આદિત્ય બાંગરે નામના યુવકનું આરોપી અમર શિંદેનું અપહરણ કરી હત્યા કર્યા બાદ લાશને પુનાથી લાવી વાપીમાં સળગાવી હતી
(વર્તમાન પ્રવાહ વાપીબ્યુરો)
વાપી, તા.26: વાપી નેશનલ હાઈવે નજીક અવાવરુ જગ્યામાં પુના પોલીસ આરોપીને સાથે લાવી જ્યાં પુણેમાં હત્યા બાદ મૃત યુવકને વાપીમાં લાવી સળગાવાયેલ તે જગ્યા આરોપીઓએ બતાવતા વાપી-મહારાષ્ટ્ર પોલીસે અર્ધ સળગાવેલા મૃતદેહના અવશેષો એકત્ર કર્યા હતા.
વાપી જીઆઈડીસી પોલીસ અને પુણે પોલીસે અપહરણ બાદ હત્યાના કેસની ગુંચ ઉકેલી હતી. પુણેના મહાલુંગે વિસ્તારમાં કેટલાક ઈસમોએ એક યુવકનું અપહરણ કર્યું હતું. બાદ હત્યા કરી મૃતદેહને વાપી યુપીએલ બ્રિજ પાસે નજીકની અવાવરુ જગ્યામાં સળગાવી દીધો હતો. આ પ્રકરણમાં પુણે પોલીસે આરોપીને પકડી લીધો હતો ત્યારે આરોપીએ સમગ્ર ઘટનાની તમામ હકિકતો કબુલતા પોલીસ આરોપીને વાપી લઈ આવી હતી. જીઆઈડીસી પોલીસને સાથે રાખીને આરોપી યુવકે જે જગ્યા ઉપર લાશ સળગાવી હતી તે જગ્યા બતાવી હતી. જ્યાં તપાસ કરતા મૃત યુવકના સળગેલા અવશેષો મળી આવ્યા હતા. પુણે મહાલુંગે પોલીસ મથકના પી.એસ.આઈ. હત્યારા સાથે વાપી આવ્યા હતા. જ્યાં મોટો ઘટસ્ફોટ થયો હતો. જીઆઈડીસી પોલીસની મદદથી એફ.એસ.એલ. ટીમને બોલાવી જરૂરી સેમ્પલ લીધા હતા. હત્યા કરાયેલ યુવકનું નામ આદિત્ય ભાંગરે હોવાનું તપાસમાં બહાર આવેલ હતું. જ્યારે અપહરણ અને હત્યા કરનાર આરોપીનું નામઅમરશિંદે હોવાનું બહાર આવ્યું છે. ઘટનાથી વાપીમાં પણ અરેરાટી પ્રસરી ગઈ હતી.