January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ડુંગરી ફળીયામાં આગનું તાંડવ યથાવત: સતત પાંચમા દિવસે આગ: મેજર કોલ જાહેર

રેસિડેન્‍ટ વિસ્‍તારમાંઆગ લાગતા દોડાદોડી સાથે ભયનો માહોલ : 12 ફાયર બ્રિગેડ ઘટના સ્‍થળે : જાહેર સલામતિ માટે લાલબત્તી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.28: વાપી ડુંગરી ફળીયામાં આજે રવિવારે પાંચમી વાર આગ લાગી હતી. રહેઠાણ વિસ્‍તારમાં ગેરકાયદે ચાલતા ભંગારના ગોડાઉનમાં બપોરે ભિષણ આગ લાગતા અફરા તફરી સાથે દોડાદોડી મચી જવા પામી છે.
વાપી ડુંગરી ફળીયા વિસ્‍તાર એટલે ભંગારના ગોડાઉનોની રાજધાની, જેના હાલ બેહાલ થઈ ચૂક્‍યા છે. અડધા ઉપરાંત ગોડાઉનો રહેઠાણ એરીયા વચ્‍ચે ધમધમી રહ્યા છે. આ ગોડાઉનોમાં છેલ્લા એક સપ્તાહથી લગાતાર આગો લાગી રહી છે. આજે બપોરે પાંચમીવાર આગ લાગી હતી. બીજુ આગ લાગે ત્‍યારે આસપાસના ગોડાઉનો પણ ઝપેટમાં આવી જતા હોવાથી આગની ભયાનકતા વધી જાય છે. આજે લાગેલી આગ એટલી વિકરાળ અને ભયાનક હતી કે ધુવાડાના ગોટેગોટા સમગ્ર વિસ્‍તારમાં છવાઈ ગયા હતા. રહેઠાણ અને ગીચ વિસ્‍તારમાં ભંગારના ગોડાઉનો બેરોકટોક ધમધમી રહ્યા હોવાથી આજની આગ સંકડાશ ભરેલા વિસ્‍તાર વચ્‍ચે આવેલ ગોડાઉનમાં લાગી છે. આગને લઈ સ્‍થાનિક રહિશો એટલા ભયભીત બની ગયા હતા કે ઘરવખરી, રાચરચીલું બચાવવા દોટેદોટ મુકી રહ્યા હતા. એક તરફ આગની જ્‍વાળાઓ બીજુ ધબકતું જનજીવન આજે ખોફમાં સપડાયેલુ જોવા મળ્‍યુંહતું. આગની ભિષણતા અને મોટા પ્રમાણના વિસ્‍તારમાં આગ ફેલાતા 12 જેટલા ફાયર ફાયટરો ઘટના સ્‍થળે આવી ગયા હતા. પ્રશાસને મેજર કોલ જાહેર કર્યો છે. વાપી, પારડી, ઉમરગામ, વલસાડના ફાયર ફાયટરો ઘટના સ્‍થળે આગ બુઝાવવાની જહેમત ઉઠાવી રહ્યા છે. પરંતુ સંકડાશ અને અવર જવરની વિકટ સમસ્‍યા ઉભી થઈ રહી છે. પોલીસ અને પ્રશાસન છેલ્લા આઠ-દશ દિવસથી ડુંગરી ફળીયાની આગનો તમાશો માત્ર જોઈ રહી છે. હવે તો સ્‍થિતિ એટલી વિકટ બની ચૂકી છે કે, જાહેર સલામતિનો યક્ષપ્રશ્‍ન દાંતીયા કાઢી રહ્યો છે. પ્રશાસન કુંભકર્મની નિંદ્રામાંથી કેવું જાગે છે અને જાહેર હિત માટે કેવા પગલાં ભરે છે તે માત્ર જોવુ જ રહ્યું. કારણ કે જાહેર હિત અને સલામતિ માટે આગના બનાવો લાલબત્તી સમાન બની રહ્યા છે.

Related posts

અતુલ કન્‍યાશાળામાં 250 જેટલી કન્‍યાઓને આર્મર માર્શલ આર્ટસની ટ્રેનિંગ આપવામાં આવી

vartmanpravah

ઈતિહાસના ઉત્તમ અને સચોટ મૂલ્‍યાંકન માટે આપણે વિશ્વસ્‍તરીય માપદંડોના હિસાબે નવી ટેકનીકનો ઉપયોગ કરવો જોઈએઃકેન્‍દ્રીય મંત્રી શ્રીમતી મીનાક્ષી લેખી

vartmanpravah

પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્‍ન સ્‍વ. અટલ બિહારી વાજપેયીના જન્‍મ દિવસે દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપે આપેલી શ્રધ્‍ધાંજલિ

vartmanpravah

શ્રી બાપા સીતારામ સનાતન સેવા ટ્રસ્‍ટ દ્વારા સલવાવમાં બજરંગદાસ બાપાના સાનિધ્‍યમાં નિઃશુલ્‍ક દવાખાનાની શરૂઆત કરવામાં આવશે

vartmanpravah

સંઘપ્રદેશમાં ‘હર ઘર તિરંગા’ અભિયાને પકડેલું લોક આંદોલનનું સ્‍વરૂપઃ લોકોનો ઉમંગ અને જુસ્‍સો સાતમા આસમાને

vartmanpravah

નમો મેડિકલ કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થી મિતેશ કન્‍હૈયા ઝાએ સંઘપ્રદેશનું નામ રોશન કર્યુ

vartmanpravah

Leave a Comment