April 29, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ વન વિભાગ દ્વારા ઉમરકુઇના બેહરૂન પાડામાં ‘લાઈફ સ્‍ટાઇલ ફોર ધ એન્‍વાયરોમેન્‍ટ’ પહેલ અંતર્ગત જાગૃતિ શિબિર યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.11 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ વન વિભાગ દ્વારા ‘લાઈફ સ્‍ટાઇલ ફોર ધ એન્‍વાયરોમેન્‍ટ’ પહેલ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ઉપલક્ષમાં આજે ઉમરકુઈના બેહરૂન પાડા ખાતે ગ્રામજનો માટે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં વન વિભાગના અધિકારીઓ દ્વારા ગ્રામજનોને પર્યાવરણનું રક્ષણ કરવા અંગે વિસ્‍તારથી સમજ આપવામાં આવી હતી.
અત્રે યાદ રહે કે, વર્ષ 2021ના સ્‍કોટલેન્‍ડના ગ્‍લાસગો ખાતે સંયુક્‍ત રાષ્‍ટ્રદ્વારા આયોજીત 26મા ‘જળવાયુ પરિવર્તન’ સમ્‍મેલન દરમ્‍યાન ભારત દ્વારા ‘લાઈફ સ્‍ટાઈલ ફોર ધ એન્‍વાયરોમેન્‍ટ’ અભિયાનનો વિચાર રજૂ કરવામાં આવ્‍યો હતો. આ પહેલ પર્યાવરણ પ્રત્‍યે જાગરૂક જીવનશૈલીને પ્રોત્‍સાહન આપે છે જે મનુષ્‍ય અને વિનાશકારી ખપતની જગ્‍યાએ મનુષ્‍ય અને જાણીજોઈને ઉપયોગ પર કેન્‍દ્રિત છે તેના સારા-નરસા પરિણામની માહિતી બાબતે ગત 5મી મે, 2023થી 5મી જૂન સુધી વનવિભાગ દ્વારા વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આગામી 14મી મે, 2023 રવિવારે સાયક્‍લોથોન, 20મી મેના રોજ નાઈટ કેમ્‍પ, 4થી જૂનના રોજ વોકેથોન અને 5મી જૂનના ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન નિર્ધારિત કરવામાં આવ્‍યું છે.

Related posts

વાપીના સુલપડમાં મતદાન વધારવા માટે સ્‍વીપ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડના જલારામ મનોવિકાસ કેન્‍દ્રમાં વિશ્વ વિકલાંગ દિનની ઉજવણી કરાઈ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની ‘મન કી બાત’ કાર્યક્રમ સાથે સીધી રીતે જોડાયેલા દીવના લોકો

vartmanpravah

સેલવાસથી ખાનવેલ તરફ જતા રસ્‍તાની હાલત ચંદ્રના ધરતી જેવી: વાહનચાલકો પોકારી રહ્યા છે ત્રાહિમામ

vartmanpravah

દાનહમાં ગવર્નમેન્‍ટ હાઈસ્‍કૂલ મસાટ ખાતે યોજાનાર ‘આદિવાસી દિવસ’ની ઉજવણીના સમારંભમાં કલેક્‍ટર ભાનુ પ્રભા મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહેશે

vartmanpravah

કપરાડા તાલુકાના સિલ્‍ધા ગ્રામ પંચાયતમાં ગ્રામ સભા યોજાઈ

vartmanpravah

Leave a Comment