August 31, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહના સીલી ગામના અદ્વૈતા ગુરુકુળમાં દશાબ્‍દિ મહોત્‍સવ નિમિત્તે સાંસ્‍કૃતિક કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29 : દાદરા નગર હવેલીના સીલી ગામમાં આવેલ અદ્વૈતા ગુરુકુળ સંસ્‍થાને દસ વર્ષ પૂર્ણ થતાં દશાબ્‍દિ મહોત્‍સવ નિમિત્તે સાંસ્‍કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ગુરૂકાળના બાળકોએ આનંદ અને ઉત્‍સાહથી ભાગ લીધો હતો અને પોતાના કલા-કૌશલ્‍યના દર્શન કરાવ્‍યા હતા.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાનહના સીલી ગામ ખાતે અદ્વૈતા ગુરૂકુળ આવેલ છે જેના 10 પૂર્ણ થવાના અવસરે દશાબ્‍દિ મહોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેના અંતર્ગત સાંસ્‍કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ સાંસ્‍કૃતિક કાર્યક્રમમાં ગુરૂકુળના વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. જેમાં સુંદર દેખાવ કરનાર વિદ્યાર્થીઓના ગ્રુપને ઈનામ અને પ્રમાણપત્ર આપીને સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. સાથે શાળામાં વિવિધ પરીક્ષાઓમાં પ્રથમ ક્રમે પાસ થનાર વિદ્યાર્થીઓને પણ પ્રમાણપત્ર અને ઇનામ આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.
આ પ્રસંગે ગુરૂકુળના આચાર્ય ડો. રાજેશ્વરી નાયરે દસ વર્ષ દરમ્‍યાન ગુરૂકુળ સંસ્‍થાની કામગીરી વિષે ઉપસ્‍થિત તમામને માહિતી આપી હતી. શાળાના ડાયરેક્‍ટર શ્રસ આર.કે.નાયરે જણાવ્‍યું હતું કે, ગુરૂકુળ અને બાળકોનું બીજું ઘર છે,જ્‍યાં બાળકોમાં સંસ્‍કારનું સિંચન થાય છે.
આ અવસરે શાળાના સંચાલકો સહિત શિક્ષકો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્‍યામાં વાલીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાંસદાના સિણધઈ ગામે દીપડાએ ધોળા દિવસે બે ખેત મજૂરો પર હુમલો કરતા લોહી લુહાણ

vartmanpravah

ધરમપુર તાલુકાના બામટીથી નાની ઢોલડુંગરી રસ્તાની મરામત કામગીરી કરાઈ

vartmanpravah

બે વર્ષ પહેલાં ગુમ થયેલા પરિયારીના વિનોદ રામજી વારલીનો પરિવાર સાથે મેળાપ થતાં સંવેદનશીલ બનેલું વાતાવરણ

vartmanpravah

સુખાલા આરોગ્‍ય કેન્‍દ્રને પરિવાર કલ્‍યાણ વિભાગ કેન્‍દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલું સન્‍માન પત્ર

vartmanpravah

પારડીના પંચલાઈમાં મેડિકલ વેસ્‍ટનો જથ્‍થો ખુલ્લામાં ફેંકાતા સ્‍થાનિકોમાં રોષ

vartmanpravah

આજે સેલવાસ રીંગરોડ-ઉલટન ખાતે હિન્‍દુસ્‍તાન પેટ્રોલિયમના ક્રિષ્‍ણા પેટ્રોલિયમનું ઉદ્‌ઘાટન

vartmanpravah

Leave a Comment