December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી સ્‍વામિનારાયણ ગુજરાત બોર્ડ ઈંગ્‍લિશ મીડિયમ સ્‍કૂલમાં વિદ્યાર્થીઓને આર્ટીફિશીયલ ઈન્‍ટેલિજન્‍સ ભણાવવામાં આવશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર સંચાલિત શ્રી સ્‍વામિનારાયણ ગુજરાત બોર્ડ ઈંગ્‍લિશ મીડિયમમાં નવા શૈક્ષણિક વર્ષ 2024-25માં એક નવો વિષય આર્ટિફિશીયલ ઈન્‍ટેલિજન્‍સ ઉમેરવામાં આવ્‍યો છે. (એઆઈ) આર્ટિફિશીયલ ઈન્‍ટેલિજન્‍સનો અર્થ થાય છે કે, બનાવટી રીતે વિકસાવવામાં આવેલી બોદ્ધિક ક્ષમતા, આર્ટિફિશિયલ ઈન્‍ટેલિન્‍સની શરૂઆત 1950ના દશકમાં થઇ હતી. આ ટેકનોલોજીની મદદથી કોમ્‍પ્‍યુટર સિસ્‍ટમ અથવા રોબોટિક સિસ્‍ટમ તૈયાર કરવામાં આવે છે, આ સિસ્‍ટમ માનવીના મગજની જેમ કામ કરવાનો પ્રયાસ કરશે, કહી શકાય કે માનવી કરતાં વધુ સારી રીતે કામ કેવી રીતે કરી શકશે એ વિશે શાળામાં તા. 06-07-2024 નાં શનિવારનાં રોજ એ.આઈ. ના શિક્ષિકા શ્રીમતી દિવ્‍યાબેન શર્મા તરફથી વાલીઓને એ.આઈ.ના વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ વિવિધ મોડેલો તથા એ.આઈ. વિશેની માહિતી આપવામાં આવી હતી. વાલીઓએ પણ બહોળી સંખ્‍યામાં ઉત્‍સાહભેર આ વિષયને પ્રતિસાદઆપ્‍યો હતો. આચાર્ય શ્રીમતી રીનાબેન દેસાઈ દ્વારા વાલીઓને સંબોધન આપવામાં આવ્‍યું હતું. કે ભવિષ્‍યમાં એ.આઈ. વિદ્યાર્થી માટે માટે ખૂબ જ ઉપયોગી થઈ રહેશે અને વાલીઓના સમર્થન માટે વાલીઓનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વ હેઠળની સરકારે આતંકવાદને રોકવા માટે અપનાવેલી આક્રમક વ્‍યૂહરચનાઃ કેન્‍દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ

vartmanpravah

અમદાવાદના ગોઝારા અકસ્‍માતની ઘટનાબાદ વલસાડ જિલ્લા પોલીસ દ્વારા કોમ્‍બિંગ હાથ ધરી વાહનચાલકો સામે કાર્યવાહી કરે તે જરૂરી

vartmanpravah

સમાજ કલ્‍યાણ વિભાગ દ્વારા દાનહ અને દમણ દીવમાંઆંતરરાષ્‍ટ્રીય નશા નિષેધ દિવસ મનાવવામાં આવ્‍યો

vartmanpravah

વલસાડના જુજવામાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં ૧૬૧ યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા

vartmanpravah

વાપીના 24 વિદ્યાર્થીઓને હાર્દિક જોશી દ્વારા બ્‍લેક બેલ્‍ટ એનાયત કરાયા

vartmanpravah

કપરાડા અને ધરમપુર તાલુકામાં કરોડોના ખર્ચે બનેલા ચેકડેમોની ખંડેર અને જર્જરિત

vartmanpravah

Leave a Comment