July 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાના પેન્શનરોની વાર્ષિક હયાતીની ખરાઇ કરાવી લેવી

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.0૪: રાજ્ય સરકારનાં પેન્શનરો/કુટુંબ પેન્શનરોને જણાવવાનું કે, સરકારશ્રીનાં નાણાં વિભાગનાં ઠરાવ ક્રમાંક : તજર/૧૦૨૦૧૪/૧૬૭૧/ઝ તા.૧૨-૦૪-૨૦૨૨માં કરેલી જોગવાઇ મુજબ પેન્શનરો/કુટુંબ પેન્શનરોની હયાતીની ખરાઇ દર વર્ષે મે માસ થી જુલાઇ માસ સુધી કરવાની હોય છે. પેન્શનર કે કુટુંબ પેન્શનર જે બેન્કમાંથી પેન્શન મેળવે છે તે બેન્કમાં રૂબરૂ જઇ હયાતીની ખરાઇ કરવાની હોય છે. જેથી હયાતી કરવા જણાવવામાં આવે છે . વધુમાં પેન્શન /કુટુંબ પેન્શનરના અવસાન બાદ શારીરિક અથવા માનસિક અશકત સંતાનોને કુંટુંબ પેન્શનનો લાભ બાબતે નાણા વિભાગના તા.૦૬/૦૪/૨૦૨૩ ના પત્રથી મંજુર કરેલ પેન્શનરોને જાણકારી મળી રહે તે માટે “પેન્શનરોને જાણવા જોગ“ સંદેશ મેળવી લેવાનો રહેશે. વધુમાં પેન્શનરશ્રીઓની હયાતીની ખરાઇ ઓનલાઇન “Jeevan Pramaan“ Portal પર પણ કરી શકાય છે. જે માન્ય કરેલ છે. જેની વેબસાઇટ “www.jeevanpraman.gov.in’’ છે. એવુ વલસાડ જિલ્લા તિજોરી અધિકારીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.

Related posts

દાદરા નગર હવેલીમાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્‍યો

vartmanpravah

વાપી સલવાવ બાપા સિતારામ સનાતન ટ્રસ્‍ટ દ્વારા તા.17 શરદ પૂનમથી નિઃશુલ્‍ક દવાખાનાનો શુભારંભ થશે

vartmanpravah

વલસાડમાં બપોર બાદ પુરના પાણી ઓસરતા (ઉતરતા) રસ્‍તાઓ ઉપર કાદવ કીચ્‍ચડ છવાઈ જતા લોકો પરેશાન

vartmanpravah

વાપી સમર્પણ જ્ઞાન સ્‍કૂલના વિદ્યાર્થીઓ સ્‍કૂલ ફેડરેશન ઓફ ઈન્‍ડિયામાં ઉત્‍કૃષ્‍ટ પ્રદર્શન

vartmanpravah

નેશનલ હાઈવે 48 પર ખાડો બચાવવાના પ્રયાસમાં તલાસરી પાસે કાર ડિવાઈડર કુદીને સામેના ટ્રેક પર ટેમ્‍પો સાથે ધડાકાભેર ટકરાતા સેલવાસના બે યુવાનોના કરૂણ મોત

vartmanpravah

ઉમરગામના દહેરીમાં ટીસ્યુ પેપર બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ

vartmanpravah

Leave a Comment