April 30, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાદરા નગર હવેલી પોલીસ વિભાગ દ્વારા ઈ-માલખાના પ્રોજેક્‍ટ શરૂ કરવામાં આવ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.09 : દાદરા નગર હવેલી પોલીસ વિભાગને આધુનિક બનાવવા માટે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તથા ડેપ્‍યુટી ઈન્‍સ્‍પેક્‍ટર જનરલ ઓફ પોલીસ દાનહ દીવ શ્રી મિલિંદ મહાદેવ ડુમ્‍બેરેના દિશાનિર્દેશ અનુસાર પોલીસ હેડક્‍વાર્ટર સેલવાસ ખાતે એસ.પી. શ્રી રાજેદ્ર પ્રસાદ મીણા, એસડીપીઓ શ્રી સિદ્ધાર્થ જૈન સહિત પોલીસ ઓફિસરોની હાજરીમાં ઈ-માલખાના પરિયોજના શરૂ કરવામાં આવ્‍યું હતું.
આ ઈ-માલખાનાથી વિવિધ કેસોને લગતી વસ્‍તુ, પુરાવા વગેરેને પધ્‍ધતિસર સંગ્રહ કરવા, પધ્‍ધતિસર કોડિંગ કરવા માટે ઈ-માલખાના સિસ્‍ટમ ઉપયોગી થશે. આ સિસ્‍ટમના કારણે પોલીસ વિભાગ પોતાના સંસાધનોનું વ્‍યવસ્‍થાપન અસરકારક રીતે કરી શકશે જેથી સમયનો પણ બચાવ થશે. આ સિસ્‍ટમથી કેસને લાગતી વસ્‍તુનું વ્‍યવસ્‍થિત ગોઠવણીમાં પણ મદદ મળશે. હાલમાં આ સિસ્‍ટમ સેલવાસ અને ખાનવેલ પોલીસ સ્‍ટેશનમાં શરૂ કરવામાં આવી છે.

Related posts

વાપીમાં કરાટે ટ્રેનિંગના 27 વર્ષ પૂર્ણ કરતા હાર્દિક જોશી, વાપીમાં થઈ ભવ્‍ય ઉજવણી

vartmanpravah

દાનહ વન વિભાગે પાસ પરમીટ વગર લાકડા ભરેલ ટેમ્‍પો ઝડપી પાડયો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે 67 વર્ષની વયે યુવાનોને પણ શરમાવે એવા તરવરાટ સાથે સાચા કર્મયોગીની કરાવેલી ઝાંખી

vartmanpravah

ચીખલીના રાનવેરી ખુર્દમાં દોઢ વર્ષે પણ આંગણવાડીનું બાંધકામ પૂર્ણ નહીં થતાં નાના ભૂલકાંઓ ઓટલા પર બેસી અભ્‍યાસ કરવા મજબૂર

vartmanpravah

ધરમપુર તાલુકાના મરઘમાળ ગામે સાકાર વાંચન કુટીરના સ્‍થાપના દિનની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

રવિવારે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ પેડેસ્‍ટ્રીયલ બ્રિજ પાસે ચિલ્‍ડ્રન મેમોરિયલ પાર્કનું લોકાર્પણ કરશે

vartmanpravah

Leave a Comment