July 18, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ વન વિભાગ દ્વારા ઉમરકુઇના બેહરૂન પાડામાં ‘લાઈફ સ્‍ટાઇલ ફોર ધ એન્‍વાયરોમેન્‍ટ’ પહેલ અંતર્ગત જાગૃતિ શિબિર યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.11 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ વન વિભાગ દ્વારા ‘લાઈફ સ્‍ટાઇલ ફોર ધ એન્‍વાયરોમેન્‍ટ’ પહેલ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ઉપલક્ષમાં આજે ઉમરકુઈના બેહરૂન પાડા ખાતે ગ્રામજનો માટે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં વન વિભાગના અધિકારીઓ દ્વારા ગ્રામજનોને પર્યાવરણનું રક્ષણ કરવા અંગે વિસ્‍તારથી સમજ આપવામાં આવી હતી.
અત્રે યાદ રહે કે, વર્ષ 2021ના સ્‍કોટલેન્‍ડના ગ્‍લાસગો ખાતે સંયુક્‍ત રાષ્‍ટ્રદ્વારા આયોજીત 26મા ‘જળવાયુ પરિવર્તન’ સમ્‍મેલન દરમ્‍યાન ભારત દ્વારા ‘લાઈફ સ્‍ટાઈલ ફોર ધ એન્‍વાયરોમેન્‍ટ’ અભિયાનનો વિચાર રજૂ કરવામાં આવ્‍યો હતો. આ પહેલ પર્યાવરણ પ્રત્‍યે જાગરૂક જીવનશૈલીને પ્રોત્‍સાહન આપે છે જે મનુષ્‍ય અને વિનાશકારી ખપતની જગ્‍યાએ મનુષ્‍ય અને જાણીજોઈને ઉપયોગ પર કેન્‍દ્રિત છે તેના સારા-નરસા પરિણામની માહિતી બાબતે ગત 5મી મે, 2023થી 5મી જૂન સુધી વનવિભાગ દ્વારા વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આગામી 14મી મે, 2023 રવિવારે સાયક્‍લોથોન, 20મી મેના રોજ નાઈટ કેમ્‍પ, 4થી જૂનના રોજ વોકેથોન અને 5મી જૂનના ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન નિર્ધારિત કરવામાં આવ્‍યું છે.

Related posts

વલસાડના તિથલમાં યુનિયન બેંકના સંકુલમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક બોડનું ધોરણ 12 સામાન્‍ય પ્રવાહનું દમણનું 88.49 અને દીવનું 94.86 ટકા આવેલું પરિણામ

vartmanpravah

સૌરાષ્‍ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્‍સવના છઠ્ઠા નોરતે ખેલૈયાઓ ઝુમી ઉઠયા

vartmanpravah

નાની દમણ દુણેઠાની ડમ્‍પિંગ સાઈટ ઉપર કચરાના ઢગલામાં આગ લાગતાં તંત્ર હરકતમાં: આગને કાબુમાં લેવા કોશિષ જારી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં દમણમાં ‘વિભાજનની ભયાનકતા’ના સ્‍મરણ દિવસ નિમિત્તે યોજાયેલ મૌન રેલી

vartmanpravah

‘પ્રધાનમંત્રી ટીબી મુક્‍ત ભારત’ અભિયાન અંતર્ગત રાંધા ગામમાં પોષણ કીટનું કરાયેલું વિતરણ

vartmanpravah

Leave a Comment