April 29, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના સેવાભાવી અગ્રણી બિલ્‍ડર પિન્‍ટુભાઈ વશીનું હૃદયરોગના હુમલાથી દુઃખદ અવસાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.10: વલસાડના મળતાવડા સ્‍વભાવનાં અગ્રણી બિલ્‍ડર પીન્‍ટુભાઇ ઉર્ફે પુરંજયભાઈ વશીને આજે સવારે હાર્ટએટેક આવતા થયેલાં અવસાનથી તેમના મિત્રવર્તુળ સહિતના લોકો ઘેરા આઘાતમાં સરી પડ્‍યા છે. તેમની અંતિમયાત્રા શુક્રવારે સવારે લઈ જવામાં આવશે.
વલસાડમાં ખૂબ મોટું નામ ધરાવતા શિવમ ડેવલોપર્સના બિલ્‍ડર એવા 47 વર્ષીય પુરંજયભાઈ ઉર્ફે પિન્‍ટુભાઈને આજે સવારે 9 વાગ્‍યાની આસપાસ તેમના વલસાડનાં હાલર સ્‍થિત ઘરે હૃદયરોગનો હુમલો આવ્‍યો હતો. જેની સ્‍વજનોને જાણ થતા તેમને વલસાડના ડોક્‍ટર હાઉસમાં લઈ જવામાં આવ્‍યા હતા. જ્‍યાં તબીબોએ પ્રયત્‍ન કર્યા હતાં પરંતુપિન્‍ટુભાઈનું અવસાન થયું હતું.
ખૂબ જ મળતાવડા સ્‍વભાવના અને દરેક સારા કાર્યોમાં દાન-હાજરી આપી સતકાર્યોની સુવાસ ફેલાવનારા પિન્‍ટુભાઈના અચાનક અવસાનથી વલસાડના બિલ્‍ડરો, સેવાભાવી સંસ્‍થાનાં સંચાલકો, અગ્રણીઓ સૌ કોઈ આઘાતમાં સરી પડ્‍યા હતા. તેમના અવસાનના સમાચાર મળતા જ નિવાસસ્‍થાને ભારે ભીડ એકત્ર થઈ ગઈ હતી. જોકે પીન્‍ટુભાઇના ભાઈ સ્‍વ. સેજુભાઈ વશીના પુત્રી હરિની યુએસએ હોય તેઓ આવતીકાલે સાંજે યુએસએથી ભારત આવી જાય ત્‍યારબાદ પિન્‍ટુભાઈની શુક્રવારે સવારે અંતિમયાત્રા લઈ જવામાં આવશે. પિન્‍ટુભાઈ હાલ તેમના બે પુત્રો નંદીશ અને હવિસને એકલાં છોડી ગયા છે.

Related posts

દાનહમાં શાળા અને આંગણવાડીના કુલ 12236 બાળકોનું પહેલાં દિવસે કરાયું આરોગ્‍ય સ્‍ક્રીનિંગ

vartmanpravah

દમણના આસિસ્‍ટન્‍ટ એક્‍સાઇઝ કમિશનર મોહિત મિશ્રાના પરિપત્ર અનુસાર સંઘપ્રદેશમાં મહાવીર જયંતિ પર ડ્રાય ડે જાહેર કરવામાં આવ્‍યો

vartmanpravah

વલસાડ જિલ્લાની પ બેઠક પર ઉમેદવારી પત્ર ચકાસણીની પ્રક્રિયામાં 38 ફોર્મ મંજૂર, 21 રદ્‌

vartmanpravah

દાનહ એક્‍સાઇઝ વિભાગે ખેરડી બોર્ડર પરથી ગેરકાયદેસર દારૂનો જથ્‍થો ભરેલ આઈસર ટેમ્‍પો ઝડપી પાડયો

vartmanpravah

દાનહની ભિલોસા કંપનીના કામદારોને કોન્‍ટ્રાક્‍ટરે નોકરી પરથી કાઢી મુકતા પ્રદેશ ભાજપનું લીધેલું શરણું

vartmanpravah

સેલવાસ સ્‍ટેડીયમ ખાતે ઉત્તર ભારતીય ક્રિકેટ લીગ સીઝન-2નો શુભારંભ

vartmanpravah

Leave a Comment