Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસના આમળીથી બે યુવતિઓ ગુમ થઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29: સેલવાસના આમળી વિસ્‍તારની બે યુવતીઓ ગુમ થઈ હોવાની ફરિયાદ સેલવાસ પોલીસ સ્‍ટેશનમા નોંધાઈ છે. વીણાકુમારી શંકરલાલ ચૌધરી (ઉ.વ.20) રહેવાસી સાંઈ સૃષ્‍ટિ, જી ટાવર, આમળી, સેલવાસ મૂળ રહેવાસી ગામ સરના, જલોદ, રાજસ્‍થાન આ યુવતી ધોરણ દસ સુધી અભ્‍યાસ કરેલ છે અને તે ગત તા. 29મી એપ્રિલના રોજ કોઈને કંઈપણ કહ્યા વિના ઘરેથી ચાલી ગઈ હતી. પરિવારના સભ્‍યોએ આજુબાજુ તેમજ સગા સંબંધીઓને ત્‍યાં તપાસ કરેલ પણ મળી આવેલ નથી.
જ્‍યારે બીજા બનાવમાં નંદની પ્રમોદસિંગ (ઉ.વ.21) રહેવાસી આમળી, દાયત ફળિયા, સેલવાસ મૂળ રહેવાસી રાજસ્‍થાનની આ યુવતી ધોરણ બાર સુધી ભણેલ છે. આ યુવતી ગત તા.29મી એપ્રિલના રોજ કોઈને કંઈપણ કહ્યા વિના ઘરેથી ચાલી ગઈ હતી એના પરિવાર દ્વારા આજુબાજુ તથા સગા સંબંધીઓને ત્‍યાં તપાસ કરતા મળી આવેલ નથી. આ બંને યુવતિઓ ગુમ થઈ હોવાની ફરિયાદ પીપરીયા પોલીસ સ્‍ટેશનમાં નોંધવામાં આવી હતી. આ બંને યુવતી અંગે કોઈને કોઈપણ જાણકારી મળે તો સેલવાસ પોલીસ સ્‍ટેશન અથવા તો કંટ્રોલ રૂમનો ફોન નંબર 0260 2642130પરસંપર્ક કરવા જણાવાયુ છે.

Related posts

વાપીમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં ‘‘એક તારીખ, એક કલાક” સૂત્ર સાથે મહા શ્રમદાન પ્રવૃત્તિઓ હાથ ધરાઈ

vartmanpravah

હરિયાણાના હિંસક બનાવોના પડઘા વલસાડમાં પડયા: વી.એચ.પી. અને બજરંદળના કાર્યકરોએ ધરણા કરી સખ્ત કાર્યવાહીની માંગ કરી

vartmanpravah

વાપીની મેરેથોન ગર્લ્‍સ માધુરી પ્રસાદનું સુષ્‍મા સ્‍વરાજ એવોર્ડથી સન્‍માન કરાયું

vartmanpravah

મજીગામમાં પસાર થતી માઈનોર કેનાલના નવીનીકરણના કામમાં કપચીના દેખાવા સાથે થીંગડા મારવાની નોબત

vartmanpravah

ચીખલી વિસ્‍તારમાં તાવ અને આંખના કેસોમાં થયેલો વધારો

vartmanpravah

વલસાડ જિલ્લા રાજપૂત કરણી સેના દ્વારા પુરુષોત્તમ રૂપાલાના નિવેદન વિરૂધ્‍ધ આવેદનપત્ર પાઠવ્‍યું

vartmanpravah

Leave a Comment