Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધોડીપાડા ખાતે નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં યોજાયો સાતમો સર્વજાતિ સમૂહલગ્નોત્સવ: ૫૫ યુગલોએ પાડેલા પ્રભુતામાં પગલાં

કન્યાદાનને સૌથી મોટું દાન કહેવાયું છે એ કાર્ય રમણભાઈ છેલ્લા સાત વર્ષોથી કરી રહ્યા છે: મંત્રી કનુભાઈ

ગરીબોને વધુ ગરીબ થતા રોકવા સમૂહલગ્નોની ખૂબ જ જરૂરિયાત છે : રાજ્યમંત્રી ભીખુસિંહજી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.૨૮: ઉમરગામ તાલુકાના ધોડીપાડા ખાતે નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ અને અન્ન નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતાના રાજ્યકક્ષાના મંત્રીશ્રી ભીખુસિંહજી પરમારની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક મંડળ ઉમરગામ દ્વારા આયોજિત સાતમો સર્વજાતિ સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો. જેમાં ૫૫ યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા.
નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ છેલ્લા સાત સાત વર્ષથી સમૂહલગ્ન જેવા ખૂબ જ મહત્વના સેવાકાર્યમાં આયોજન બદલ ધારાસભ્યશ્રી રમણભાઈ પાટકર અને એમના સહયોગીઓને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે કન્યાદાન એ શ્રેષ્ઠ દાન કહેવાયું છે અને રમણભાઈ પાટકર આ કાર્ય છેલ્લા સાત વર્ષથી કરી રહ્યા છે અને હજુ પણ આવતા સમયમાં વર્ષો વર્ષ આ કાર્ય કરતા રહી સમાજની અપ્રતિમ સેવા કરતા રહે એવા અભિનંદન આપ્યા હતા. તેમજ નવદંપતી ઓને જીવનપર્યત સુખશાંતિનાં આશીર્વાદ આપ્યા હતા.
નવદંપતીઓને સુખમય જીવનના આશીર્વચન આપતા મંત્રીશ્રી ભિખુસિંહજીએ કહ્યું હતું કે, ગરીબ વધુ ગરીબ ન બને અને સામાજિક રિવાજોમાં જે ખર્ચાઓ થાય છે તેમાંથી બહાર આવવા માટે સમૂહલગ્નોની ખૂબ જ જરૂર છે. સમૂહલગ્ન કરાવવા એ ખૂબ જ મોટું કાર્ય છે કોઈ સામાન્ય બાબત નથી. તેથી આ કાર્ય કરવા બદલ રમણભાઈ પટકરને અભિનંદન આપ્યા હતા.
ઉમરગામ ધારાસભ્યશ્રી અને સમૂહલગ્નના મુખ્ય આયોજક શ્રી રમણલાલ પાટકરે ઉપસ્થિત સૌ મુખ્ય મહેમાનોનો આભાર માનતા કહ્યું હતું કે, જે લોકો લગ્નના ખર્ચાઓ કરી શકતા નથી મુખ્યત્વે તેઓ માટે આ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવે છે. ઉપસ્થિત મહેમાનો અને સમાજસેવી દાતાઓને કારણે જ સમાજસેવાનું આ કામ શક્ય બન્યું છે. ભવિષ્યમાં પણ દરેકની મદદથી આ કાર્ય કરતા રહીશું.
આયોજકો દ્વારા નવપરણિત યુગલોને જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓ જેવી કે, કબાટ, પલંગ, સોનાની કાનની બુટ્ટી, નથણી, પાયલ, મંગલસૂત્ર, રામાયણ, કિચન સેટ, ઘડિયાળ, સિલિંગ ફેન, વાસણો, સહિત ૩૮ વસ્તુઓ કરિયાવરમાં તરીકે ભેટમાં આપી હતી. વર-કન્યાના લગ્નના જોડા અને મંગલસૂત્ર પણ સાંસ્કૃતિક મંડળ દ્વારા જ પુરા પાડવામાં આવ્યા હતા. તેમજ સૌ મહેમાનોના હસ્તે આશાવર્કર બહેનોને સાડી પણ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં વલસાડ સાંસદ ડો.કે.સી.પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ અલકાબેન શાહ, ડાંગ ધારાસભ્ય અને ઉપદંડકશ્રી વિજયભાઈ પટેલ, ધરમપુર, કપરાડા, ગણદેવીના ધારાસભ્યશ્રીઓ અરવિંદભાઈ પટેલ, જીતુભાઈ ચૌધરી, નરેશભાઈ પટેલ, સંગઠન પ્રમુખ હેમંત કંસારા, મહામંત્રી કમલેશ પટેલ, પુરવઠા અધિકારી કાજલ ગામિત, આયોજકો અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

વાપી અંબામાતા મંદિરે દાદા-દાદીની સ્‍મૃતિમાં દરરોજ મસાલા ખિચડીનું વિતરણ

vartmanpravah

એન્‍જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી દ્વારા એન્‍જિનિયર્સ-ડેની ઉજવણી કરાઈ

vartmanpravah

દીવ ન.પા. ચૂંટણીનું કાઉન્‍ટ ડાઉન શરૂઃ અનામત બેઠકો માટેનો ડ્રો સંપન્નઃ કુલ 06 બેઠકો મહિલાઓ માટે અનામતઃ વોર્ડ નં.13ની બેઠક અનુ.જાતિ મહિલા માટે આરક્ષિત જાહેર

vartmanpravah

છેલ્લા ઍકાદ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી નવસારી ઍલસીબી પોલીસ

vartmanpravah

વાપી છરવાડા શ્રી રાજ રાજેશ્વરી વિદ્યામંદિરનું સીબીએસઈ ધો.૧૦ અને ધો.૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ

vartmanpravah

વલસાડમાં તા.27 અને 28 એપ્રિલે વિવિધ કારકિર્દી અંગે કેરિયર ફેર 2024 યોજાશે

vartmanpravah

Leave a Comment