April 25, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસના આમળીથી બે યુવતિઓ ગુમ થઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29: સેલવાસના આમળી વિસ્‍તારની બે યુવતીઓ ગુમ થઈ હોવાની ફરિયાદ સેલવાસ પોલીસ સ્‍ટેશનમા નોંધાઈ છે. વીણાકુમારી શંકરલાલ ચૌધરી (ઉ.વ.20) રહેવાસી સાંઈ સૃષ્‍ટિ, જી ટાવર, આમળી, સેલવાસ મૂળ રહેવાસી ગામ સરના, જલોદ, રાજસ્‍થાન આ યુવતી ધોરણ દસ સુધી અભ્‍યાસ કરેલ છે અને તે ગત તા. 29મી એપ્રિલના રોજ કોઈને કંઈપણ કહ્યા વિના ઘરેથી ચાલી ગઈ હતી. પરિવારના સભ્‍યોએ આજુબાજુ તેમજ સગા સંબંધીઓને ત્‍યાં તપાસ કરેલ પણ મળી આવેલ નથી.
જ્‍યારે બીજા બનાવમાં નંદની પ્રમોદસિંગ (ઉ.વ.21) રહેવાસી આમળી, દાયત ફળિયા, સેલવાસ મૂળ રહેવાસી રાજસ્‍થાનની આ યુવતી ધોરણ બાર સુધી ભણેલ છે. આ યુવતી ગત તા.29મી એપ્રિલના રોજ કોઈને કંઈપણ કહ્યા વિના ઘરેથી ચાલી ગઈ હતી એના પરિવાર દ્વારા આજુબાજુ તથા સગા સંબંધીઓને ત્‍યાં તપાસ કરતા મળી આવેલ નથી. આ બંને યુવતિઓ ગુમ થઈ હોવાની ફરિયાદ પીપરીયા પોલીસ સ્‍ટેશનમાં નોંધવામાં આવી હતી. આ બંને યુવતી અંગે કોઈને કોઈપણ જાણકારી મળે તો સેલવાસ પોલીસ સ્‍ટેશન અથવા તો કંટ્રોલ રૂમનો ફોન નંબર 0260 2642130પરસંપર્ક કરવા જણાવાયુ છે.

Related posts

દમણના ડાભેલ-આંટિયાવાડ વિસ્‍તારમાં મંગળવારની રાત્રિએ હત્‍યાની બનેલી ઘટના: પડોશની ચાલીમાં રહેતા પરપ્રાંતિય યુવકની સગીરે તિક્ષ્ણ હથિયાર વડે કરેલી હત્‍યા

vartmanpravah

ખેલ અને યુવા વિભાગ સેલવાસ દ્વારા ખેલો ઈન્‍ડિયા યુથ ગેમ્‍સ-2022 : મધ્‍યપ્રદેશમાં ભાગ લેવા વાઈલ્‍ડ કાર્ડ એન્‍ટ્રી નામાંકન માટે જિલ્લા સ્‍તરીય પસંદગીનું કરાયેલું આયોજન

vartmanpravah

ઉમરગામ નોટીફાઈડ કચેરીનો અણધડ કારભાર

vartmanpravah

સ્‍વર્ણ પદક વિજેતા આચાર્ય સંજય પંડિત દ્વારા આયોજીત ગુજરાતના સોમનાથ પાટણના શારદાપીઠ ત્રિવેણી સંગમ ખાતે શિવશક્‍તિ મહાયજ્ઞમાં દમણ જિ.પં.ના પ્રમુખ નવિનભાઈ પટેલે પોતાનીધર્મપત્‍ની સાથે લીધેલો ભાગ

vartmanpravah

લોક અદાલતના લાભો ન્‍યાયમૂર્તિ જસ્‍ટીસ બિરેનએ.વૈષ્‍ણવ દ્વારા ‘‘હાજીર હો” કાર્યક્રમના માધ્‍યમથી ઘર બેઠા જાણી શકાશે

vartmanpravah

ટુકવાડા સ્‍થિત પોદાર પ્રેયમાં ગાંધીજી અને શાષાીજીની જન્‍મજયંતિની ઉજવણી કરી

vartmanpravah

Leave a Comment