December 1, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડવાપી

કવાલ ગામે ગ્રામ પંચાયત તેમજ આંગણવાડીનું મકાન બનાવાશે

નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ તેમજ પાણી પુરવઠા રાજ્‍યમંત્રી જીતુભાઇ ચૌધરીના હસ્‍તે ખાતમુહૂર્ત કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.20:

વલસાડ જિલ્લાના વાપી તાલુકાના કવાલ ગામે રૂ.14 લાખના ખર્ચે નિર્માણ થનારા ગ્રામ પંચાયત ભવન તેમજ રૂ.5.50 લાખના ખર્ચે આંગણવાડીના નવા બનાવવામાં આવનારા નવામકાનનું ખાતમુહૂર્ત નાણાં, ર્જા અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રી કનુભાઈ દેસાઈ તેમજ કલ્‍પસર અને મત્‍સ્‍યોદ્યોગ, નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજયમંત્રી જીતુભાઇ ચૌધરીના વરદ હસ્‍તે કરાયું હતું.
આ અવસરે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્‍યું હતું કે, ગામના અનેકવિધ વિકાસના કામો સહિત આખા ગામનો વહીવટ ગ્રામ પંચાયતના માધ્‍યમથી થાય છે. સમગ્ર રાજ્‍યમાં વધુમાં વધુ વિકાસકાર્યો થાય તે માટે પંચાયતથી લઈ પાર્લામેન્‍ટ સુધીના પદાધિકારીઓ સતત કાર્યરત રહે છે. કવાલ ગામનો રસ્‍તો નવો બની રહયો છે તેમજ તંબાડી ગામે 66 કે.વી સબસ્‍ટેશનનું ટૂંક સમયમાં લોકાર્પણ કરવામાં આવશે, તેમ તેમણે વધુમાં જણાવ્‍યું હતું.
આ અવસરે પાણી પુરવઠા રાજયમંત્રી જીતુભાઇ ચૌધરીએ જણાવ્‍યું હતું કે, ગ્રામ પંચાયત એ ગામની મૂડીછે. ગામના અનેકવિધ વિકાસના કામો અને સરકારની યોજનાઓની કામગીરી પણ ગ્રામ પંચાયત ખાતેથી થાય છે. તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, આ વિસ્‍તારમાં સરકારની વિવિધ યોજનાઓ હેઠળ અનેક વિકાસકાર્યો ચાલી રહયા છે. પાણી પુરવઠાની નલ સે જલ યોજના હેઠળ ઘર સુધી પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવાની કામગીરી ઝડપથી ચાલી રહી છે.
આ અવસરે વાપી તાલુકા પંચાયત પ્રમુખ વાસંતીબેન, તાલુકા વિકાસ અધિકારી, કવાલ સરપંચ મનોજભાઈ પટેલ અગ્રણી મહેશભાઈ દેસાઈ, સુરેશભાઈ પટેલ, તાલુકા અને જિલ્લા પંચાયત સદસ્‍યો, ગ્રામજનો, આંગણવાડી વર્કરો ઉપસ્‍થિત રહયા હતા.

Related posts

વલસાડ રાબડા ગામે ભયનો માહોલ ફેલાવતો ખુંખાર દિપડો અંતે પાંજરે પુરાયો : લોકોએ રાહતનો શ્વાસ લીધો

vartmanpravah

દાનહના મસાટની સરકારી માધ્‍યમિક શાળાના પ્રાંગણમાં બે દિવસીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનો પ્રારંભ

vartmanpravah

‘‘એજ્‍યુકેશન વર્લ્‍ડ ઈન્‍ડિયા સ્‍કૂલ રેન્‍કિંગ 2024-25 એવોર્ડ” સમારોહમાં લાયન્‍સ ઈંગ્‍લિશ સ્‍કૂલે સ્‍પેશિયલ મેરિટ એવોર્ડ મેળવીને બનાવ્‍યો રેકોર્ડ

vartmanpravah

પ્રદૂષણનો પ્રશ્ન ઉકેલનાર વલસાડની સરકારી ઈજનેરી કોલેજને રાષ્ટ્રીય એવોર્ડ સાથે 1 લાખનું ઈનામ પણ મળ્યું

vartmanpravah

‘સત્તાના સૂર્યને પણ રાત્રિ અવરોધે છે, જ્‍યારે ચારિત્ર્યનો પ્રકાશ અનંત કાળ સુધી અવિરતપણે ઝળહળતો રહે છે’

vartmanpravah

મોટી દમણના મગરવાડા છ રસ્‍તાથી ભામટી તળાવ ફળિયા સુધીના રોડના વિસ્‍તૃતિકરણ માટે કરેલા ખોદાણની ભરણી નહીં થતાં ચોમાસામાં પ્રાણઘાતક અકસ્‍માત સર્જાવાની ભીતિ

vartmanpravah

Leave a Comment