April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી બંગાળી સમાજ દ્વારા વીઆઈએ ગ્રાઉન્‍ડમાં અતિ ભવ્‍ય દુર્ગાપૂજાનું આયોજન

બંગાળ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા છેલ્લા 40 વર્ષથી વાપીમાં કરાઈ રહેલું દુર્ગાપૂજાનું આયોજન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: વાપી બંગાળ ચેરીટેબલ ટ્રસ્‍ટ-સરબોજીની દુર્ગાપૂજા કમિટિ દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્‍ય દુર્ગાપૂજાનું આયોજન કરવામાં આવ્‍યું છે. ચાર દિવસીય ચાલનારી દુર્ગા પૂજામાં વાપી, સેલવાસ, દમણ, વલસાડથી રોજ હજારો શ્રધ્‍ધાળુઓ આવે છે અને માતાજીની પૂજા-અર્ચના કરે છે.
વાપીમાં નવરાત્રીના ભવ્‍ય આયોજનોમાં તદ્દન ધાર્મિક અને સાંસ્‍કૃતિક આયોજન બંગાળ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા વી.આઈ.એ. ગ્રાઉન્‍ડમાં ચારદિવસની યોજાયેલી દુર્ગાપૂજા અતિ આકર્ષણનું કેન્‍દ્ર બની રહેલ છે. ભવ્‍ય સજાવટ વાળો ગેટ અને માતાજીની પંડાલમાં માઁ દુર્ગાની મૂર્તિઓ પ્રસ્‍થાપિત કરાઈ છે. દિવસભર આદ્યાત્‍મિક માહોલ જોવા મળી રહ્યો છે. સવાર-સાંજ માતાજીની આરતી-પૂજા શાષાોક્‍ત રીતે પંડિતો દ્વારા કરવામાં આવે છે. સપ્તમીથી ચાલુ થયેલ દુર્ગાપૂજા દશેરાના દિવસે પુર્ણાહુતી થનાર છે. સંસ્‍થાના પ્રમુખ સોમેદુ ચક્રવર્તીએ જણાવ્‍યું હતું કે, વાપીમાં 40 વર્ષથી દુર્ગાપૂજાનું આયોજન કરવામાં આવે છે. મહાસપ્તમી પૂજન, દરરોજ માતાજીને સાત થાળીમાં સાત પ્રકારના ભોગ ચઢાવાય છે. બંગાળી કલ્‍ચર એન્‍ડ વેલ્‍ફેર સોસાયટી દ્વારા રોજ સાંજે ઢોલ-નગારા સાથે આરતી અને રાત્રે સાંસ્‍કૃતિક કાર્યક્રમ યોજાય છે.

Related posts

વાપી કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજમાં જય વસાવડાનો સેમિનાર યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીની પગલે ખેડૂતોને જરૂરી તકેદારી રાખવા અનુરોધ

vartmanpravah

સ્‍વાતંત્ર્ય સંગ્રામના ઘટકો

vartmanpravah

વલસાડઃ વશીયરમાં રેલવેના નવા બ્રિજ માટે ડિમોલીશન કરવા ગયેલ ટીમને સ્‍થાનિકોએ અટકાવતા મામલો ઉગ્ર બન્‍યો: સાત જેટલા મકાનો ડિમોલીશનમાં જતા હોવાથી લોકોએ નોંધાવેલો વિરોધ

vartmanpravah

ચીખલીના મજીગામમાં રાષ્‍ટ્રીય ધોરીમાર્ગને જોડતા લિંક રોડ સ્‍થિત મોતને આમંત્રણ આપી રહેલ ફયુઝ વગરની ખુલ્લી ડીપી

vartmanpravah

દમણની સરકારી કોલેજમાં ‘ગાંધીયુગને ઘડનારા પરિબળો’ વિષયને કેન્‍દ્રમાં રાખી વ્‍યાખ્‍યાન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment