Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાના પેન્શનરોની વાર્ષિક હયાતીની ખરાઇ કરાવી લેવી

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.0૪: રાજ્ય સરકારનાં પેન્શનરો/કુટુંબ પેન્શનરોને જણાવવાનું કે, સરકારશ્રીનાં નાણાં વિભાગનાં ઠરાવ ક્રમાંક : તજર/૧૦૨૦૧૪/૧૬૭૧/ઝ તા.૧૨-૦૪-૨૦૨૨માં કરેલી જોગવાઇ મુજબ પેન્શનરો/કુટુંબ પેન્શનરોની હયાતીની ખરાઇ દર વર્ષે મે માસ થી જુલાઇ માસ સુધી કરવાની હોય છે. પેન્શનર કે કુટુંબ પેન્શનર જે બેન્કમાંથી પેન્શન મેળવે છે તે બેન્કમાં રૂબરૂ જઇ હયાતીની ખરાઇ કરવાની હોય છે. જેથી હયાતી કરવા જણાવવામાં આવે છે . વધુમાં પેન્શન /કુટુંબ પેન્શનરના અવસાન બાદ શારીરિક અથવા માનસિક અશકત સંતાનોને કુંટુંબ પેન્શનનો લાભ બાબતે નાણા વિભાગના તા.૦૬/૦૪/૨૦૨૩ ના પત્રથી મંજુર કરેલ પેન્શનરોને જાણકારી મળી રહે તે માટે “પેન્શનરોને જાણવા જોગ“ સંદેશ મેળવી લેવાનો રહેશે. વધુમાં પેન્શનરશ્રીઓની હયાતીની ખરાઇ ઓનલાઇન “Jeevan Pramaan“ Portal પર પણ કરી શકાય છે. જે માન્ય કરેલ છે. જેની વેબસાઇટ “www.jeevanpraman.gov.in’’ છે. એવુ વલસાડ જિલ્લા તિજોરી અધિકારીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.

Related posts

અંતે વલસાડ-ખેરગામ રોડની કામગીરી શરૂ: સરપંચોની લડત રંગ લાવી : વન વિભાગે આડોડાઈ છોડી

vartmanpravah

ચીખલીના પીપલગભણ-એસ.પી નગર વિસ્‍તારમાંથી મળી આવેલ દીપડાના બચ્ચાંને વન વિભાગ દ્વારા સલામત સ્થળે છોડી દેવાયું

vartmanpravah

વાપી જીઆઈડીસી વિસ્‍તારમાં મોબાઈલ સ્‍નેચિંગ કરતા બે આરોપી ઝડપાયા

vartmanpravah

પ્રદેશની સળગતી સમસ્‍યા, દાનહ સાંસદ કલાબેન ડેલકરે લોકસભામાં દાનહ અને દમણ-દીવ ખાતે ભારત સરકારની ‘‘આયુષ્‍માન ભારત” યોજના બંધ હોવાની કરેલી રજૂઆત

vartmanpravah

ડેપ્‍યુટી કલેક્‍ટર સાથે યોજાયેલ વિવિધ સમાજ અને ધર્મગુરૂઓ સાથેની બેઠકમાં દમણના દરિયા કે નદીમાં પૂજા સામગ્રી કે પ્‍લાસ્‍ટિકનું વિસર્જન નહીં કરવા તાકીદ

vartmanpravah

વાપી રાજ રેસીડેન્‍સીમાં ચૈત્રી આઠમનો યજ્ઞ કરાયો

vartmanpravah

Leave a Comment