Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નંદીગ્રામ ખાતે ચાલી રહેલી કુમાર સંસ્‍કાર શિબિરની પૂર્ણાહુતિ

લોહીમાં વધતી ભીની મીઠાશની ચિંતા માણસને થાય છે પણ જીભમાં વધતી તીખાશ નહીં: આચાર્ય યશોવર્મસુરિશ્વરજી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: મરચાની તીખાશે તો જીભ બાળી છે પણ જીભની તીખાસે તો જિંદગીઓ બાળી છે પણ અફસોસ છે માણસને લોહીમાં વધતી મીઠાશની ચિંતા થાય છે જીભમાં વધતી તીખાશ નહીં લોહીની મીઠાશ તો માત્ર એકને જ હેરાન કરશે પણ જીભની તીખાસ મહાભારત રચી હેરાન જ નહીં આખા પરિવારની હસ્‍તી ને નેસ્‍ત નાબૂદ કરી દીધી હતી.
મુંબઈ અમદાવાદ હાઈવે ટચ નંદીગ્રામ તીર્થે જૈન શાસનના મહાન આચાર્ય પૂજ્‍યપાદ ગુરુદેવ શ્રદ્ધે આચાર્ય ભગવાન શ્રી યશોવર્મસુરિશ્વરજી મહારાજાની પ્રભાવક નિશ્રામાં ચાલી રહેલી મુંબઈ, અમદાવાદ, સુરત, રાળ પટ્ટી મહારાષ્‍ટ્ર રાજસ્‍થાન ગુજરાતમાં ઊંમટેલી બાળકોની પાંચ દિવસીય ઐતિહાસિક કુમાર સંસ્‍કાર શિબિરની અત્‍યંત જાહોજલાલી સાથે પૂર્ણાહુતિ થઈ હતી અને અનેક ગામ નગર શહેરના ટ્રસ્‍ટીઓને બાળકોના વાલીઓ ગુરુ ભક્‍તોની ઉપસ્‍થિતિમાં સમાપન સમારંભ યોજાયો હતો. આચાર્ય મ.ને વિશાળ સંખ્‍યામાં સાધુ સાધ્‍વીજી મ. ના સાનિધ્‍યમાં રહેલી સવારથી બધા જ યુવાનોને બાલકુમારો દાદા શ્રી સીમંધર સ્‍વામીજીનાવિશાલ કાય જિનાલયમાં પૂજાના વષાોમાં અષ્ટ પ્રકારી પૂજાની વિધિને સાથે દરેક ક્ષેત્રનું જ્ઞાન અને મહત્‍વને જીવન ઉપયોગી સમજણ અપાય ને માણસથી લગાવી જૈનત્‍વના સંસ્‍કારને ખુમારીથી ભરી દેતા પ્રવચન અપાયું હતું.
જીવનનું મોરલ ટકાવી રાખવાની વાતો માતા-પિતાને દુઃખી ન કરવાના સંકલ્‍પ જબરજસ્‍ત થયેલા ઘડતરને પોતાના વક્‍તવ્‍યમાં શિબિરાર્થી બાળકોએ કહ્યું ત્‍યારે ઉમટેલા બાળકો ગદ ગત હૃદય ભીના નયનને ભાવિક બની પડ્‍યા હતા. જૈન શાસનની ભાવિ પેઢીના સંસ્‍કારના આ મહાયજ્ઞને આગલા વર્ષે ફરી પાછું ચાલુ રાખવા માટે જાહેરાત થતા લાભો લેવાયા હતા. મુખ્‍ય લાભાર્થી ગોલિયા પરિવાર સૌને ઈનામો આપ્‍યા હતા.
અંતમાં હિત શિક્ષા આપતા પૂ. ગુરુદેવશ્રીએ કહ્યું હતું કે, તમે રાષ્‍ટ્ર સંઘ સમાજને જીન શાસનની આન બાન ને શાન છો માટે તમારી શિબિરનું આયોજન થયું છે તે ભાવિના જવાબદારને સમજદારી બરાબર સમજીને લઈ જશો ને મહાન બની સેવા કરજો, ઘરને સાચવજો.

Related posts

દાનહ ફાયર અને ડીઝાસ્‍ટર વિભાગ દ્વારા ઓનલાઇન ફાયર એન.ઓ.સી. મેળવવા માટેની આપવામાં આવેલી જાણકારી

vartmanpravah

દાનહ કોંગ્રેસે 2 ઓગસ્‍ટ-‘દાનહ મુક્‍તિ દિવસ’ની ઉજવણી ધામધૂમથી કરવા કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

સરીગામની મેક્‍લોઈડ ફાર્માસ્‍યુટિકલ કંપનીમાં ‘રાષ્‍ટ્રીય સુરક્ષા સપ્તાહ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

26 જુલાઈએ વિશ્વના 75 લાખ લોકો ઈન્‍ડિયન નેશનલ એન્‍થમ ડ્રાઈવમાં જોડાશે

vartmanpravah

સંઘપ્રદેશને કુપોષણની સમસ્‍યાથી મુક્‍ત કરવા ઉચ્‍ચ અધિકારીઓ અને ગ્રામ પંચાયતો પણ મિશન મોડમાંસંઘપ્રદેશના નાણાં સચિવ ગૌરવ સિંહ રાજાવતે દમણવાડા ગ્રામ પંચાયતમાં ધાત્રી માતાઓને કરેલું પૌષ્‍ટિક લાડુનું વિતરણ

vartmanpravah

કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક કચેરી દ્વારા 10454 એકમોની તપાસ, 561 એકમો સામે કાર્યવાહી

vartmanpravah

Leave a Comment