Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસના આમળીથી બે યુવતિઓ ગુમ થઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29: સેલવાસના આમળી વિસ્‍તારની બે યુવતીઓ ગુમ થઈ હોવાની ફરિયાદ સેલવાસ પોલીસ સ્‍ટેશનમા નોંધાઈ છે. વીણાકુમારી શંકરલાલ ચૌધરી (ઉ.વ.20) રહેવાસી સાંઈ સૃષ્‍ટિ, જી ટાવર, આમળી, સેલવાસ મૂળ રહેવાસી ગામ સરના, જલોદ, રાજસ્‍થાન આ યુવતી ધોરણ દસ સુધી અભ્‍યાસ કરેલ છે અને તે ગત તા. 29મી એપ્રિલના રોજ કોઈને કંઈપણ કહ્યા વિના ઘરેથી ચાલી ગઈ હતી. પરિવારના સભ્‍યોએ આજુબાજુ તેમજ સગા સંબંધીઓને ત્‍યાં તપાસ કરેલ પણ મળી આવેલ નથી.
જ્‍યારે બીજા બનાવમાં નંદની પ્રમોદસિંગ (ઉ.વ.21) રહેવાસી આમળી, દાયત ફળિયા, સેલવાસ મૂળ રહેવાસી રાજસ્‍થાનની આ યુવતી ધોરણ બાર સુધી ભણેલ છે. આ યુવતી ગત તા.29મી એપ્રિલના રોજ કોઈને કંઈપણ કહ્યા વિના ઘરેથી ચાલી ગઈ હતી એના પરિવાર દ્વારા આજુબાજુ તથા સગા સંબંધીઓને ત્‍યાં તપાસ કરતા મળી આવેલ નથી. આ બંને યુવતિઓ ગુમ થઈ હોવાની ફરિયાદ પીપરીયા પોલીસ સ્‍ટેશનમાં નોંધવામાં આવી હતી. આ બંને યુવતી અંગે કોઈને કોઈપણ જાણકારી મળે તો સેલવાસ પોલીસ સ્‍ટેશન અથવા તો કંટ્રોલ રૂમનો ફોન નંબર 0260 2642130પરસંપર્ક કરવા જણાવાયુ છે.

Related posts

ગૌ સેવાના લાભાર્થે દાનહમાં રાજસ્‍થાન યુવા સંઘ દ્વારા ‘રાજસ્‍થાન પ્રીમિયર લીગ’ સીઝન-3નું આયોજન

vartmanpravah

દાદરા નગર હવેલીમાં 03 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ વન વિભાગ દ્વારા દમણની તમામ 14 ગ્રામ પંચાયતોમાં 105 જેટલા ફણસનાવૃક્ષોનું કરેલું રોપણ

vartmanpravah

વિધાનસભાના નાયબ દંડક વિજયભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કપરાડાના બામણવાડામાં વાજતે ગાજતે શાળા પ્રવેશોત્સવ ઉજવાયો

vartmanpravah

કચીગામના સરપંચ ભરતભાઈ પટેલે ગૌશાળામાં ગાયોને ઘાસચારો ખવડાવી પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નિરોગી જીવન અને દીર્ઘાયુની કરેલી કામના

vartmanpravah

ચીખલી તાલુકાના ગામોમાં પણ પરવાનગી વિના ચિકન-મટનની દુકાન, ઢાબાઓ ધમધમી રહ્યા છે!

vartmanpravah

Leave a Comment