ઈરીગેશન વિભાગ પાસે નોટિફાઈડ પાણી ખરીદી શુધ્ધ કરીને રેલવેને પુરવઠો અપાતો હતો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.29: વાપી નોટિફાઈડ દ્વારા પશ્ચિમ રેલવે વાપીને પાણી પુરવઠો અપાય છે. માસિક રૂા.5,500 કે.એલ. જેટલું પાણી રેલવેને અપાઈ રહ્યું છે. પરંતુ લાંબા સમયથી નિયમિત બિલની ચૂકવણી નહી કરવામાં આવતાં 9.97 કરોડ રૂપિયા બાકી ખેંચાઈ રહ્યા હોવાથી પાણી પુરવઠો બંધ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
રેલવે તંત્ર દ્વારા નિયમિત નોટિફાઈડને પાણી બીલનું ચુકવણું થઈ નથી રહ્યું હતું તેથી પાણી પુરવઠો બંધ કરવાની ચિમકી પણ અપાયેલી. તેથી માંડ પાંચ-છ મહિને કરોડ રૂપિયાની ચૂકવણી રેલવેએ કરી હતી. પરંતુ લાંબા સમયની ચૂકવણી બાકી પડતા મુદ્દલ, વ્યાજ, પેનલ્ટી સહિત રૂા.4.97 કરોડ જેટલી તોતિંગ રકમ બાકી પડતા અન્ય કોઈ વિકલ્પ નોટિફાઈડ પાસે નહી રહેતા અંતે પાણી પુરવઠો બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. ઉલ્લેખનીય છે કે, નોટિફાઈડ વાપી વિયરમાંથી ઈરીગેશન સિંચાઈ વિભાગને પ્રતિ કે.એલ. રૂા.41.77 ચૂકવે છે તે પછી શુધ્ધિકરણ પ્રક્રિયા કરી પાણી રેલવે પ્રતિ કે.એલ. રૂા.139ના ભાવે આપવામાં આવતું હતું. પરંતુ તોતિંગ બીલ ચઢી જતા પાણી બંધ કરાયું છે. જો કે રેલવે પાસે બોર, કુવાનો વિકલ્પ હોવાથી ખાસ મુશ્કેલી પડશે નહીં.