October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

લોક અદાલતના લાભો ન્‍યાયમૂર્તિ જસ્‍ટીસ બિરેનએ.વૈષ્‍ણવ દ્વારા ‘‘હાજીર હો” કાર્યક્રમના માધ્‍યમથી ઘર બેઠા જાણી શકાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.10: વલસાડ જિલ્લા અને ગુજરાત રાજ્‍ય સહિત સમગ્ર દેશની તમામ અદાલતોમાં આગામી તારીખ 14/09/2024ના રોજ રાષ્‍ટ્રીય લોક અદાલત યોજાનાર છે, જેમાં વિવિધ સમાધાન લાયક કેસોનો લોક અદાલતના માધ્‍યમથી નિકાલ થાય અને લોક અદાલતના ફાયદાઓ જાણી મહત્તમ લોકો લોક અદાલતોનો લાભ લઈ શકે તે હેતુથી લોક અદાલતના પ્રચાર પ્રસાર માટે આગામી તા.11/09/2024 ના રોજ બપોરે 02.30 કલાકે અને તા. 12/09/2024ના રોજ સાંજે 6.00 કલાકે તેમજ તા. 13/09/2024ના રોજ સવારે 09:30 કલાકે આમ, સતત ત્રણ દિવસ ડી.ડી. ગીરનાર ચેનલ અને યુટયૂબ એપ્‍લિકેશનના માધ્‍યમથી રાજ્‍યની વડી અદાલતના મુખ્‍ય ન્‍યાયમૂર્તિ જસ્‍ટીસ સુનિતા અગ્રવાલના વિશેષ સંદેશ સાથે વરિષ્ઠ ન્‍યાયમૂર્તિ જસ્‍ટીસ બિરેન એ.વૈષ્‍ણવ દ્વારા લોક અદાલત બાબતે વિશેષ ચર્ચા સહ માર્ગદર્શન કાર્યક્રમનું પ્રસારણ નિહાળવા વલસાડ જિલ્લાની જનતાને સેક્રેટરી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી દ્વારા અપીલ કરવામાં આવી છે.

Related posts

સલવાવ ગુરુકુળનાકપિલ સ્‍વામીએ સંપ્રદાયના હિતમાં નિવેદન આપ્‍યુ

vartmanpravah

ચીખલી તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોમાં એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં ડેપ્‍યુટી સરપંચોની ચૂંટણી યોજાઈ

vartmanpravah

ચીખલીના વંકાલમાં ક્રિસમસની ઉજવણીની આડમાં ધર્માંતરણ થઈ રહ્યાની ઉઠેલી બૂમ

vartmanpravah

ઉદવાડામાં લોકો પર પથ્‍થરમારો કરતી મનોરોગી મહિલાના પરિવારને શોધી 181 અભયમે કબજો સોપ્‍યો

vartmanpravah

દમણ-દીવ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે આકર્ષક રોડ શો સાથે ભરેલું ઉમેદવારી પત્રક

vartmanpravah

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના સમર્થનમાં દાનહ કોંગ્રેસે કરેલો ‘સંકલ્‍પ સત્‍યાગ્રહ’

vartmanpravah

Leave a Comment