March 2, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહના સીલી ગામના અદ્વૈતા ગુરુકુળમાં દશાબ્‍દિ મહોત્‍સવ નિમિત્તે સાંસ્‍કૃતિક કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29 : દાદરા નગર હવેલીના સીલી ગામમાં આવેલ અદ્વૈતા ગુરુકુળ સંસ્‍થાને દસ વર્ષ પૂર્ણ થતાં દશાબ્‍દિ મહોત્‍સવ નિમિત્તે સાંસ્‍કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ગુરૂકાળના બાળકોએ આનંદ અને ઉત્‍સાહથી ભાગ લીધો હતો અને પોતાના કલા-કૌશલ્‍યના દર્શન કરાવ્‍યા હતા.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાનહના સીલી ગામ ખાતે અદ્વૈતા ગુરૂકુળ આવેલ છે જેના 10 પૂર્ણ થવાના અવસરે દશાબ્‍દિ મહોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેના અંતર્ગત સાંસ્‍કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ સાંસ્‍કૃતિક કાર્યક્રમમાં ગુરૂકુળના વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. જેમાં સુંદર દેખાવ કરનાર વિદ્યાર્થીઓના ગ્રુપને ઈનામ અને પ્રમાણપત્ર આપીને સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. સાથે શાળામાં વિવિધ પરીક્ષાઓમાં પ્રથમ ક્રમે પાસ થનાર વિદ્યાર્થીઓને પણ પ્રમાણપત્ર અને ઇનામ આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.
આ પ્રસંગે ગુરૂકુળના આચાર્ય ડો. રાજેશ્વરી નાયરે દસ વર્ષ દરમ્‍યાન ગુરૂકુળ સંસ્‍થાની કામગીરી વિષે ઉપસ્‍થિત તમામને માહિતી આપી હતી. શાળાના ડાયરેક્‍ટર શ્રસ આર.કે.નાયરે જણાવ્‍યું હતું કે, ગુરૂકુળ અને બાળકોનું બીજું ઘર છે,જ્‍યાં બાળકોમાં સંસ્‍કારનું સિંચન થાય છે.
આ અવસરે શાળાના સંચાલકો સહિત શિક્ષકો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્‍યામાં વાલીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

કેન્‍દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા અને હરદીપસિંહ પૂરી સમક્ષ દમણ-દીવમાં ફિશરીઝ સોસાયટી દ્વારા સંચાલિત ડિઝલ પંપોને જથ્‍થાબંધ ગ્રાહકની શ્રેણીમાંથી બાકાત કરવા પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશભાઈ ટંડેલની રજૂઆત

vartmanpravah

વાપી તાલુકા કક્ષાનો યુવા ઉત્‍સવ શ્રી સ્‍વામિનારાયણ સ્‍કૂલ સલવાવ ખાતે યોજાયો

vartmanpravah

વાપી દમણગંગા કિનારે બિહાર એસોસિએશન દ્વારા આસ્‍થા સાથે ધૂમધામથી દ્વિતીય ચૈત્રી છઠ્ઠની ઉજવણી કરાઈ

vartmanpravah

વલસાડના મોગરાવાડીમાં કુબેર સમૃધ્ધિનો વિસ્તાર કલસ્ટર કન્ટાઈનમેન્ટ ઝોન તરીકે જાહેર

vartmanpravah

રેટલાવ ગામેથી સાતજેટલા જુગારિયા ઝડપ્‍યા

vartmanpravah

વાપીમાં એકમાત્ર સાર્વજનિક નવરાત્રી ઉત્‍સવ એટલે અંબામાતા મંદિરનો : રોજ રાત્રે માનવ મહેરામણ ઉમટી પડે છે

vartmanpravah

Leave a Comment