April 29, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ સાંસદ ડો.કે.સી. પટેલએ સંસદગૃહમાં કેરી પાક નુકશાન માટે ખેડૂતોને વળતરની માંગ કરી

કમોસમી વરસાદ-વાતાવરણ પલટાથી કેરી પાકને થયેલ નુકશાન માટે પ્રધાનમંત્રી પાક વિમામાં સમાવેશની માંગ કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.28: વલસાડ-ડાંગ જિલ્લા સંસદ સભ્‍યએ સંસદ ગૃહમાં કેરી પાકને થયેલ નુકશાની માટે ખેડૂતોને વળતર મળે તેવી માંગ કરી છે.
સંસદમાં ડો.કે.સી. પટેલએ રજૂઆથ કરી હતી કે, કમોસમીવરસાદ અને વાતાવરણના પલટાને લઈ કેરી પાકનું વલસાડ જિલ્લામાં ખેડૂતોને પુષ્‍કળ નુકશાન થયું છે. સાસંદ જણાવ્‍યું હતું કે, દેશમાં 20 ટકા જેટલું કેરીનું ઉત્‍પાદન વલસાડ-ડાંગ અને નવસારી જિલ્લામાં થાય છે. ગત 2016-17માં પ્રધાનમંત્રીએ કેરી પાક નુકશાન પેટે ખેડૂતોને 12 કરોડ રૂપિયા વળતર આપ્‍યું હતું તે ખેડૂતોના ખાતામાં જમા થયું હતું. તે રીતે આ વર્ષે પણ સર્વે કરીને કેરીના પાકમાં વાતાવરણ અને વરસાદને લીધે ખેડૂતોનું ઉત્‍પાદન 50 ટકા જેટલું ઘટયું છે. ખાતર, જંતુનાશક દવાનો ખેડૂત મબલક ખર્ચ કરે છે. જેનું વળતર ઉત્‍પાદન ઘટયું હોવાથી મળ્‍યુ નથી. તેથી સાંસદે માંગ કરી હતી કે, પ્રધાનમંત્રી પાક વિમા યોજનામાં સમાવેશ કરવામાં આવે.

Related posts

કલસરમાં સાથે કામ કરતી મહિલા સાથે કેમ વાત કરે છે કહી યુવકને માર મરાયો

vartmanpravah

ઉમરસાડીની 19 વષીય યુવતી ગુમ : કોલેજ તથા કોમ્‍પ્‍યુટર કલાસમાં જવા નીકળેલ યુવતી ઘરે પરત નહી ફરતા માતાએ નોંધાવેલી ફરિયાદ

vartmanpravah

દમણમાં સાદગી સાથે પરંપરાગત રીતે માછી સમાજ અને લાયન્‍સ ક્‍લબે ઉજવેલો નારિયેળી પૂર્ણિમાનો ઉત્‍સવ

vartmanpravah

વલસાડના જમાઈ ધવલ પટેલને જીતાડવા પારનેરા વાસીઓમાં ભારે ઉત્‍સાહ છવાયો

vartmanpravah

પોર્ટુગલ હવે કાયદાને આધાર બનાવીને ભારતને લડત આપવા માગતું હતું

vartmanpravah

દાનહ અને દમણ દીવ જિલ્લાના રાષ્ટ્રીય સેવા યોજના એકમ દ્વારા ‘સ્‍વચ્‍છ ભારત’ કાર્યક્રમ 2.0 અંતર્ગત કરાયેલી સ્‍વચ્‍છતા

vartmanpravah

Leave a Comment