March 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ સાંસદ ડો.કે.સી. પટેલએ સંસદગૃહમાં કેરી પાક નુકશાન માટે ખેડૂતોને વળતરની માંગ કરી

કમોસમી વરસાદ-વાતાવરણ પલટાથી કેરી પાકને થયેલ નુકશાન માટે પ્રધાનમંત્રી પાક વિમામાં સમાવેશની માંગ કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.28: વલસાડ-ડાંગ જિલ્લા સંસદ સભ્‍યએ સંસદ ગૃહમાં કેરી પાકને થયેલ નુકશાની માટે ખેડૂતોને વળતર મળે તેવી માંગ કરી છે.
સંસદમાં ડો.કે.સી. પટેલએ રજૂઆથ કરી હતી કે, કમોસમીવરસાદ અને વાતાવરણના પલટાને લઈ કેરી પાકનું વલસાડ જિલ્લામાં ખેડૂતોને પુષ્‍કળ નુકશાન થયું છે. સાસંદ જણાવ્‍યું હતું કે, દેશમાં 20 ટકા જેટલું કેરીનું ઉત્‍પાદન વલસાડ-ડાંગ અને નવસારી જિલ્લામાં થાય છે. ગત 2016-17માં પ્રધાનમંત્રીએ કેરી પાક નુકશાન પેટે ખેડૂતોને 12 કરોડ રૂપિયા વળતર આપ્‍યું હતું તે ખેડૂતોના ખાતામાં જમા થયું હતું. તે રીતે આ વર્ષે પણ સર્વે કરીને કેરીના પાકમાં વાતાવરણ અને વરસાદને લીધે ખેડૂતોનું ઉત્‍પાદન 50 ટકા જેટલું ઘટયું છે. ખાતર, જંતુનાશક દવાનો ખેડૂત મબલક ખર્ચ કરે છે. જેનું વળતર ઉત્‍પાદન ઘટયું હોવાથી મળ્‍યુ નથી. તેથી સાંસદે માંગ કરી હતી કે, પ્રધાનમંત્રી પાક વિમા યોજનામાં સમાવેશ કરવામાં આવે.

Related posts

દાનહ નરોલી ચાર રસ્‍તા નજીક અકસ્‍માતમાં એક યુવાનનું મોત

vartmanpravah

નરોલીથી મળેલ સિકયુરિટી સુપરવાઇઝરના હત્‍યારાની પોલીસે કરી ધરપકડ

vartmanpravah

કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં દિવાળી તહેવારના દિવસો દરમિયાન ઈમરજન્‍સી 108 એમ્‍બ્‍યુલન્‍સ દ્વારા 946 કેસોનું કરેલું વહન

vartmanpravah

વાપી બાર એસોસિએશનના પ્રમુખ તરીકે સતિષભાઈ પટેલ સૌથી વધુમતો મેળવી વિજેતા બન્‍યા

vartmanpravah

સેલવાસ સ્‍માર્ટ સીટીને મળેલા એવોર્ડને પ્રશાસક પ્રફુલભાઈ પટેલને સુપ્રત કરતા તપસ્‍યા રાઘવ અને ચાર્મી પારેખ

vartmanpravah

વાપી કોચરવા ભાજપ નેતા શૈલષ પટેલ હત્‍યા પ્રકરણમાં વધુ બે શાર્પશૂટર ઝડપાયા

vartmanpravah

Leave a Comment