ઓપરેશનની જરૂરીયાતવાળા દર્દીઓ મફત ઓપરેશન કરી આપવામાં આવશે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.16: અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ, આર.એન.સી. ફ્રી આઈ હોસ્પિટલ વલસાડ, પિડિલાઈટ ઈન્ડસ્ટ્રીઝ લી. તથા વિઝન ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયાના સંયુક્ત ઉપક્રમે આગામી તા.19મે શુક્રવારના રોજ પરીયા હાઈસ્કૂલ તા.પારડીમાં મફત નેત્રયજ્ઞ યોજાનાર છે.
નેત્રયજ્ઞમાં મોતિયો, ઝામર, વેલ જેવાઓપરેશનની જરૂરીયાતવાળા દર્દીઓનું નિદાન કરવામાં આવશે તેમજ જરૂરીયાતવાળા દર્દીઓનું મફત પ્રત્યારોપણ કરી આપવામાં આવશે. કેમ્પમાં જ જરૂરીયાતવાળા દર્દીઓને ઓપરેશન અંગે જાણ કરાશે. જે તે દિવસે વલસાડ આર.એન.સી. હોસ્પિટલમાં લાવવામાં આવશે. ઓપરેશન દરમિયાન વિના મુલ્યે રહેવા જમવાની સગવડ આપવામાં આવનાર છે.