(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.31: ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2023 માં લેવાયેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ 31.05.23 ને બુધવારના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં શ્રી સ્વામિનારાયણ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ સલવાવના 64 જેટલાં વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી ધોરણ-12 કોમર્સ ગુજરાતી માધ્યમમાં 32 વિદ્યાર્થીઓમાંથી નિધી બી. જોષી 99.58 પીઆર સાથે પ્રથમ ક્રમે, વૈભવી કે. સિદ્ધપરા 97.80 પીઆર સાથે બીજા ક્રમે અને નૈમિલકુમાર એમ. ચાપાણી 96.06 પીઆર સાથે ત્રીજા ક્રમે ઉત્તીર્ણ રહી સંસ્થાનું ગૌરવ વધાર્યું છે, અને અંગ્રેજી માધ્યમમાં 32 વિદ્યાર્થીઓએ ધોરણ-12 કોમર્સની પરીક્ષા આપી હતી. જેમાં હરી આર. પટેલ 95.57 પીઆર સાથે પ્રથમ ક્રમે, કૌશિક ડી. ટુકડીયા 95.27 પીઆર સાથે બીજા ક્રમે અને મનીષા બી. કુમાવત 94.86 પીઆર સાથે ત્રીજા ક્રમે આવી શાળાનું ગૌરવ વધાર્યું છે. આવી ઝળહળતી સિધ્ધી બદલ શ્રી સ્વામિનારાયણ સંસ્થાના અધિસ્થાપક પૂજ્ય સ્વામી પૂરાણી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્ટી પૂજ્ય પુરાણી કપિલ જીવનદાસજી, પૂજ્ય રામસ્વામીજી, ટ્રસ્ટી શ્રી બાબુભાઈ સોડવડીયા, શ્રીમતી જયશ્રીબેન સોડવડિયા, ટ્રસ્ટીગણ, કેમ્પસ એકેડેમિક ડીરેક્ટર ડો.શૈલેશ વી. લુહાર,કેમ્પસ ડીરેક્ટર શ્રી હિતેન બી. ઉપાધ્યાય, આચાર્યશ્રી શ્રીમતી રીનાબહેન દેસાઈ અને તમામ સ્ટાફે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.