Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના સેવાભાવી અગ્રણી બિલ્‍ડર પિન્‍ટુભાઈ વશીનું હૃદયરોગના હુમલાથી દુઃખદ અવસાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.10: વલસાડના મળતાવડા સ્‍વભાવનાં અગ્રણી બિલ્‍ડર પીન્‍ટુભાઇ ઉર્ફે પુરંજયભાઈ વશીને આજે સવારે હાર્ટએટેક આવતા થયેલાં અવસાનથી તેમના મિત્રવર્તુળ સહિતના લોકો ઘેરા આઘાતમાં સરી પડ્‍યા છે. તેમની અંતિમયાત્રા શુક્રવારે સવારે લઈ જવામાં આવશે.
વલસાડમાં ખૂબ મોટું નામ ધરાવતા શિવમ ડેવલોપર્સના બિલ્‍ડર એવા 47 વર્ષીય પુરંજયભાઈ ઉર્ફે પિન્‍ટુભાઈને આજે સવારે 9 વાગ્‍યાની આસપાસ તેમના વલસાડનાં હાલર સ્‍થિત ઘરે હૃદયરોગનો હુમલો આવ્‍યો હતો. જેની સ્‍વજનોને જાણ થતા તેમને વલસાડના ડોક્‍ટર હાઉસમાં લઈ જવામાં આવ્‍યા હતા. જ્‍યાં તબીબોએ પ્રયત્‍ન કર્યા હતાં પરંતુપિન્‍ટુભાઈનું અવસાન થયું હતું.
ખૂબ જ મળતાવડા સ્‍વભાવના અને દરેક સારા કાર્યોમાં દાન-હાજરી આપી સતકાર્યોની સુવાસ ફેલાવનારા પિન્‍ટુભાઈના અચાનક અવસાનથી વલસાડના બિલ્‍ડરો, સેવાભાવી સંસ્‍થાનાં સંચાલકો, અગ્રણીઓ સૌ કોઈ આઘાતમાં સરી પડ્‍યા હતા. તેમના અવસાનના સમાચાર મળતા જ નિવાસસ્‍થાને ભારે ભીડ એકત્ર થઈ ગઈ હતી. જોકે પીન્‍ટુભાઇના ભાઈ સ્‍વ. સેજુભાઈ વશીના પુત્રી હરિની યુએસએ હોય તેઓ આવતીકાલે સાંજે યુએસએથી ભારત આવી જાય ત્‍યારબાદ પિન્‍ટુભાઈની શુક્રવારે સવારે અંતિમયાત્રા લઈ જવામાં આવશે. પિન્‍ટુભાઈ હાલ તેમના બે પુત્રો નંદીશ અને હવિસને એકલાં છોડી ગયા છે.

Related posts

ઉમરગામ પાલિકાએ પાંચ બિલ્‍ડીંગોને આપેલ બીયુપી અને એનએ અભિપ્રાય સામે તપાસની આવશ્‍યકતા

vartmanpravah

દાનહ જિ.પં.ની સામાન્‍ય સભામાં શાસક પાંખે ગ્રામ્‍ય વિસ્‍તારોમાં કામો નહી થઈ રહ્યા હોવાનો કરેલો સ્‍વીકાર

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દમણ-સેલવાસના કાર્યાન્‍વિત શૈક્ષણિક સંકુલના નિર્માણ કાર્યનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

વલસાડ જિલ્લા કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને ‘‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા”ના આયોજન સંદર્ભે બેઠક યોજાઈ

vartmanpravah

વાપી આરઓબી-આરયુબીના કન્‍સ્‍ટ્રકશન માટે ખોદેલા ખાડામાં અંધારામાં બાઈક સવાર ખાબક્‍યો

vartmanpravah

સુરંગી પંચાયતમાં રાત્રિ ચૌપાલનું આયોજન કરાયું

vartmanpravah

Leave a Comment