Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે સુરક્ષાલક્ષી ગાઈડલાઈન બહાર પાડવામાં આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.12: ગુજરાત રાજ્‍ય આપત્તિ વ્‍યવસ્‍થાપન સત્તામંડળ અને વલસાડ જિલ્લા ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ દ્વારા ઉતરાયણ પર્વ-2023 સંદર્ભેની ઉજવણીને ધ્‍યાનમાં લઈ લોકોની સુરક્ષા અને અકસ્‍માતો ના થાય તે માટે કેટલાક જરૂરી સૂચનો કર્યા છે. ઉતરાયણ પર્વમાં ઘણીવાર દોરીથી કપાવાની ઘટના, વીજ કરંટ લાગવાની ઘટના કે ધાબા પરથી પડી જવા જેવા અક્‍સ્‍માતો થાય છે જેને અટકાવવા માટે નિવાસી અધિક કલેક્‍ટરશ્રીએ. આર. ઝાએ નીચે મુજબની સાવચેતીઓ રાખવા જણાવ્‍યું છેઃ
ઉતરાયણ સમયે આટલું કરો…
(1) પ્રાથમિક સારવાર કિટ તૈયાર રાખો, (2) માણસો, પશુઓ, વાહનોથી સાવચેત રહો (3) પતંગ ચગાવવા ધાબાની પાળીની ઉંચાઈ પૂરતી છે કે નહી તેની ખાતરી કરો (4) માથા પરથી પસાર થતા વીજળીના તારથી દૂર રહો (5) ધાબા કે અગાશી કરતાં ખુલ્લા મેદાનમાં પતંગ ચગાવવાનું પસંદ કરો (6) પતંગ ચગાવતા બાળકોની વાલીઓએ દેખરેખ રાખવી, (7) ત્રણ ‘સ’ યાદ રાખો સમજદારી, સદભાવ, સાવચેતી (8) સવારે 6 થી 8 અને સાંજે 5 થી 7 વાગ્‍યાના ગાળામાં પક્ષીઓ આકાશમાં વધુ પ્રમાણમાં વિહરતા હોવાથી આ સમયગાળામાં પતંગ ચગાવવાનું ટાળો.
ઉતરાયણ સમયે આટલું ન કરો…
(1) સિન્‍થેટિક વસ્‍તુ/પ્‍લાસ્‍ટિકના ઉપયોગથી બનેલી કે ચાઈનીઝ દોરીનો ઉપયોગ (2) વીજળીના તારમાં ફસાયેલા કે સબસ્‍ટેશનમાં પડેલા પતંગને પાછો મેળવવાની લાલચ ન કરો (3) લૂઝ કપડાં ન પહેરવા (4) ગીચ વિસ્‍તારોમાં પતંગ ન ચગાવવા (5) મકાનની ઢાળવાળી છત ઉપર પતંગ ના ચગાવવા (6) કપાયેલા પતંગને લેવા માટે છત ઉપર દોડવું નહી (7) થાંભલા કે મકાનમાં ફસાયેલા પતંગને પાછો મેળવવા પથ્‍થર ફેંકવો નહીં
કોઈપણ દુર્ઘટના કે આપત્તિના સમયે કંટ્રોલ રૂમ ટોલ ફ્રીનં.02632-243238, ઈમરજાન્‍સી ટોલ ફ્રી નં.108 અને કરૂણા અભિયાન ટોલ ફ્રી નં.1962 ઉપર સંપર્ક કરી શકાશે.

Related posts

વાપી થર્ડફેઝમાં મોબાઈલ રીચાર્જ કરાવી માલિકે પૈસા માંગતા ધમકી આપતા ફરિયાદ નોંધાઈ

vartmanpravah

રોટરી ક્‍લબ દાનહના પ્રેસિડન્‍ટ અને સભ્‍યોએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સાથે કરી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

‘આદિત્‍ય એન.જી.ઓ.’ દ્વારા 2 માર્ચથી નરોલી બાલેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે શિવકથાનું આયોજન

vartmanpravah

‘‘રામ દ્વાર શ્રી પીઠ” માં હનુમાન જયંતિની ઉજવણી

vartmanpravah

સમરોલી સ્‍વામિનારાયણ સ્‍કૂલ સીબીએસઈનું ધો.12 વિજ્ઞાન પ્રવાહ અને ધો.10નું 100 ટકા પરિણામ

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના સક્ષમ નેતૃત્‍વ અને માર્ગદર્શન હેઠળ દમણના કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવે જરૂરિયાતમંદ મહિલાઓને આત્‍મનિર્ભર બનાવવા શરૂ કરેલું અભિયાન

vartmanpravah

Leave a Comment