારડી પોલીસે કાર્યવાહી હાથ ધરીછે જોકે નિલમે અચાનક કયા કારણોસર આપઘાત કર્યો તે રહસ્‍ય અકબંધ રહેવા પામ્‍યું છે.

Related posts

દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ પદેથી બાબુભાઈ પટેલે આપેલું રાજીનામું

vartmanpravah

વંકાસની ડી.એચ.વી. ફિટિંગ કંપનીનું જમીની વિવાદી પ્રકરણમાં લેન્‍ડગ્રેબિંગ એક્‍ટ હેઠળ શરૂ થનારી તપાસ

vartmanpravah

વલસાડ જિલ્લામાં શાંતિ સલામતી જાળવવા સભા-સરઘસ ઉપર પ્રતિબંધ

vartmanpravah

સેલવાસ રીંગ રોડ પર ચાલકે ટેમ્‍પો ડિવાઈડર કુદાવી પાર્ક કરેલ સ્‍કૂલ બસ સાથે અથડાવી

vartmanpravah

ઉમરગામ ટાઉનમાં ત્રિરંગા યાત્રાનુું કરવામાંઆવેલું ભવ્‍ય આયોજન

vartmanpravah

સાંસદ બન્‍યા બાદ માત્ર 15 દિવસમાં પોતાનો પાવર બતાવવાનો વાયદો કરનાર ઉમેશભાઈ પટેલ પાંચ મહિના થવા છતાં પણ એક કામ નહીં કરી શકતા હતાશ થતાં છેવટે પોતાની નિષ્‍ફળતા ઢાંકવા સરપંચો, જિલ્લા પંચાયત તથા નગરપાલિકાને દોષિત ઠેરવવાનો બાલીશપ્રયાસ દમણ અને દીવના સાંસદ ઉમેશભાઈ પટેલ રઘવાયા કેમ બની રહ્યા છે..?

vartmanpravah

Leave a Comment