નરોલીના યોગેશ સોલંકી અને આદિત્ય એનજીઓના પ્રમુખ જુલીબેનસોલંકીએ એમની ટીમ સાથે એસએચઓ સ્વાનંદ ઈનામદારનું સ્વાગત કર્યું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.18: નરોલી ખાતે આવેલ પોલીસ સ્ટેશન પહેલા આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન તરીકે જાણીતું હતું. પરંતુ હવે આ પોલીસ સ્ટેશનને નરોલી પોલીસ મથક તરીકે જાહેર કરેલ છે. ત્યારે આ નરોલી પોલીસ મથકના એસએચઓ તરીકે શ્રી સ્વાનંદ ઈનામદારની નિયુક્તિ કરવામાં અવેલ છે. જે બદલ નરોલી ભાજપા મંડળ પ્રમુખ અને ગ્રામ પંચાયત સદસ્ય શ્રી યોગેશસિંહ સોલંકી અને આદિત્ય એનજીઓના પ્રમુખ શ્રીમતી જુલીબેન સોલંકીની ટીમ દ્વારા નરોલી પોલીસ સ્ટેશન ખાતે જઇ ફરજ ઉપર આવેલ એસએચઓ શ્રી સ્વાનંદ ઈનામદારનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં દાદર નગર હવેલી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રીમતી વંદનાબેન પટેલ અને નરોલીના સરપંચ શ્રીમતી લીનાબેન પટેલ તેમજ નરોલી પંચાયત સદસ્યો, ગામના અગ્રણીઓ અને કમિટિના સદસ્યો હાજર રહ્યા હતાં.