October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

જિલ્લા પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ

નવસારી જિલ્લાના સર્વાંગી વિકાસ માટે અંદાજીત રૂપિયા 800
લાખના 337 વિકાસ કામો મંજૂર

જિલ્લાના સર્વાંગી વિકાસ માટે મંજૂર થયેલા કામોને ઝડપથી હાથ ધરી નિયત સમયાવધિમાં પૂર્ણ કરવા જિલ્લા પ્રભારી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈની તાકીદ

(વર્તમાનપ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા.07: નવસારી જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્‍યક્ષસ્‍થાને નવસારી જિલ્લા કલેક્‍ટર કચેરી ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લાના સર્વાંગી વિકાસ માટે વિકેન્‍દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ જોગવાઈઓ તથા સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની યોજના અંતર્ગત 2024-25 ના વર્ષ માટે રજૂ કરવામાં આવેલ અંદાજીત રૂપિયા 800 લાખના 337 વિકાસ કામોના આયોજનને મંજૂર કરવામાં આવ્‍યું હતું.
બેઠકને સંબોધતા જિલ્લા પ્રભારી મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જિલ્લાના વિકાસકામોનું આયોજન હાથ ધરાય ત્‍યારે જિલ્લામાં પ્રજાલક્ષી જરૂરિયાતવાળા અગત્‍યના કામો મહત્તમ રીતે આવરી લેવાની સાથે સામૂહિક વિકાસનાં કામોને અગ્રતા અપાય તે જોવાની પણ તેમણે ખાસ હિમાયત કરી હતી. તેમણે પ્રત્‍યેક ગામોમાં સ્‍થાનિકકક્ષાએ પ્રાથમિક્‍તા ધરાવતા લોક સુવિધાના હાથ ધરાયેલા કામો ગુણવત્તાયુક્‍ત અને ઝડપથી પૂર્ણ કરવા તથા મંજૂર કામો નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવા જણાવ્‍યું હતું.
વધુમાં જણાવ્‍યું કે, સંસદસભ્‍યશ્રી અને ધારાસભ્‍ય શ્રીના કામોને અગ્રતા આપી સમયસર કામો પૂર્ણ કરવા સાથે માર્ચના અંત સુધીમાં બાકી રહેલા કામો ઝડપભેર પૂર્ણ તાકિદ કરી હતી.
આ બેઠકમાં નવસારી ધારાસભ્‍યશ્રીરાકેશભાઈ દેસાઈ, ગણદેવી ધારાસભ્‍ય શ્રી નરેશભાઈ પટેલ તરફથી જરૂરી રચનાત્‍મક સૂચનો પણ કરાયાં હતાં.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરેશભાઈ દેસાઈ, જલાલપોર ધારાસભ્‍ય શ્રી આર.સી.પટેલ, જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્‍પ લતા, જિલ્લા આયોજન અધિકારીશ્રી જે.કે.બગીયા, તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ સહિત જિલ્લા આયોજન મંડળના સદસ્‍યશ્રીઓ, સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીશ્રીઓ વગેરે ઉપસ્‍થિત રહ્યાં હતાં.

Related posts

વંદે ભારત એક્‍સપ્રેસ 5મી વખત અકસ્‍માતનો ભોગ બની : ઉદવાડામાં ટ્રેન સાથે ગાય ભટકાઈ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ત્રિ-દિવસીય દાનહ મુલાકાતના સમાપન બાદ દાનહના કાર્યાન્‍વિત પ્રોજેક્‍ટોને ગતિઅને નવી યોજનાને મળનારો ઓપ

vartmanpravah

દમણની સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા, કચીગામનું ગૌરવ

vartmanpravah

‘ગાયત્રી પરિવાર-સેલવાસ’ દ્વારા દાનહમાં ત્રણ દિવસીય જ્‍યોતિ કળશ રથયાત્રા યોજાઈ

vartmanpravah

આર. કે. દેસાઇ કોલેજ ઓફ એજ્યુકેશન, વાપીમાં EPC -4 ‘સ્વની સમજ’ અંતર્ગત ‘આધ્યાત્મિક સ્પર્શ : સ્વની ખોજ’ વિષય પર ISCKON દ્વારા સાપ્તાહિક કાર્યકમ યોજાયો

vartmanpravah

ધો.12 સાયન્‍સ વાપી કેન્‍દ્રનું પરિણામ 45.59 ટકા

vartmanpravah

Leave a Comment