April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે સુરક્ષાલક્ષી ગાઈડલાઈન બહાર પાડવામાં આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.12: ગુજરાત રાજ્‍ય આપત્તિ વ્‍યવસ્‍થાપન સત્તામંડળ અને વલસાડ જિલ્લા ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ દ્વારા ઉતરાયણ પર્વ-2023 સંદર્ભેની ઉજવણીને ધ્‍યાનમાં લઈ લોકોની સુરક્ષા અને અકસ્‍માતો ના થાય તે માટે કેટલાક જરૂરી સૂચનો કર્યા છે. ઉતરાયણ પર્વમાં ઘણીવાર દોરીથી કપાવાની ઘટના, વીજ કરંટ લાગવાની ઘટના કે ધાબા પરથી પડી જવા જેવા અક્‍સ્‍માતો થાય છે જેને અટકાવવા માટે નિવાસી અધિક કલેક્‍ટરશ્રીએ. આર. ઝાએ નીચે મુજબની સાવચેતીઓ રાખવા જણાવ્‍યું છેઃ
ઉતરાયણ સમયે આટલું કરો…
(1) પ્રાથમિક સારવાર કિટ તૈયાર રાખો, (2) માણસો, પશુઓ, વાહનોથી સાવચેત રહો (3) પતંગ ચગાવવા ધાબાની પાળીની ઉંચાઈ પૂરતી છે કે નહી તેની ખાતરી કરો (4) માથા પરથી પસાર થતા વીજળીના તારથી દૂર રહો (5) ધાબા કે અગાશી કરતાં ખુલ્લા મેદાનમાં પતંગ ચગાવવાનું પસંદ કરો (6) પતંગ ચગાવતા બાળકોની વાલીઓએ દેખરેખ રાખવી, (7) ત્રણ ‘સ’ યાદ રાખો સમજદારી, સદભાવ, સાવચેતી (8) સવારે 6 થી 8 અને સાંજે 5 થી 7 વાગ્‍યાના ગાળામાં પક્ષીઓ આકાશમાં વધુ પ્રમાણમાં વિહરતા હોવાથી આ સમયગાળામાં પતંગ ચગાવવાનું ટાળો.
ઉતરાયણ સમયે આટલું ન કરો…
(1) સિન્‍થેટિક વસ્‍તુ/પ્‍લાસ્‍ટિકના ઉપયોગથી બનેલી કે ચાઈનીઝ દોરીનો ઉપયોગ (2) વીજળીના તારમાં ફસાયેલા કે સબસ્‍ટેશનમાં પડેલા પતંગને પાછો મેળવવાની લાલચ ન કરો (3) લૂઝ કપડાં ન પહેરવા (4) ગીચ વિસ્‍તારોમાં પતંગ ન ચગાવવા (5) મકાનની ઢાળવાળી છત ઉપર પતંગ ના ચગાવવા (6) કપાયેલા પતંગને લેવા માટે છત ઉપર દોડવું નહી (7) થાંભલા કે મકાનમાં ફસાયેલા પતંગને પાછો મેળવવા પથ્‍થર ફેંકવો નહીં
કોઈપણ દુર્ઘટના કે આપત્તિના સમયે કંટ્રોલ રૂમ ટોલ ફ્રીનં.02632-243238, ઈમરજાન્‍સી ટોલ ફ્રી નં.108 અને કરૂણા અભિયાન ટોલ ફ્રી નં.1962 ઉપર સંપર્ક કરી શકાશે.

Related posts

‘એક નયી પહેલ આપકે સાથ’ સંસ્‍થા દ્વારા પ્રદેશમાં ચાર વર્ષમા 2050 વૃક્ષોના છોડોનું કરેલું વાવેતર

vartmanpravah

ભાજપ દ્વારા આયોજીત ‘સંવિધાન ગૌરવ અભિયાન’ અંતર્ગત આયોજીત કાર્યક્રમમાં આજે સેલવાસના આંબેડકર નગર ખાતે રાજ્યસભાના સાંસદ અને યુ.પી. સરકારના પૂર્વ ડી.જી.પી. બ્રીજ લાલ માર્ગદર્શન આપશે

vartmanpravah

ચીખલીના સુરખાઈ ખાતે રવિકૃષિ મહોત્‍સવમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના ફાયદાઓથી માહિતગાર કરી પ્રાકળતિક ખેતી અપનાવવા માટે પ્રોત્‍સાહિત કરાયા

vartmanpravah

સંઘપ્રદેશની કન્‍યાઓ ડ્રાઈવીંગની તાલીમ લઈ સ્‍વનિર્ભર બનશે : પ્રશાસનનો નવતર પ્રયોગ

vartmanpravah

વલસાડ જિલ્લાના સરકારી કર્મચારીઓ પ્રત્‍યેક શનિવારે ઓફિસે ચાલતા કે સાયકલથી જશે તેવા નિર્ણયનો ફિયાસ્‍કો

vartmanpravah

ધરમપુરમાં નરાધમ બાપે સગીર દિકરી સાથે અડપલા કર્યા : નિર્લજ્જ બાપની ધરપકડ

vartmanpravah

Leave a Comment