September 8, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસના આમળીથી બે યુવતિઓ ગુમ થઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29: સેલવાસના આમળી વિસ્‍તારની બે યુવતીઓ ગુમ થઈ હોવાની ફરિયાદ સેલવાસ પોલીસ સ્‍ટેશનમા નોંધાઈ છે. વીણાકુમારી શંકરલાલ ચૌધરી (ઉ.વ.20) રહેવાસી સાંઈ સૃષ્‍ટિ, જી ટાવર, આમળી, સેલવાસ મૂળ રહેવાસી ગામ સરના, જલોદ, રાજસ્‍થાન આ યુવતી ધોરણ દસ સુધી અભ્‍યાસ કરેલ છે અને તે ગત તા. 29મી એપ્રિલના રોજ કોઈને કંઈપણ કહ્યા વિના ઘરેથી ચાલી ગઈ હતી. પરિવારના સભ્‍યોએ આજુબાજુ તેમજ સગા સંબંધીઓને ત્‍યાં તપાસ કરેલ પણ મળી આવેલ નથી.
જ્‍યારે બીજા બનાવમાં નંદની પ્રમોદસિંગ (ઉ.વ.21) રહેવાસી આમળી, દાયત ફળિયા, સેલવાસ મૂળ રહેવાસી રાજસ્‍થાનની આ યુવતી ધોરણ બાર સુધી ભણેલ છે. આ યુવતી ગત તા.29મી એપ્રિલના રોજ કોઈને કંઈપણ કહ્યા વિના ઘરેથી ચાલી ગઈ હતી એના પરિવાર દ્વારા આજુબાજુ તથા સગા સંબંધીઓને ત્‍યાં તપાસ કરતા મળી આવેલ નથી. આ બંને યુવતિઓ ગુમ થઈ હોવાની ફરિયાદ પીપરીયા પોલીસ સ્‍ટેશનમાં નોંધવામાં આવી હતી. આ બંને યુવતી અંગે કોઈને કોઈપણ જાણકારી મળે તો સેલવાસ પોલીસ સ્‍ટેશન અથવા તો કંટ્રોલ રૂમનો ફોન નંબર 0260 2642130પરસંપર્ક કરવા જણાવાયુ છે.

Related posts

દાનહઃ ‘મૈં હું મોહન ડેલકર’ નહીં પરંતુ હવે ‘મૈં હું મોદી કા પરિવાર’: પ્રદેશ ભાજપ પ્રભારી પૂર્ણેશભાઈ મોદીની ટકોર

vartmanpravah

મોટાપોંઢાની આદર્શ પ્રા.શાળામાં નૉટબુક વિતરણની સાથે જન્માષ્ટમી કાર્યક્રમ ઉજવાયો

vartmanpravah

વલસાડ સિવિલમાં લાશ પી.એમ. વગર કલાકો રઝળતી રહી

vartmanpravah

દરેક વ્‍યક્‍તિ શુદ્ર તરીકે જ જન્‍મે છે પરંતુ સંસ્‍કારથી જ તે બ્રાહ્મણ કહેવાય છે

vartmanpravah

વાપીમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીના જન્‍મ દિનની ઉજવણી વિવિધ સેવાકીય કામગીરીથી કરાઈ

vartmanpravah

સેલવાસના ડોકમરડી ખાતે બસ પલ્‍ટી મારતા પાંચ મુસાફરો ઘાયલ

vartmanpravah

Leave a Comment