July 18, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

આજે સેલવાસ ન.પા.ના પ્રમુખ અને ઉપ પ્રમુખનું પદ મહિલા સભ્‍યોને નશીબ થવાની સંભાવના

15 સભ્‍યોનું કદ ધરાવતી સેલવાસ ન.પા.માં ભાજપના 9 કાઉન્‍સિલરો પૈકી 3 મહિલા
કવિતા સિંઘ, રજની શેટ્ટી અને મંજુલા પટેલ પૈકી કોઈ એક પ્રમુખ અને ઉપ પ્રમુખ બની શકે છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.25: આવતી કાલે સેલવાસ નગરપાલિકાના પ્રમુખ અને ઉપ પ્રમુખની ચૂંટણી યોજાઈ રહી છે. દમણ નગરપાલિકામાં પ્રમુખ અને ઉપ પ્રમુખ પદની દાવેદારી એક દિવસ પહેલાં એટલે કે, આજે સાંજે 5:00 વાગ્‍યા સુધી રજૂ કરવાનું મુકરર કરાયેલું હતું. પરંતુ સેલવાસ નગરપાલિકામાં પ્રમુખ અને ઉપ પ્રમુખની ચૂંટણી આવતીકાલે યોજાશે.
સેલવાસ નગરપાલિકાના 15 સભ્‍યોની સભ્‍ય સંખ્‍યામાં ભાજપના પ્રતિક ઉપર 9 સભ્‍યો ચૂંટાયેલા છે અને જનતા દળ(યુ)ના એકાદ સભ્‍યને બાદ કરતા તમામે ભાજપને સમર્થન પણ આપેલું છે. સેલવાસ નગરપાલિકાની પ્રથમ ટર્મ માટે પ્રમુખ અને ઉપ પ્રમુખના બંને પદ ઉપર પુરૂષ સભ્‍યોની નિયુક્‍તિ કરી હતી. તેથી આ વખતે પ્રમુખ અને ઉપ પ્રમુખના પદ ઉપર મહિલાઓની દાવેદારી વધુ પ્રબળ દેખાય છે.
ભાજપ તરફથી વોર્ડ નં.4ના શ્રીમતી કવિતાબેન અબ્‍બલ સિંઘ, શ્રીમતી રંજનબેન ગોવિંદભાઈ શેટ્ટી અને શ્રીમતી મંજુલાબેન અશ્વિનભાઈ પટેલ મહિલા સભ્‍યોનું પ્રતિનિધિત્‍વ કરે છે. જે પૈકી શ્રીમતી કવિતાબેન અબ્‍બલ સિંઘ ઉત્તર ભારતીયની સાથે સ્‍થાનિક અનુ.જાતિ સમાજનું પણ પ્રતિનિધિત્‍વ કરે છે. કારણ કે, શ્રીમતી કવિતાબેન અબ્‍બલ સિંઘે લગ્ન અનુ.જાતિ માહ્યાવંશી સમાજમાં કરેલ છે. જ્‍યારે શ્રીમતી રજનીબેન ગોવિંદભાઈ શેટ્ટી દક્ષિણ ભારતીયનું પ્રતિનિધિત્‍વ કરવા સાથે તેમના પતિ શ્રી ગોવિંદભાઈ શેટ્ટીની આદિવાસી સમુદાયમાં પણ સારી પકડ હોવાનું માનવામાં આવે છે. તેમજ તેઓ વેપારી વર્ગમાં પણ લોકપ્રિય છે. જ્‍યારે શ્રીમતી મંજુલાબેન અશ્વિનભાઈ પટેલ આદિવાસી સમુદાયના હોવાની સાથે પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલના ભાભી પણ છે. તેથી આ ત્રણેય મહિલાઓ પૈકી કોઈ એકને પ્રમુખ અને ઉપપ્રમુખ નશીબ થવાની સંભાવના સૌથી વધુ છે.

Related posts

દમણ જિલ્લા અને સેશન્‍સ કોર્ટનો ચુકાદો : સગીરા પર બળાત્‍કારના ગુનેગારને આજીવન કેદ

vartmanpravah

વલસાડ વિભાગ રાજપૂત સમાજ સેવા સંઘ વલસાડની ૩૭મી વાર્ષિક સાધારણ સભા યોજાઈઃ કારોબારી પ્રમુખ તરીકે ફરીવાર બળવંતસિંહ સોલંકીની નિમણૂંક

vartmanpravah

ચીખલી ખાતે ઘરેલુ હિંસાથી મહિલાઓને રક્ષણ અધિનિયમ-2005 અન્‍વયે કાયદાકીય સેમિનાર યોજાયો

vartmanpravah

નાના વાઘછીપામાં દોઢ વર્ષની માસુમ બાળકી પાણી ભરેલ ડોલમાં ઊંધી પડતા કરુણ મોત

vartmanpravah

ચીખલી તાલુકાના સાદડવેલ ગામની ગ્રામ સભામાં અનુસૂચિ-5ના ઠરાવનું થયું અમલીકરણ

vartmanpravah

દમણ જિલ્લા પંચાયત અને સરપંચોના પ્રતિનિધિ મંડળે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

Leave a Comment