January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં ગણેશજીની 9 ફૂટની પ્રતિમાના જાહેરનામાથી ગણેશ આયોજકોમાં નારાજગી : સિટી પો.સ્‍ટે.માં મિટિંગ યોજાઈ

11 ફૂટની શ્રીજીની મૂર્તિ વેચાણ કરતા 4 સામે ગુનો નોંધાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: આગામી સપ્‍ટેમ્‍બર મહિનાની તા.19 થી ગણેશ મહોત્‍સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે તે પહેલાં કલેક્‍ટરે બહાર પાડેલ 9 ફૂટની પ્રતિચમાના જાહેરનામા અંગે વલસાડના ગણેશ મહોત્‍સવ આયોજકો અને ડી.જે. સંચાલકોમાં ભારે નારાજગી પ્રસરી જવા પામી છે તે સંદર્ભે આજે વલસાડ સિટી પોલીસ સ્‍ટેશનમાં ગણેશ આયોજકોની મિટિંગ પોલીસ દ્વારા યોજવામાં આવી હતી.
ગણેશ મહોત્‍સવામં 9 ફૂટથી ઊંચી પ્રતિમા નહીં સ્‍થાપી શકાય એવું જાહેરનામું વલસાડ કલેક્‍ટર દ્વારા બાહર પાડવાની સાથે જ ગણેશ આયોજકો અને ભાવિકો દ્વારા વિરોધ કરવામાં આવ્‍યો છે. આજે વલસાડ સિટી પો.સ્‍ટે.માં ડી.વાય.એસ.પી. એ.કે. વર્માની અધ્‍યક્ષતામાં ગણેશ મંડળ આયોજકોની મિટિંગ યોજાઈ હતી.જેમાં પોલીસે આયોજન અંગેની ગાઈડલાઈનનું પાલન કરવા જણાવ્‍યું હતું. રાતે 10 વાગ્‍યા પહેલા ગણેશ સ્‍થાપના કરવાની રહેશે અને વિસર્જન અંગે નિયમોનું પાલન કરવું પડશે. મિટિંગમાં પાલિકા પૂર્વ પ્રમુખ રાજુ મરચાએ 9 ફૂટની પ્રતિમાનો નિયમનો વિરોધ કર્યો હતો. મૂર્તિના ઓર્ડર ચાર પાંચ મહિના પહેલા અપાઈ ચૂક્‍યા છે. બીજુ ચાલુ જાહેરનામું ભૂતકાળમાં પણ કેન્‍સલ કરાયેલું જ છે તેવું જણાવ્‍યું હતું. જો કે પોલીસ મક્કમ છે. વલસાડમાં 11 ફૂટની શ્રીજી મૂર્તિ વેચાણ કરી રહેલ ચાર સામે ગુનો નોંધ્‍યો છે. તેથી 9 ફૂટની પ્રતિમા વિવાદ વધુ ઉગ્ર બને એવુ લાગે છે. મિટિંગમાં 40 ઉપરાંત ગણેશ આયોજકો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ચીખલી તથા ખેરગામ પોલીસ લાઈન ખાતે કુલ રૂા.12.48 કરોડના ખર્ચે નવનિર્મિત 65 પોલીસ આવાસોનું લોકાર્પણ કરતા ગૃહ રાજ્‍યમંત્રી હર્ષભાઈ સંઘવી

vartmanpravah

વલસાડમાં જયેષ્ઠ નાગરિક મંડળની વાર્ષિક સભા યોજાઈ: 75 વર્ષથી વધુ વયના પેન્‍શનર્સનું સન્‍માન કરાયુ

vartmanpravah

તા.૧પ થી ૨૮ જુલાઇ દરમિયાન એસ.એસ.સી./ એચ.એસ.સી. રીપીટર/ખાનગી/પૃથ્થમક વિદ્યાર્થીઓની – પરીક્ષા યોજાશે

vartmanpravah

લ્‍યો કરો વાત…દુધનીના ચોકીપાડા ખાતે સ્‍મશાન સુધી જવાના રસ્‍તાનું કામ છેલ્લા 39 વર્ષથી પડતર : શાસન-પ્રશાસને પણ નહીં સાંભળતા છેલ્લે લોકશક્‍તિએ બનાવેલો કાચો રસ્‍તો

vartmanpravah

ચીખલી તાલુકા પંચાયતની યોજાયેલ ખાસ કારોબારી સમિતિની બેઠકમાં નાણાંપંચના રૂ.3.75 કરોડના તાલુકા વિકાસ પ્‍લાનના આયોજનને મંજૂરી

vartmanpravah

ચીખલી-વાંસદા ધોરીમાર્ગ પર જનતાના લાખો રૂપિયાના ખર્ચે બનાવેલા (થર્મો પ્‍લાસ્‍ટ) સફેદ રંગના પટ્ટા ઉપર જામેલા ધૂળના ઢગલાં: નિંદ્રાધિન તંત્ર ક્‍યારે જાગશે?

vartmanpravah

Leave a Comment