Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

આજે સેલવાસ ન.પા.ના પ્રમુખ અને ઉપ પ્રમુખનું પદ મહિલા સભ્‍યોને નશીબ થવાની સંભાવના

15 સભ્‍યોનું કદ ધરાવતી સેલવાસ ન.પા.માં ભાજપના 9 કાઉન્‍સિલરો પૈકી 3 મહિલા
કવિતા સિંઘ, રજની શેટ્ટી અને મંજુલા પટેલ પૈકી કોઈ એક પ્રમુખ અને ઉપ પ્રમુખ બની શકે છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.25: આવતી કાલે સેલવાસ નગરપાલિકાના પ્રમુખ અને ઉપ પ્રમુખની ચૂંટણી યોજાઈ રહી છે. દમણ નગરપાલિકામાં પ્રમુખ અને ઉપ પ્રમુખ પદની દાવેદારી એક દિવસ પહેલાં એટલે કે, આજે સાંજે 5:00 વાગ્‍યા સુધી રજૂ કરવાનું મુકરર કરાયેલું હતું. પરંતુ સેલવાસ નગરપાલિકામાં પ્રમુખ અને ઉપ પ્રમુખની ચૂંટણી આવતીકાલે યોજાશે.
સેલવાસ નગરપાલિકાના 15 સભ્‍યોની સભ્‍ય સંખ્‍યામાં ભાજપના પ્રતિક ઉપર 9 સભ્‍યો ચૂંટાયેલા છે અને જનતા દળ(યુ)ના એકાદ સભ્‍યને બાદ કરતા તમામે ભાજપને સમર્થન પણ આપેલું છે. સેલવાસ નગરપાલિકાની પ્રથમ ટર્મ માટે પ્રમુખ અને ઉપ પ્રમુખના બંને પદ ઉપર પુરૂષ સભ્‍યોની નિયુક્‍તિ કરી હતી. તેથી આ વખતે પ્રમુખ અને ઉપ પ્રમુખના પદ ઉપર મહિલાઓની દાવેદારી વધુ પ્રબળ દેખાય છે.
ભાજપ તરફથી વોર્ડ નં.4ના શ્રીમતી કવિતાબેન અબ્‍બલ સિંઘ, શ્રીમતી રંજનબેન ગોવિંદભાઈ શેટ્ટી અને શ્રીમતી મંજુલાબેન અશ્વિનભાઈ પટેલ મહિલા સભ્‍યોનું પ્રતિનિધિત્‍વ કરે છે. જે પૈકી શ્રીમતી કવિતાબેન અબ્‍બલ સિંઘ ઉત્તર ભારતીયની સાથે સ્‍થાનિક અનુ.જાતિ સમાજનું પણ પ્રતિનિધિત્‍વ કરે છે. કારણ કે, શ્રીમતી કવિતાબેન અબ્‍બલ સિંઘે લગ્ન અનુ.જાતિ માહ્યાવંશી સમાજમાં કરેલ છે. જ્‍યારે શ્રીમતી રજનીબેન ગોવિંદભાઈ શેટ્ટી દક્ષિણ ભારતીયનું પ્રતિનિધિત્‍વ કરવા સાથે તેમના પતિ શ્રી ગોવિંદભાઈ શેટ્ટીની આદિવાસી સમુદાયમાં પણ સારી પકડ હોવાનું માનવામાં આવે છે. તેમજ તેઓ વેપારી વર્ગમાં પણ લોકપ્રિય છે. જ્‍યારે શ્રીમતી મંજુલાબેન અશ્વિનભાઈ પટેલ આદિવાસી સમુદાયના હોવાની સાથે પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલના ભાભી પણ છે. તેથી આ ત્રણેય મહિલાઓ પૈકી કોઈ એકને પ્રમુખ અને ઉપપ્રમુખ નશીબ થવાની સંભાવના સૌથી વધુ છે.

Related posts

દમણ સ્‍વરાજના તંત્રી પંકજભાઈ પટેલની અંતિમ યાત્રામાં જોડાયેલો માનવ મહેરામણઃ પરિવારજનોના કલ્‍પાંતથી હિબકે ચડેલો સમગ્ર વિસ્‍તાર

vartmanpravah

વાપી ભારતીય જનતા પાર્ટી દ્વારા જ્‍યોતિબા ફૂલેજીની જન્‍મજયંતિની ઉજવણી કરાઈ

vartmanpravah

મહારાષ્‍ટ્રમાં યોજાનાર આદિવાસી સમાજના મહાસંમેલન અંતર્ગત ધરમપુરમાં બેઠક મળી

vartmanpravah

ધરમપુરમાં ક્રાંતિકારી બિરસા મુંડાની જન્‍મજ્‍યંતીની ઉજવણી કરાઈ

vartmanpravah

ફિરંગીઓની ગુલામીમાંથી દાદરા નગર હવેલીને મુક્‍ત કરનારા સ્‍વાતંત્ર્યવીરોની ત્‍યાગભાવનાને નજર સમક્ષ રાખીને આજની યુવાપેઢી આ આદર્શને ગ્રહણ કરે એ જ અભ્‍યર્થના

vartmanpravah

‘‘બીટ પ્‍લાસ્‍ટિક પોલ્‍યુશન”ની થીમ પર આધારિત વાપીમાં વી.આઈ.એ. દ્વારા 4 જૂનના રવિવારે ‘સ્‍ટ્રીટ ફોર ઓલ’ યોજાશે

vartmanpravah

Leave a Comment