April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ગુંજનમાં ઊંડી ગટરમાં ફસાઈ ગયેલ શ્વાન બચ્‍ચાને રેસ્‍કયુ કરી ઉગારાયું

જીવદયા ગ્રુપ અને જીઆઈડીસી ફાયર ટીમની પ્રસંશનીય કામગીરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: આજ રોજ છેલ્લા અઠવાડિયાથી જ્ઞાન ધામ સ્‍કૂલ ગુંજનની સામે આવેલ ગટર લાઈનમાં ફસાયેલા શ્વાનના બચ્‍ચાંને વાપી જી.આઈ.ડી.સી. ફાયર વિભાગ, જીવદયા પ્રેમી હિતેશ રાઠોડ, વર્ધમાન શાહ અને ધવલ ઠાકુરના સહયોગથી કાઢી લેવાયું.
છેલ્લા અઠવાડિયાથી શ્વાનનું બચ્‍ચૂ ગટર લાઈનમાં ફસાયેલું હતું જે દર રોજ ભૂખના કારણે બૂમો પાડતું હતું પરંતુ તપાસ કરતા તે મળતું નહતું, ગટર લાઈન લગભગ 500 મીટર લાંબી હોવાથીબચુ કયાં સંતાઈ રહેતું એ જણાતું ના હતું, દરરોજ ગટરના ઢાંકણા ખોલી તેની તપાસ કરવામાં આવતી પણ મળતું ન હતું, આજ રોજ બચુ નજરે ચઢતા તરત જ સ્‍થળે પહોંચી જઈ તેને કાઢવાના પ્રયાસો કર્યા પરંતુ બચુ ડરના કારણે પાસે આવતું ન હતું અને ભૂખ ન કારણે તે બહાર જાતે નીકળવામાં અસમર્થ હતો, જ્‍યાં ફસાયું હતું તે ગટર લાઈનને બંને બાજુથી બંધ કરી દેવામાં આવી અને વાપી જીઆઈડીસી ફાયર વિભાગની ટીમની મદદથી લગભગ 2 કલાકની મહામહેનતે બચ્‍ચાંને જીવદયા પ્રેમી હિતેશ રાઠોડ અને વર્ધમાન શાહ દ્વારા સહી સલામત બહાર કાઢી લેવાયું.

Related posts

ઉમરગામ તાલુકા પંચાયતના સભાખંડમાં મળેલી સમીક્ષા બેઠક

vartmanpravah

દાનહ કોંગ્રેસ નેતા પ્રભુભાઈ ટોકિયાએ પ્રદેશના ચર્ચાસ્‍પદ બનેલા લેન્‍ડલેસ પ્‍લોટ કૌભાંડની સીબીઆઈ કેમ્‍પમાં માંગેલી તપાસ

vartmanpravah

વલસાડ જિલ્લા અને સંઘપ્રદેશમાં સામાજીક સંસ્‍થાઓ પાઠય પુસ્‍તક બેંક કાર્યરત કરવા માટે આગળ આવે

vartmanpravah

આજે સેલવાસમાં ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ના ઉપક્રમે મૌન રેલીનું આયોજન પેટાઃ સાંજે પાંચ વાગ્‍યે સેલવાસ કલેક્‍ટરાલયથી કિલવણી નાકા થઈ કલા કેન્‍દ્ર ખાતે મૌન રેલી પહોંચશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા. 13 14મી ઓગસ્‍ટ, 2022ના રોજ સમગ્ર ભારતભરમાં ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ (પાર્ટીશન હોરરર્સ રેમમ્‍બ્રેસ ડે) મનાવવામાં આવશે. જેના ઉપલક્ષમાં દાદરા નગર હવેલીના સેલવાસમાં પણ જિલ્લા પ્રશાસન દ્વારા ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ મનાવવામાં આવશે. ભારતનીઆઝાદીની પૂર્વ સંધ્‍યાએ 14મી ઓગસ્‍ટ, 1947ના રોજ પાકિસ્‍તાનનું સર્જન થતાં ત્‍યાં રહેતા હજારો બિન મુસ્‍લિમોને હિજરત કરવાની ફરજ પડી હતી, અને તેમને વિસ્‍થાપિત થવા પડયું હતું. આ કાળા દિવસને યાદ કરી તેમાં શહિદ થયેલા પરિવારની સ્‍મરાંજલિ માટે ભારત સરકાર દ્વારા ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ મનાવવાનો પ્રારંભ આઝાદીના અમૃત વર્ષથી કરાયો છે. આવતી કાલે સેલવાસ ખાતે સાંજે 5:00 વાગ્‍યે એક મૌન યાત્રા નિકળશે. જે સેલવાસ કલેક્‍ટરાલયથી કિલવણી નાકા થઈ કલા કેન્‍દ્ર ખાતે પહોંચશે. જ્‍યાં 14 થી 16 ઓગસ્‍ટ દરમિયાન ‘વિભાજનની ભયાનકતા’ પ્રદર્શિત કરતું પ્રદર્શન લોકો માટે 3 દિવસ સુધી ખુલ્લુ રહેશે. સેલવાસના રેસિડેન્‍ટ ડેપ્‍યુટી કલેક્‍ટર સુશ્રી ચાર્મી પારેખે આમજનતાને આવતી કાલે સફેદ અથવા હલકા રંગના વષા પરિધાન કરે તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આગેવાનો આ અભિયાનમાં સામેલ થઈ મૌન યાત્રામાં ભાગ લેવા આહ્‌વાન કર્યું છે.

vartmanpravah

આજે દીવ ન.પા.ના 7 વોર્ડ માટે ચૂંટણીઃ મતદારોમાં ઉત્‍સાહનો અભાવ

vartmanpravah

વલસાડના પાલણ, અતુલ, રોણવેલ, કુંડી અને ધરમપુરના આસુરા પેટા આરોગ્ય કેન્દ્રને NQAS પ્રમાણપત્ર એનાયત

vartmanpravah

Leave a Comment