June 30, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

દમણ પોલીકેબ ઈન્‍ડસ્‍ટ્રીઝમાં કરાયું વૃક્ષારોપણ

જળ જંગલ જમીન અને જીવજંતુ આપણાં જીવનનો આધાર હોવાથી તેના સંરક્ષણ અને સંવર્ધન માટે કંપનીના પ્રેસિડેન્‍ટ આર.કે.કુંદનાનીએ કર્મચારીઓને લેવડાવેલો સંકલ્‍પ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.05 : ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ના ઉપલક્ષમાં દર વર્ષની માફક આ વર્ષે પણ દેશની બ્રાન્‍ડેડ કેબલ અને વાયર ઉત્‍પાદક પોલીકેબ કંપની દ્વારા દરેક યુનિટોમાં પોલીકેબ ઈન્‍ડસ્‍ટ્રીઝના પ્રેસિડન્‍ટ શ્રી આર.કે.કુંદનાનીના માર્ગદર્શનમાં કંપની પ્રબંધક અને કર્મચારીઓએ કંપની પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું.
આ પ્રસંગેકંપનીના પ્રેસિડન્‍ટ શ્રી રમેશ કુંદનાનીએ પર્યાવરણ દિવસના અભિનંદન આપતાં કર્મચારીઓ અને શ્રમિકોને પર્યાવરણના મહત્‍વની બાબતમાં જાણકારી આપી હતી. તેમણે કર્મચારીઓને જળ, જંગલ, જમીન અને જીવજંતુ આપણાં જીવનનો આધાર હોવાથી તેના સંરક્ષણ અને સંવર્ધન માટે સંકલ્‍પ લેવડાવ્‍યો હતો.
આ પ્રસંગે પોલીકેબ કંપનીના વાઈસ પ્રેસિડેન્‍ટ શ્રી ગજાનંદ વરૂડકર સહિત કંપનીના શ્રી અર્તવલ્લવ સ્‍વાઈ, શ્રી જયેન મહેતા, શ્રી મુકેશ વૈષ્‍ણવ, શ્રી તપસ પ્રમાણિક, શ્રી કે.વી.રાજુ, શ્રી પ્રેમ સોની, શ્રી શશી મેનન, શ્રી આશારામ રાવત, શ્રી એમ.ડી. જોષી, શ્રી આર.વી.સિંઘ, શ્રી મુરલી, શ્રી મનેક પારીખ, શ્રી પ્રશાંત થોરાત, શ્રી રઘુનાથ, શ્રી સોહિન્‍દુ પ્રધાન, શ્રી પ્રમેન્‍દ્ર સિંહ વગેરે પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વિદ્યાર્થીનીઓને મોડી રાત્રે અભદ્ર મેસેજ કરવાના મામલે સેલવાસ ખાતેના આકાશ બાયજૂસ ટયૂશન ક્‍લાસનાશિક્ષકની પોલીસે કરેલી ધરપકડ

vartmanpravah

વાપી ડુંગરી ફળીયામાં અનેક ભંગારના ગોડાઉનો ભિષણ આગની લપેટમાં : સમગ્ર વિસ્‍તારમાં ભયનો માહોલ

vartmanpravah

પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્‍ન સ્‍વ. અટલ બિહારી વાજપેયીના જન્‍મ દિવસે દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપે આપેલી શ્રધ્‍ધાંજલિ

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા. ૧ થી ૭ સુધી ૧૧ સ્થળો પર Y-20 ગુજરાત સંવાદ કાર્યક્રમ યોજાશે

vartmanpravah

રખોલીની બે કંપનીઓના કામદારોએ પગાર વધારા મુદ્દે પાડેલી હડતાળ

vartmanpravah

રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં ઉમરગામના ધોડીપાડામાં બે દિવસીય આદિજાતિ જન ઉત્‍કર્ષ મહોત્‍સવની ઉજવણીનો પ્રારંભ

vartmanpravah

Leave a Comment