February 22, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રેલવેના રૂા.4.97 કરોડ બાકી ખેંચાતા વાપી નોટિફાઈડે રેલવેનું પાણી જોડાણ કાપ્‍યું

ઈરીગેશન વિભાગ પાસે નોટિફાઈડ પાણી ખરીદી શુધ્‍ધ કરીને રેલવેને પુરવઠો અપાતો હતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.29: વાપી નોટિફાઈડ દ્વારા પશ્ચિમ રેલવે વાપીને પાણી પુરવઠો અપાય છે. માસિક રૂા.5,500 કે.એલ. જેટલું પાણી રેલવેને અપાઈ રહ્યું છે. પરંતુ લાંબા સમયથી નિયમિત બિલની ચૂકવણી નહી કરવામાં આવતાં 9.97 કરોડ રૂપિયા બાકી ખેંચાઈ રહ્યા હોવાથી પાણી પુરવઠો બંધ કરવામાં આવ્‍યો હોવાનું જાણવા મળ્‍યું છે.
રેલવે તંત્ર દ્વારા નિયમિત નોટિફાઈડને પાણી બીલનું ચુકવણું થઈ નથી રહ્યું હતું તેથી પાણી પુરવઠો બંધ કરવાની ચિમકી પણ અપાયેલી. તેથી માંડ પાંચ-છ મહિને કરોડ રૂપિયાની ચૂકવણી રેલવેએ કરી હતી. પરંતુ લાંબા સમયની ચૂકવણી બાકી પડતા મુદ્દલ, વ્‍યાજ, પેનલ્‍ટી સહિત રૂા.4.97 કરોડ જેટલી તોતિંગ રકમ બાકી પડતા અન્‍ય કોઈ વિકલ્‍પ નોટિફાઈડ પાસે નહી રહેતા અંતે પાણી પુરવઠો બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. ઉલ્લેખનીય છે કે, નોટિફાઈડ વાપી વિયરમાંથી ઈરીગેશન સિંચાઈ વિભાગને પ્રતિ કે.એલ. રૂા.41.77 ચૂકવે છે તે પછી શુધ્‍ધિકરણ પ્રક્રિયા કરી પાણી રેલવે પ્રતિ કે.એલ. રૂા.139ના ભાવે આપવામાં આવતું હતું. પરંતુ તોતિંગ બીલ ચઢી જતા પાણી બંધ કરાયું છે. જો કે રેલવે પાસે બોર, કુવાનો વિકલ્‍પ હોવાથી ખાસ મુશ્‍કેલી પડશે નહીં.

Related posts

પ્રશાસક પ્રફુલભાઈ પટેલ પોતાની તમામ શક્‍તિનો ઉપયોગ કરી દાનહને આકર્ષક અદ્યતન અને શ્રેષ્‍ઠ આદર્શ જિલ્લો બનાવવા પ્રશાસન મક્કમ

vartmanpravah

વલસાડ નનકવાડા વિસ્‍તારમાં એપાર્ટમેન્‍ટનો સ્‍લેબ તૂટયો : નીચે ઉભેલા ત્રણ ઈજાગ્રસ્‍ત

vartmanpravah

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટ બેઠકમાં જનહિતલક્ષી નિર્ણય

vartmanpravah

જીએનએલયુ સેલવાસનું ગૌરવ વિદ્યાર્થી દિવ્‍યાંશ જોશીએ ન્‍યાયવિમર્શ રાષ્ટ્રીય નિબંધ લેખન સ્‍પર્ધામાં પ્રથમ પુરસ્‍કાર મેળવ્‍યો

vartmanpravah

વલસાડ જિલ્લામાં ગુજરાત સ્‍ટેટ યોગ બોર્ડ દ્વારા વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીનો જન્‍મદિવસ વૈદિક યજ્ઞ સાથે ઉજવાયો

vartmanpravah

સેલવાસની લાયન્‍સ ઈંગ્‍લીશ સ્‍કૂલમાં નવદુર્ગા યજ્ઞ સમારોહ યોજાયો

vartmanpravah

Leave a Comment