Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નરોલી પોલીસ સ્‍ટેશન ખાતે એસએચઓ સ્‍વાનંદ ઈનામદારનું કરાયું ભવ્‍ય સ્‍વાગત

નરોલીના યોગેશ સોલંકી અને આદિત્‍ય એનજીઓના પ્રમુખ જુલીબેનસોલંકીએ એમની ટીમ સાથે એસએચઓ સ્‍વાનંદ ઈનામદારનું સ્‍વાગત કર્યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.18: નરોલી ખાતે આવેલ પોલીસ સ્‍ટેશન પહેલા આઉટ પોસ્‍ટ પોલીસ સ્‍ટેશન તરીકે જાણીતું હતું. પરંતુ હવે આ પોલીસ સ્‍ટેશનને નરોલી પોલીસ મથક તરીકે જાહેર કરેલ છે. ત્‍યારે આ નરોલી પોલીસ મથકના એસએચઓ તરીકે શ્રી સ્‍વાનંદ ઈનામદારની નિયુક્‍તિ કરવામાં અવેલ છે. જે બદલ નરોલી ભાજપા મંડળ પ્રમુખ અને ગ્રામ પંચાયત સદસ્‍ય શ્રી યોગેશસિંહ સોલંકી અને આદિત્‍ય એનજીઓના પ્રમુખ શ્રીમતી જુલીબેન સોલંકીની ટીમ દ્વારા નરોલી પોલીસ સ્‍ટેશન ખાતે જઇ ફરજ ઉપર આવેલ એસએચઓ શ્રી સ્‍વાનંદ ઈનામદારનું ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. જેમાં દાદર નગર હવેલી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રીમતી વંદનાબેન પટેલ અને નરોલીના સરપંચ શ્રીમતી લીનાબેન પટેલ તેમજ નરોલી પંચાયત સદસ્‍યો, ગામના અગ્રણીઓ અને કમિટિના સદસ્‍યો હાજર રહ્યા હતાં.

Related posts

વલસાડ ગુંદલાવ ગ્રામ પંચાયત ખાતે રક્‍તદાન શિબિરમાં 111 રક્‍તબેગ એકત્ર કરાઈ

vartmanpravah

વલસાડ રેલવે સ્‍ટેશને મોડી રાતે ટ્રેન અડફેટમાં આવી જતા બે યુવાનોના ઘટના સ્‍થળે મોત

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેએ કોચવાડા ગામમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતની મુલાકાત લીધી

vartmanpravah

સેલવાસમાં બે સ્‍થળોએ બનેલી આગની ઘટના સેલવાસની એકદંત સોસાયટીની દુકાનમાં ભડકી ઉઠેલી આગ જ્‍યારે અથોલા ગામમાં એક ભંગારના ગોડાઉનમાં જમીન માલિકે લગાવેલી આગ

vartmanpravah

ગણદેવી-176 વિધાનસભાની બેઠક માટે ભાજપ-6, કોંગ્રેસ-3 અને આપ-2 મળી 3 દિવસમાં 11 ઉમેદવારી પત્રકો લઈ જવાયા

vartmanpravah

અયોધ્‍યામાં શ્રી રામ ભગવાનના પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ સાથે સંઘપ્રદેશમાં સર્વત્ર શ્રી રામ નામનો શંખનાદ

vartmanpravah

Leave a Comment