Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાના પેન્શનરોની વાર્ષિક હયાતીની ખરાઇ કરાવી લેવી

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.0૪: રાજ્ય સરકારનાં પેન્શનરો/કુટુંબ પેન્શનરોને જણાવવાનું કે, સરકારશ્રીનાં નાણાં વિભાગનાં ઠરાવ ક્રમાંક : તજર/૧૦૨૦૧૪/૧૬૭૧/ઝ તા.૧૨-૦૪-૨૦૨૨માં કરેલી જોગવાઇ મુજબ પેન્શનરો/કુટુંબ પેન્શનરોની હયાતીની ખરાઇ દર વર્ષે મે માસ થી જુલાઇ માસ સુધી કરવાની હોય છે. પેન્શનર કે કુટુંબ પેન્શનર જે બેન્કમાંથી પેન્શન મેળવે છે તે બેન્કમાં રૂબરૂ જઇ હયાતીની ખરાઇ કરવાની હોય છે. જેથી હયાતી કરવા જણાવવામાં આવે છે . વધુમાં પેન્શન /કુટુંબ પેન્શનરના અવસાન બાદ શારીરિક અથવા માનસિક અશકત સંતાનોને કુંટુંબ પેન્શનનો લાભ બાબતે નાણા વિભાગના તા.૦૬/૦૪/૨૦૨૩ ના પત્રથી મંજુર કરેલ પેન્શનરોને જાણકારી મળી રહે તે માટે “પેન્શનરોને જાણવા જોગ“ સંદેશ મેળવી લેવાનો રહેશે. વધુમાં પેન્શનરશ્રીઓની હયાતીની ખરાઇ ઓનલાઇન “Jeevan Pramaan“ Portal પર પણ કરી શકાય છે. જે માન્ય કરેલ છે. જેની વેબસાઇટ “www.jeevanpraman.gov.in’’ છે. એવુ વલસાડ જિલ્લા તિજોરી અધિકારીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.

Related posts

પારનેરા ડુંગર કાળીકા, ચંડીકા અને નવદુર્ગા મંદિરમાં તસ્‍કરો ઘરેણા અને દાનપેટી ચોરી ગયા

vartmanpravah

ભિલાડ ખાતે તાજેતરમાં યોજાયેલ આંતરરાષ્‍ટ્રીય આદિવાસી દિવસની ઉજવણીમાં આદિવાસીઓની જોવા મળેલી પાંખી હાજરી

vartmanpravah

ખાનવેલ પંચાયત વિસ્‍તારમાં 1000 ઝાડના રોપાઓનું વાવેતર કરાયું

vartmanpravah

મહેસાણા વડસ્‍મા સત્‍સંગ સાકેતધામ ઈન્‍સ્‍ટિટયૂટની ઘટના : વલસાડ કચીગામની યુવતીની ફાર્મસી કોલેજમાં સહાધ્‍યાયીએ કરેલી હત્‍યાઃ આરોપીની ધરપકડ

vartmanpravah

ખાનવેલ હાયર સેકન્‍ડરી સ્‍કૂલમાં અભ્‍યાસ કરતી દિવ્‍યાંગ દિકરી ધો.12ની પરીક્ષા માટે કરી રહી છે તૈયારી

vartmanpravah

કપરાડાના બાલચોંડી ગામે ‘‘શ્રીમદ્‌ શિવ ભાગવત કથા”નું આયોજન માટે ધ્‍વજારોહણના કરવામાં આવ્‍યું

vartmanpravah

Leave a Comment