પત્ની નયનાબેન પટેલે આરોપીઓની ત્વરીત ધરપકડ કરવાની માંગ કરી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.12: વાપી નજીક આવેલા કોચરવા ગામે ગત સોમવારે રાતા શિવ મંદિરે સવારે 7 વાગ્યાના સુમારે સ્કોર્પિયોમાં બેઠેલા વાપી તાલુકા ભાજપ ઉપ પ્રમુખ શૈલેષ પટેલ ઉપર ફાયરિંગ કરી ઢીમ ઢાળી ચાર શકમંદો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. ઘટનાને છ દિવસ બાદ પણ આરોપી પોલીસ પકડથી દૂર છે ત્યારે શૈલેષ પટેલના ધર્મપત્નીએ આરોપીઓની ત્વરીત ધરપકડ કરવાની માંગ કરી છે.
શૈલેષ પટેલની બાઈક ઉપર આવેલા ચાર ઈસમોએ ફાયરીંગ કરી હત્યા કરી ફરાર થઈ ગયા હતા. જુની અદાવતમાં ઘટનાને અંજામ અપાયાનું બહાર આવ્યું છે. આરોપીઓની હજુ પોલીસે ધરપકડ કરી નથી તેથી શૈલેષ પટેલના ધર્મપત્ની નયનાબેન પટેલએ આરોપીઓ જો જલદી નહી પકડાય તો અમે કોર્ટનો સહારો લઈશું તેવું પણ જણાવ્યું છે. પોલીસને શકમંદોના નામ મળી ગયા છે પરંતુ કોઈ ગોપનીય કારણોસર આરોપીઓની ધરપકડ નથી કરાઈ તેથી મામલો વધુ રહસ્યમય બની રહ્યો છે.