(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.10: વલસાડ જિલ્લા અને ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશની તમામ અદાલતોમાં આગામી તારીખ 14/09/2024ના રોજ રાષ્ટ્રીય લોક અદાલત યોજાનાર છે, જેમાં વિવિધ સમાધાન લાયક કેસોનો લોક અદાલતના માધ્યમથી નિકાલ થાય અને લોક અદાલતના ફાયદાઓ જાણી મહત્તમ લોકો લોક અદાલતોનો લાભ લઈ શકે તે હેતુથી લોક અદાલતના પ્રચાર પ્રસાર માટે આગામી તા.11/09/2024 ના રોજ બપોરે 02.30 કલાકે અને તા. 12/09/2024ના રોજ સાંજે 6.00 કલાકે તેમજ તા. 13/09/2024ના રોજ સવારે 09:30 કલાકે આમ, સતત ત્રણ દિવસ ડી.ડી. ગીરનાર ચેનલ અને યુટયૂબ એપ્લિકેશનના માધ્યમથી રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટીસ સુનિતા અગ્રવાલના વિશેષ સંદેશ સાથે વરિષ્ઠ ન્યાયમૂર્તિ જસ્ટીસ બિરેન એ.વૈષ્ણવ દ્વારા લોક અદાલત બાબતે વિશેષ ચર્ચા સહ માર્ગદર્શન કાર્યક્રમનું પ્રસારણ નિહાળવા વલસાડ જિલ્લાની જનતાને સેક્રેટરી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી દ્વારા અપીલ કરવામાં આવી છે.