October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પ્રેમનો કરૂણ અંજામ:  પારડીના નેવરી ગામે પ્રેમિકાએ ફાંસો ખાતા પ્રેમીએ પણ ડહેલી ખાતે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.01: પ્રેમમાં પડેલા પ્રેમીઓ એક બીજાને સાથે જીવનપર્યંત સાથે જીવવા અને સાથે મરવા સુધીના વચનોઆપતા હોય છે. પરંતુ કોઈક સાચા પ્રેમીઓ જ આવા વચનો પાળે છે.
પરંતુ હાલના આધુનિક જમાનામાં સંપૂર્ણપણે પ્રેમની વ્‍યાખ્‍યા બદલાઈ ગઈ છે અને નિર્દોષ અને પવિત્ર પ્રેમની જગ્‍યા વાસનામાં પરિવર્તિત થઈ ગઈ છે. બીજી બાજુ કેટલોક વર્ગ સમજી વિચાર્યા વિના મહામૂલી જીંદગી પણ ટૂંકાવવાના કિસ્‍સા પણ બની રહ્યા છે ત્‍યારે પારડી તાલુકાના નેવરીગામે ઘેલાલાલા ફળિયા ખાતે રહેતી નીલમબેન રામુભાઈ નાયકા ઉ.વ.19, ડહેલી ગામે દાદરી ફળિયા ખાતે રહેતા સચિન રમણભાઈ પટેલ ઉ.વ.24 આ બંને એકબીજાના ગળાડૂબ પ્રેમમાં પડયા હતા અને તેવો બંને એક વર્ષથી એકબીજાના સંપર્કમાં હતા.
પરંતુ નીલમબેને કોઈ કારણસર રવિવારના રોજ સવારે એક વાડીમાં પહોંચી આંબાના ઝાડની ડાળી સાથે દુપટ્ટો બાંધીને ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બાબતની જાણ થતાં પારડી પોલીસ ઘટના સ્‍થળે પહોંચી હતી. અને પોલીસ પીએમની કાર્યવાહી કરી રહી હતી તો બીજી તરફ આ બાબતની જાણ નીલમના પ્રેમી સચિનને થતાં તે આઘાતમાં સરી પડ્‍યો હતો અને તેને પણ બપોરે ડહેલીગામે એક વાડીમાં પહોંચી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. પારડી તાલુકાનાં પ્રેમી પંખીડા આપઘાત કરી લેતા અનેક ચર્ચાઓ ચાલી હતી ત્‍યારે પારડી પોલીસે કાર્યવાહી હાથ ધરીછે જોકે નિલમે અચાનક કયા કારણોસર આપઘાત કર્યો તે રહસ્‍ય અકબંધ રહેવા પામ્‍યું છે.

Related posts

દમણ જિ.પં.માં અધ્‍યક્ષની પસંદગી માટે ‘હાઈકમાન્‍ડ’ ઉપર મંડાતી મીટઃ પરંપરા અનુસરે કે પછી…?

vartmanpravah

નીતિન જાની ઉર્ફે ‘‘ખજૂરભાઈ” અને મીનાક્ષી દવેએ પ્રભૂતામાં પગલાં પાડયા પછી નાનાપોંઢામાં આદિવાસી પરિવારના મસીહા બની પહેલું ઘર બનાવી ગૃહ પ્રવેશ કરાવ્‍યો

vartmanpravah

વલસાડ જિલ્લામાં રૂ. 3.33 કરોડના ખર્ચે 18 એમ્બ્યુલન્સનું નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, આદિજાતિ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ અને પાણી પુરવઠા મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીની ઉપસ્થિતમાં લોકાર્પણ

vartmanpravah

ગુજરાત પ્રાકૃતિક- વ- સેન્દ્રિ ય કૃષિ વિશ્વવિદ્યાલય આણંદ દ્વારા આયોજીત ઉમરગામ ખાતે પ્રાકૃતિક કૃષિના કૃષિકાર પૂ. ભાસ્કાર સાવેની જન્મતશતાબ્દીદ નિમિત્તે રાજયના નાણાં, ઊર્જા અને પ્રેટોકેમિકલ્સન મંત્રી કનુભાઇ દેસાઇના અધ્યયક્ષસ્થાકને ખેડૂતોની વિચાર ગોષ્ઠિદ યોજાઇ

vartmanpravah

વાપી કેબીએસ કોલેજ વકૃત્વ સ્પર્ધામાં ઝળકી

vartmanpravah

ધરમપુર-કપરાડામાં એસ.ટી.ની પ્રવાસન બસને મળ્યો અભૂતપૂર્વ પ્રતિસાદ, આગામી બંને રવિવારનું બુકિંગ ફૂલ

vartmanpravah

Leave a Comment