બિલખાડીની બાજુમાં મુકવામાં આવેલ કચરા પેટીથી અવાર-નવાર અકસ્માતો સર્જાય છે અને ગંદકી ફેલાઈ રહી છે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.10: વાપી તાલુકાનાં છરવાડા ગામે રમઝાનવાડીનાં પ્રવેશ દ્વાર પાસે આવેલ બિલખાડીનાં નહેરમાં બુધવારે સાંજે ગાય પડી જતા સ્થાનિકો દ્વારા રેસ્કયુ કરી ગાયને બહાર કાઢવામાં આવી હતી.
છરવાડા ગામે રમઝાનવાડી ખાતે આવેલ બિલખાડીનાં નહેરમાં મંગળવારે એક ગાય પડી જવાપામી હતી. આ સ્થળે કચરા પેટી આવેલ છે જેમાં લોકો જાહેરમાં ગમે તેમ કચરો ફેîકી જતા હોય છે જેને આરોગવા રોજ-બરોજ ગાયો પોતાનું પેટ ભરવા ખોરાકની શોધમાં અહી આવી કચરા પેટી તથા રસ્તા ઉપર પડેલ કચરામાંથી ખોરાક શોધી ખાય છે અને આ રસ્તો બિલખાડીને બરાબર લાગુ હોય આગળ પણ એક બે વાર ગાય પડી જવાની ઘટના બનવા પામી હતી. જો કે ગાય બિલખાડીમાં નીચે ઉતરી જતા સ્થાનિકો જહેમત ઉઠાવી ગાયને આ નહેરમાંથી ઉગારી હતી.