March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી રેલવે સ્‍ટેશનથી દાદરા ચેક પોસ્‍ટ સુધી દોડતી બસ પાછળના ચાર ટાયર પૈકી ત્રણ ટાયરો વડે ચાલી રહી છે

ત્રણ દિવસ પહેલા પંચર થયેલ તે પછી બદલીમાં નવુ ટાયર નાંખવામાં આવ્‍યું નથી : ગંભીર અકસ્‍માત સર્જાવાની ભીતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: વાપી રેલવે સ્‍ટેશનથીદાદરા ચેકપોસ્‍ટ સુધી સરક્‍યુલર બસ દોડી રહી છે. આ બસમાં ત્રણ દિવસ પહેલા પાછલા એક ટાયરનું પંચર થયું હતું. પંચર માટે કાઢી લેવાયેલ ટાયર બાદ નવુ ટાયર નાખવામાં નથી આવ્‍યું તેથી પાછળના ચાર ટાયર પૈકી ત્રણ ટાયરો સાથે બસ બિંદાસ દોડાવાઈ રહી છે તેથી ગમે તે સમયે અકસ્‍માત સર્જાવાની ભીતી મુસાફરોના માથે તોળાઈ રહી છે.
વાપી રેલવે સ્‍ટેશનથી બસ નં.જીજે 15 એવાય 4893 દાદરા ચેકપોસ્‍ટ સુધી સરક્‍યુલર રૂટ દોડી રહી છે. ત્રણ દિવસ પહેલા બસના પાછળના ચાર ટાયરો પૈકી ડાભી સાઈડના એક ટાયરનું પંચર થયું હતું ત્‍યાર બાદ તેની સ્‍થાને નવુ ટાયર નાખવામાં આવ્‍યું નથી. માત્ર ત્રણ ટાયર ઉપર બસને દોડાવાઈ રહી છે. બસના મુસાફરોના જીંદગી સાથે ખુલ્લા ચેડા થયાનું દેખાઈ રહ્યું છે. ત્રણ ટાયર વાળી બસ ક્‍યારેય અકસ્‍માત સર્જી શકે છે. મોટો ખાડો કે જંપ આવે તો બસ પલટી મારી શકે તેવી ચોક્કસ શક્‍યતાઓ જોવા મળી રહી છે. બસ સંચાલકોની ગંભીર બેદરકારી સામે આવી છે. મુસાફરોની જીંદગી સાથે ચેડા થઈ રહ્યા છે તે માટે જવાબદાર કોણ?

Related posts

જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને પોષણ માસની ઉજવણીની બેઠક મળી

vartmanpravah

દાદરા નગર હવેલીમાં બે ઇંચથી વધુ વરસાદ પડયો

vartmanpravah

ચીખલીમાં વિદેશ મોકલવાના બહાને 15-જેટલા લોકો સાથે છેતરપીંડીના ગુનાના આરોપીના પાંચ દિવસના રિમાન્‍ડ મંજુર

vartmanpravah

સંઘપ્રદેશના લોકોનીઆશા-આકાંક્ષામાં પણ આવેલું પરિવર્તનઃ વિકાસ કોને કહેવાય અને વિકાસ કરવા કોણ સમર્થ તેની પણ પ્રજાજનોને પડેલી સમજ

vartmanpravah

શેર માર્કેટમાં રોકાણના નામે મસાટના યુવકે દાદરા નગર હવેલી અને પડોશના ગુજરાતના લોકોને કરોડોનો ચુનો ચોપડી ફરાર

vartmanpravah

દાદરાની હોટલ એક્‍સેલેન્‍સીમાં માલિકની હાજરીમાં વેઈટરોએ એક ગ્રાહકને માર મારવાની બનેલી ઘટના

vartmanpravah

Leave a Comment