April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સલવાવ ફાર્મસી કોલેજ ફસ્ટ સેમેસ્ટરનું ૧૦૦ ટકા પરિણામઃ જીટીયુ ટોપટેનમાં 4 વિદ્યાર્થીઓએ સિદ્ધિ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.31: ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા માસ્‍ટર ઓફ ફાર્મસીના પ્રથમ સેમેસ્‍ટરની પરીક્ષાનું પરિણામ તારીખ 31/05/2023 મંગળવારના રોજ જી.ટી.યુ. દ્વારા જાહેર થયેલ હતું. દર વર્ષની જેમ જી.ટી.યુ. ટોપ ટેનમાં રહેવાની પરંપરા આ વર્ષે પણ વિદ્યાર્થીઓએ જાળવી રાખી છે. જેમાં ફાર્માસ્‍યુટિકસ શાખાનું 100 ટકા પરિણામ આવ્‍યું જે કોલેજ અને સંસ્‍થા માટે અતિ ગૌરવવંતીબાબત છે.
આ જાહેર થયેલા પરિણામમાં એમ. ફાર્મસીના ચાર વિદ્યાર્થીઓ જી.ટી.યુ. ટોપ ટેનમાં અને પાંચ વિદ્યાર્થીઓ બ્રાંચ વાઈઝ પરિણામમાં આવતા સંસ્‍થાનું ગૌરવ વધાર્યું છે. જેમાં ફાર્માસ્‍યુટિકસ બ્રાંચ વાઈઝ પરિણામ જોતા બારોટ માનસી મનોજકુમાર 9.38 સી.પી.આઈ અને એસ.પી.આઈ સાથે સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી સંસ્‍થાનું ગૌરવ વધાર્યું છે, તેમજ ચિત્રોડા દેવલબેન નરેન્‍દ્રભાઈ, પ્રજાપતિ હાર્દિક ભરતભાઈ, ઓઝા વૃશાંત પ્રણય 9.23 સી.પી.આઈ અને એસ.પી.આઈ સાથે બીજા ક્રમે અને પ્રજાપતિ હાર્દિક નરેન્‍દ્રભાઈ 8.77 સી.પી.આઈ અને એસ.પી.આઈ સાથે સમગ્ર યુનિવર્સિટીમાં પાંચમો ક્રમ પ્રાપ્ત કરી સંસ્‍થાનું ગૌરવ વધાર્યું છે.
તદુપરાંત જી.ટી.યુ. ટોપ ટેનના સી.પી.આઈ વાઈઝ પરિણામ જોતા બારોટ માનસી મનોજકુમાર 9.38 સી.પી.આઈ પ્રાપ્ત કરી સમગ્ર યુનિવર્સિટીમાં બીજા ક્રમે આવતા સંસ્‍થાનું ગૌરવ વધાર્યું છે, તેમજ ચિત્રોડા દેવલબેન નરેન્‍દ્રભાઈ, પ્રજાપતિ હાર્દિક નરેન્‍દ્રભાઈ, ઓઝા વૃશાંત પ્રણય 9.23 સી.પી.આઈ સાથે સમગ્ર યુનિવર્સિટીમાં ચોથો ક્રમ પ્રાપ્ત કરી સંસ્‍થા અને સમગ્ર વલસાડ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
આવી સોનેરી સિદ્ધિ બદલ શ્રી સ્‍વામિનારાયણ સંસ્‍થાના અધ્‍યસ્‍થાપક પૂજ્‍ય પૂરાણી સ્‍વામી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્‍ટી પૂજ્‍ય પૂરાણી સ્‍વામીકપિલજીવનદાસજી, પૂજ્‍ય રામ સ્‍વામીજી, ટ્રસ્‍ટી શ્રી બાબુભાઈ સોડવડીયા, ટ્રસ્‍ટીગણ, કેમ્‍પસ એકેડેમિક ડીરેક્‍ટર અને એમ. ફાર્મ હેડ ડૉ.શૈલેશ વી. લુહાર, કેમ્‍પસ ડીરેક્‍ટર શ્રી હિતેન બી. ઉપાધ્‍યાય, આચાર્યશ્રી ડૉ.સચિન બી. નારખેડે, તેમજ સ્‍ટાફે એમ.ફાર્મસીના વિદ્યાર્થીઓને શુભેચ્‍છા પાઠવી અને ભવિષ્‍યમાં પણ આવી ઉજ્જવળ પ્રગતિ કરે તેવા આશીર્વચન આપ્‍યા હતા.

Related posts

સેલવાસ બાવીસા ફળિયા ખાતે આવેલ મદ્રેસામા મૌલાના વિરુદ્ધ દુષ્‍કર્મની ફરિયાદ નોંધાઈ

vartmanpravah

વલસાડમાં મજબુદાર પરિવારે વૃદ્ધ માતાના મૃત્‍યુ બાદ દેહ દાન કરી મિશાલ પુરી પાડી

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસને સનદી અધિકારીઓના વિભાગોમાં કરેલા ફેરફાર દીવ જિલ્લાના કલેક્‍ટર તરીકે રાહુલ દેવ બુરાઃ દીવના એસ.પી. તરીકે રાહુલ બાલહરાની નિયુક્‍તિ

vartmanpravah

વાઘછીપાના વકીલ પર એટ્રોસીટીની ફરિયાદ નોંધાતા ચકચાર

vartmanpravah

લોકસભાની 2004ની ચૂંટણીમાં દાનહ બેઠકના ભાજપના ઉમેદવાર (સ્‍વ.) અનિલભાઈ પટેલના પ્રચાર માટે આવ્‍યા હતા નરેન્‍દ્રભાઈ મોદી

vartmanpravah

કોલક ડુંગરીવાળી ખાતે ડમ્‍પરમાં પાછળથી બાઈક ઘૂસી જતા અકસ્‍માતઃ પિતા તથા સાત વર્ષના બાળકનું કરૂણ મોત

vartmanpravah

Leave a Comment