April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આ બ્રિજના કામ કયારે પુરા થશે વાપીની જનતાની પરીક્ષા ના લો : વાપી વિચાર મંચે હોર્ડિંગ્‍સ લગાવ્‍યા

જે ટાઈપ ઓવરબ્રિજ, મોરાઈ ઓવરબ્રિજ, ફાટક ઓવરબ્રિજ,
જકાતનાકા અંડરબ્રિજના કામ લટકી પડયા છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25: વાપીમાં કેટલાક વિકાસ કામો કાતો અટકી પડયા છે યા તો લટકી પડયા છે. વાપીની જનતાનો અવાજ આજે વાપી વિચાર મંચ દ્વારા લગાડવામાં આવેલા હોર્ડિંગ્‍સ થકી ઉઠાવવામાં આવ્‍યો છે. હોર્ડિંગ્‍સમાં બેધક સલાવ પૂછવામાં આવ્‍યો છે. આ બ્રિજ ક્‍યારે બનશે?
વાપીમાં જે તે ટાઈમે પાંચ મોટા વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત સાથે મોટા ઉપાડે શરૂ કરવામાં આવ્‍યા હતા. આ તમામ વિકાસ કાર્યો શહેરની હાર્ટ લાઈન શ્વાસ સમાન છે. જે ટાઈપ ઓવરબ્રિજ, મોરાઈ ઓવરબ્રિજ તથા જકાતનાકા અંડરબ્રીજ અને સાથે સાથે રેલવે ફાટક અંડરબ્રિજ મળી પાંચ મહત્ત્વના અને મહત્‍વાકાંક્ષી વિકાસ કાર્યો કરોડોના ખર્ચે આરંભ થયા હતા. પણ નજાણે કેમ આ તમામ પાંચેય વિકાસ કામો કાતો મંથર ગતિથી ચાલી રહ્યા છે અથવા અટકી પડયા છે. તંત્ર દ્વારા તમામ કામોમાં લાપરવાહી ચોખ્‍ખી દેખાઈ રહી છે. તેથી વાપી વિચાર મંચ દ્વારા જાહેરમાં હોર્ડિંગ્‍સ લગાવવાની નોબત આવી છે. સરકાર અને તંત્રએ વાપીની જનતાનો આદ્દ નાદ હોલ્‍ડીંગ થકી ઉજાગર કર્યો છે અને વેધક સવાલ પૂછવામાં આવ્‍યો છે. આ બ્રિજ ક્‍યારે બનશે? કારણ કે આજની વાસ્‍તવિકતા કડવી છે. તમામ કામો નોંધનીય તંત્રની બેદરકારી સાફ દેખાઈ રહી છે. કરોડો રૂપિયાનું આંધણ મુકાઈ ચૂક્‍યું છે. પરંતુ તમામ પાંચેય વિકાસ કામોનો હાલમાં લોલીપોપનો અહેસાસ લોકોને થઈ ચૂક્‍યો છે. જોવુ એ રહેશે કે વાપી વિચાર મંચની આ મુહિમ કેટલી કારગત નિવડે છે?

Related posts

વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.કરણરાજ વાઘેલાના અધ્‍યક્ષસ્‍થાને સાયબર ક્રાઈમ અંગે પ્રેસ કોન્‍ફરન્‍સ યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લાના તલાટીઓની નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ સાથે યોજાયેલ મીટિંગ સફળ રહી : હડતાલ સમેટાઈ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ઘોઘલા-બુચરવાડા ખાતે બની રહેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાની કરેલી મુલાકાતઃ ગુણવત્તા અને સુવિધા સુધારવા આપેલું અલ્‍ટીમેટમ

vartmanpravah

‘એક યુદ્ધ નશે કે વિરૂદ્ધ’ અભિયાન અંતર્ગત દાદરા નગર હવેલી જિલ્લા કલેક્‍ટરને ઉત્‍કૃષ્‍ટ પ્રદર્શન માટે રાષ્‍ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા સન્‍માનિત કરાયા

vartmanpravah

દાનહના ઊંડાણના આદિવાસી વિસ્‍તાર દૂધની-સિંદોનીમાં ‘સેલ્‍ફ હેલ્‍પ ગૃપ’ના માધ્‍યમથી બહેનોને આત્‍મનિર્ભર બનાવવાનો સંકલ્‍પ

vartmanpravah

દાનહ શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલના નૈત્ર ચિકિત્‍સા વિભાગે હાંસલ કરી એક વધુ ઉપલબ્‍ધિ

vartmanpravah

Leave a Comment