11 ફૂટની શ્રીજીની મૂર્તિ વેચાણ કરતા 4 સામે ગુનો નોંધાયો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.01: આગામી સપ્ટેમ્બર મહિનાની તા.19 થી ગણેશ મહોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે તે પહેલાં કલેક્ટરે બહાર પાડેલ 9 ફૂટની પ્રતિચમાના જાહેરનામા અંગે વલસાડના ગણેશ મહોત્સવ આયોજકો અને ડી.જે. સંચાલકોમાં ભારે નારાજગી પ્રસરી જવા પામી છે તે સંદર્ભે આજે વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં ગણેશ આયોજકોની મિટિંગ પોલીસ દ્વારા યોજવામાં આવી હતી.
ગણેશ મહોત્સવામં 9 ફૂટથી ઊંચી પ્રતિમા નહીં સ્થાપી શકાય એવું જાહેરનામું વલસાડ કલેક્ટર દ્વારા બાહર પાડવાની સાથે જ ગણેશ આયોજકો અને ભાવિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. આજે વલસાડ સિટી પો.સ્ટે.માં ડી.વાય.એસ.પી. એ.કે. વર્માની અધ્યક્ષતામાં ગણેશ મંડળ આયોજકોની મિટિંગ યોજાઈ હતી.જેમાં પોલીસે આયોજન અંગેની ગાઈડલાઈનનું પાલન કરવા જણાવ્યું હતું. રાતે 10 વાગ્યા પહેલા ગણેશ સ્થાપના કરવાની રહેશે અને વિસર્જન અંગે નિયમોનું પાલન કરવું પડશે. મિટિંગમાં પાલિકા પૂર્વ પ્રમુખ રાજુ મરચાએ 9 ફૂટની પ્રતિમાનો નિયમનો વિરોધ કર્યો હતો. મૂર્તિના ઓર્ડર ચાર પાંચ મહિના પહેલા અપાઈ ચૂક્યા છે. બીજુ ચાલુ જાહેરનામું ભૂતકાળમાં પણ કેન્સલ કરાયેલું જ છે તેવું જણાવ્યું હતું. જો કે પોલીસ મક્કમ છે. વલસાડમાં 11 ફૂટની શ્રીજી મૂર્તિ વેચાણ કરી રહેલ ચાર સામે ગુનો નોંધ્યો છે. તેથી 9 ફૂટની પ્રતિમા વિવાદ વધુ ઉગ્ર બને એવુ લાગે છે. મિટિંગમાં 40 ઉપરાંત ગણેશ આયોજકો ઉપસ્થિત રહ્યા હતા.