March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

લોક અદાલતના લાભો ન્‍યાયમૂર્તિ જસ્‍ટીસ બિરેનએ.વૈષ્‍ણવ દ્વારા ‘‘હાજીર હો” કાર્યક્રમના માધ્‍યમથી ઘર બેઠા જાણી શકાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.10: વલસાડ જિલ્લા અને ગુજરાત રાજ્‍ય સહિત સમગ્ર દેશની તમામ અદાલતોમાં આગામી તારીખ 14/09/2024ના રોજ રાષ્‍ટ્રીય લોક અદાલત યોજાનાર છે, જેમાં વિવિધ સમાધાન લાયક કેસોનો લોક અદાલતના માધ્‍યમથી નિકાલ થાય અને લોક અદાલતના ફાયદાઓ જાણી મહત્તમ લોકો લોક અદાલતોનો લાભ લઈ શકે તે હેતુથી લોક અદાલતના પ્રચાર પ્રસાર માટે આગામી તા.11/09/2024 ના રોજ બપોરે 02.30 કલાકે અને તા. 12/09/2024ના રોજ સાંજે 6.00 કલાકે તેમજ તા. 13/09/2024ના રોજ સવારે 09:30 કલાકે આમ, સતત ત્રણ દિવસ ડી.ડી. ગીરનાર ચેનલ અને યુટયૂબ એપ્‍લિકેશનના માધ્‍યમથી રાજ્‍યની વડી અદાલતના મુખ્‍ય ન્‍યાયમૂર્તિ જસ્‍ટીસ સુનિતા અગ્રવાલના વિશેષ સંદેશ સાથે વરિષ્ઠ ન્‍યાયમૂર્તિ જસ્‍ટીસ બિરેન એ.વૈષ્‍ણવ દ્વારા લોક અદાલત બાબતે વિશેષ ચર્ચા સહ માર્ગદર્શન કાર્યક્રમનું પ્રસારણ નિહાળવા વલસાડ જિલ્લાની જનતાને સેક્રેટરી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી દ્વારા અપીલ કરવામાં આવી છે.

Related posts

ચીખલી તેજલાવનો કાર માલિક ઘરે જ હોવા છતાં બગવાડા ટોલનાકા પર ફાસ્‍ટેગથી રૂપિયા કપાયા

vartmanpravah

દાનહ આરોગ્‍ય વિભાગ દ્વારા વિશ્વ ટીબી દિવસ નિમિતે ટીબી અઠવાડિયાનો પ્રારંભ કરાયો:  રખોલી પીએચસી ખાતેથી વાનને લીલી ઝંડી બતાવી રવાના કરાઈ

vartmanpravah

સમુદ્ર પરિક્રમા કાર્યક્રમનું સમાપન : માછીમારનેતા વિશાલભાઈ ટંડેલે કરેલું દમણનું પ્રતિનિધિત્‍વ

vartmanpravah

દાનહના ધોડિયા સમાજના તેજસ્‍વી વિદ્યાર્થીઓને સાંસદ કલાબેન ડેલકરના હસ્‍તે ‘‘જ્ઞાન ગૌરવ પુરસ્‍કાર”થી સન્‍માનિત કરાયા

vartmanpravah

દમણ લાયન્‍સ પરિવાર અને સિનિયર સિટીઝન કાઉન્‍સિલ દ્વારા ‘સિનિયર સિટીઝન ડે’ની ઉજવણી કરાશે

vartmanpravah

દાનહ સ્‍કાય હાઈટ્‍સ સોસાયટી દ્વારા વાઈનશોપને બંધ કરવા માટે આરડીસીને રજૂઆત કરાઈ

vartmanpravah

Leave a Comment