(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.0૪: રાજ્ય સરકારનાં પેન્શનરો/કુટુંબ પેન્શનરોને જણાવવાનું કે, સરકારશ્રીનાં નાણાં વિભાગનાં ઠરાવ ક્રમાંક : તજર/૧૦૨૦૧૪/૧૬૭૧/ઝ તા.૧૨-૦૪-૨૦૨૨માં કરેલી જોગવાઇ મુજબ પેન્શનરો/કુટુંબ પેન્શનરોની હયાતીની ખરાઇ દર વર્ષે મે માસ થી જુલાઇ માસ સુધી કરવાની હોય છે. પેન્શનર કે કુટુંબ પેન્શનર જે બેન્કમાંથી પેન્શન મેળવે છે તે બેન્કમાં રૂબરૂ જઇ હયાતીની ખરાઇ કરવાની હોય છે. જેથી હયાતી કરવા જણાવવામાં આવે છે . વધુમાં પેન્શન /કુટુંબ પેન્શનરના અવસાન બાદ શારીરિક અથવા માનસિક અશકત સંતાનોને કુંટુંબ પેન્શનનો લાભ બાબતે નાણા વિભાગના તા.૦૬/૦૪/૨૦૨૩ ના પત્રથી મંજુર કરેલ પેન્શનરોને જાણકારી મળી રહે તે માટે “પેન્શનરોને જાણવા જોગ“ સંદેશ મેળવી લેવાનો રહેશે. વધુમાં પેન્શનરશ્રીઓની હયાતીની ખરાઇ ઓનલાઇન “Jeevan Pramaan“ Portal પર પણ કરી શકાય છે. જે માન્ય કરેલ છે. જેની વેબસાઇટ “www.jeevanpraman.gov.in’’ છે. એવુ વલસાડ જિલ્લા તિજોરી અધિકારીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.