Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહના સીલી ગામના અદ્વૈતા ગુરુકુળમાં દશાબ્‍દિ મહોત્‍સવ નિમિત્તે સાંસ્‍કૃતિક કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29 : દાદરા નગર હવેલીના સીલી ગામમાં આવેલ અદ્વૈતા ગુરુકુળ સંસ્‍થાને દસ વર્ષ પૂર્ણ થતાં દશાબ્‍દિ મહોત્‍સવ નિમિત્તે સાંસ્‍કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ગુરૂકાળના બાળકોએ આનંદ અને ઉત્‍સાહથી ભાગ લીધો હતો અને પોતાના કલા-કૌશલ્‍યના દર્શન કરાવ્‍યા હતા.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાનહના સીલી ગામ ખાતે અદ્વૈતા ગુરૂકુળ આવેલ છે જેના 10 પૂર્ણ થવાના અવસરે દશાબ્‍દિ મહોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેના અંતર્ગત સાંસ્‍કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ સાંસ્‍કૃતિક કાર્યક્રમમાં ગુરૂકુળના વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. જેમાં સુંદર દેખાવ કરનાર વિદ્યાર્થીઓના ગ્રુપને ઈનામ અને પ્રમાણપત્ર આપીને સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. સાથે શાળામાં વિવિધ પરીક્ષાઓમાં પ્રથમ ક્રમે પાસ થનાર વિદ્યાર્થીઓને પણ પ્રમાણપત્ર અને ઇનામ આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.
આ પ્રસંગે ગુરૂકુળના આચાર્ય ડો. રાજેશ્વરી નાયરે દસ વર્ષ દરમ્‍યાન ગુરૂકુળ સંસ્‍થાની કામગીરી વિષે ઉપસ્‍થિત તમામને માહિતી આપી હતી. શાળાના ડાયરેક્‍ટર શ્રસ આર.કે.નાયરે જણાવ્‍યું હતું કે, ગુરૂકુળ અને બાળકોનું બીજું ઘર છે,જ્‍યાં બાળકોમાં સંસ્‍કારનું સિંચન થાય છે.
આ અવસરે શાળાના સંચાલકો સહિત શિક્ષકો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્‍યામાં વાલીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

આજે વલસાડ જિલ્લામાં માલધારી સમાજ દૂધ વિતરણ કરશે નહી : રાજ્‍ય સ્‍તરે 21 સપ્‍ટેમ્‍બરે દૂધ નહિ વેચવાનો નિર્ણય લેવાયો છે

vartmanpravah

સેલવાસની ગુમ થયેલી દમણ નર્સિંગ કોલેજની પ્રિન્‍સીપાલ કનીમોઝી અર્મૂગમની હત્‍યા : કોલેજના એકાઉન્‍ટન્‍ટ સાવન પટેલની ધરપકડ

vartmanpravah

જિલ્લા પ્રભારી મંત્રીએ વરસાદથી અસરગ્રસ્‍તોની મુલાકાત લીધી

vartmanpravah

દાનહના મસાટ ગામના યુવાનનું હૃદયરોગના હૂમલાથી મોત

vartmanpravah

કપરાડાના લીખવડ ગામે રાત્રે ઘરમાં સુતેલી મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરાતા ચકચાર

vartmanpravah

સંઘપ્રદેશ વન વિભાગ દ્વારા ‘69મા વન્‍યજીવ સપ્તાહ’ની થઈ રહેલી ઉજવણી દમણમાં નમો પથ ઉપર શાળાના વિદ્યાર્થીઓની યોજાયેલી રેલીઃ દેવકા ઈકો પાર્ક ખાતે વન ભોજનના કાર્યક્રમનું પણ કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment