Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં ગણેશજીની 9 ફૂટની પ્રતિમાના જાહેરનામાથી ગણેશ આયોજકોમાં નારાજગી : સિટી પો.સ્‍ટે.માં મિટિંગ યોજાઈ

11 ફૂટની શ્રીજીની મૂર્તિ વેચાણ કરતા 4 સામે ગુનો નોંધાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: આગામી સપ્‍ટેમ્‍બર મહિનાની તા.19 થી ગણેશ મહોત્‍સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે તે પહેલાં કલેક્‍ટરે બહાર પાડેલ 9 ફૂટની પ્રતિચમાના જાહેરનામા અંગે વલસાડના ગણેશ મહોત્‍સવ આયોજકો અને ડી.જે. સંચાલકોમાં ભારે નારાજગી પ્રસરી જવા પામી છે તે સંદર્ભે આજે વલસાડ સિટી પોલીસ સ્‍ટેશનમાં ગણેશ આયોજકોની મિટિંગ પોલીસ દ્વારા યોજવામાં આવી હતી.
ગણેશ મહોત્‍સવામં 9 ફૂટથી ઊંચી પ્રતિમા નહીં સ્‍થાપી શકાય એવું જાહેરનામું વલસાડ કલેક્‍ટર દ્વારા બાહર પાડવાની સાથે જ ગણેશ આયોજકો અને ભાવિકો દ્વારા વિરોધ કરવામાં આવ્‍યો છે. આજે વલસાડ સિટી પો.સ્‍ટે.માં ડી.વાય.એસ.પી. એ.કે. વર્માની અધ્‍યક્ષતામાં ગણેશ મંડળ આયોજકોની મિટિંગ યોજાઈ હતી.જેમાં પોલીસે આયોજન અંગેની ગાઈડલાઈનનું પાલન કરવા જણાવ્‍યું હતું. રાતે 10 વાગ્‍યા પહેલા ગણેશ સ્‍થાપના કરવાની રહેશે અને વિસર્જન અંગે નિયમોનું પાલન કરવું પડશે. મિટિંગમાં પાલિકા પૂર્વ પ્રમુખ રાજુ મરચાએ 9 ફૂટની પ્રતિમાનો નિયમનો વિરોધ કર્યો હતો. મૂર્તિના ઓર્ડર ચાર પાંચ મહિના પહેલા અપાઈ ચૂક્‍યા છે. બીજુ ચાલુ જાહેરનામું ભૂતકાળમાં પણ કેન્‍સલ કરાયેલું જ છે તેવું જણાવ્‍યું હતું. જો કે પોલીસ મક્કમ છે. વલસાડમાં 11 ફૂટની શ્રીજી મૂર્તિ વેચાણ કરી રહેલ ચાર સામે ગુનો નોંધ્‍યો છે. તેથી 9 ફૂટની પ્રતિમા વિવાદ વધુ ઉગ્ર બને એવુ લાગે છે. મિટિંગમાં 40 ઉપરાંત ગણેશ આયોજકો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપીમાં બે દિવસીય સામુહિક સફાઈનું અભિયાન નગરપાલિકા દ્વારા હાથ ધરાયું

vartmanpravah

જર જમીનને જોરું ત્રણેય કજીયાના છોરું: રોહિણામાં ઘર બનાવવા પૈસા માંગનારા પુત્રને પિતાએ કુહાડીથીફ રહેંસી નાખ્‍યો

vartmanpravah

દમણ-દીવના 63મા મુક્‍તિ દિવસના પ્રદેશ ભાજપના કાર્યક્રમમાં એકત્રિત મોટી ભીડઃ શ્રમિકોની હાજરીએ બેવડાવેલો ઉત્‍સાહ

vartmanpravah

વલસાડ પારડી સાંઢપોર ગ્રામ પંચાયતનો પ્રશંસનીય નવતર પ્રયોગ : 48 એપાર્ટમેન્‍ટનું પાણી બોરીંગમાં ઉતારાશે

vartmanpravah

નીતિ આયોગના સીઈઓ અને જી-20 શેરપા અમિતાભ કાંતે NIFT દમણ ખાતે અંતિમ સેમેસ્‍ટરના વિદ્યાર્થીઓને પરીક્ષાના ભાગરૂપે પ્રદર્શિત ડિઝાઈન સ્‍થાપન ઉપર આપેલું મનનીય વક્‍તવ્‍ય

vartmanpravah

દાનહમાં ધોરણ-10 અને 1રના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment