(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.09 : દાદરા નગર હવેલી પોલીસ વિભાગને આધુનિક બનાવવા માટે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તથા ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ દાનહ દીવ શ્રી મિલિંદ મહાદેવ ડુમ્બેરેના દિશાનિર્દેશ અનુસાર પોલીસ હેડક્વાર્ટર સેલવાસ ખાતે એસ.પી. શ્રી રાજેદ્ર પ્રસાદ મીણા, એસડીપીઓ શ્રી સિદ્ધાર્થ જૈન સહિત પોલીસ ઓફિસરોની હાજરીમાં ઈ-માલખાના પરિયોજના શરૂ કરવામાં આવ્યું હતું.
આ ઈ-માલખાનાથી વિવિધ કેસોને લગતી વસ્તુ, પુરાવા વગેરેને પધ્ધતિસર સંગ્રહ કરવા, પધ્ધતિસર કોડિંગ કરવા માટે ઈ-માલખાના સિસ્ટમ ઉપયોગી થશે. આ સિસ્ટમના કારણે પોલીસ વિભાગ પોતાના સંસાધનોનું વ્યવસ્થાપન અસરકારક રીતે કરી શકશે જેથી સમયનો પણ બચાવ થશે. આ સિસ્ટમથી કેસને લાગતી વસ્તુનું વ્યવસ્થિત ગોઠવણીમાં પણ મદદ મળશે. હાલમાં આ સિસ્ટમ સેલવાસ અને ખાનવેલ પોલીસ સ્ટેશનમાં શરૂ કરવામાં આવી છે.