October 15, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ જિલ્લા પ્રશાસન દ્વારા ચોમાસાની તૈયારી સંદર્ભે કંટ્રોલરૂમ શરૂ કરાયો : આગામી ત્રણ દિવસ દરમિયાન આવનાર વાવાઝોડાં અને વરસાદ અંગેની પણ જાણકારી અપાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.09 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી જિલ્લા પ્રશાસન દ્વારા ડિસ્‍ટ્રીકટ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ દ્વારા લોકોની સુરક્ષા હેતુ 01લી જૂનથી આપદા પ્રબંધન પ્રાધિકરણ, કલેક્‍ટર ઓફિસ સેલવાસ ખાતે કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્‍યો છે અને જેની સેવા 15મી ઓક્‍ટોબર, 2023 સુધી અવિરત ચોવીસ કલાક ચાલુ રહેશે.
પ્રાપ્ત માહિતી મુજબ મોન્‍સૂન દરમ્‍યાન ભારેવરસાદને કારણે ઉભી થતી કોઈપણ આપાત સ્‍થિતિ અને અપ્રત્‍યાશિત સ્‍થિતિને પહોંચી વળવા માટે વિવિધ વિભાગો સાથે આ નિયંત્રણ કક્ષ દ્વારા સમન્‍વય કરાશે. રોજીંદા વરસાદની નોંધણી, દાનહના ઉપરવાસમાં મધુબન ડેમ અને અથાલ પુલના જળસ્‍તર તથા તેના નિર્વહન અંગે જાણકારી મેળવવા માટે અથવા આપાતકાલીન સ્‍થિતિ/સંકટ સમયે કોઈપણ સહાયતા માટે નાગરિક હેલ્‍પલાઇન નંબર 1077, 0260-2412500 / 2630304, ફેક્‍સ નંબર 0260-264113 પર સંપર્ક કરી શકે છે. સાથે દાનહના નાગરિકો માટે વોટ્‍સએપ નંબર 08780001077 પણ સક્રિય કરવામાં આવ્‍યો છે. જ્‍યાં લોકો કોઈપણ આપાતકાલીન સ્‍થિતિમાં સંવાદ અને સંપર્ક કરી શકશે. ઉપરાંત આપદા પ્રબંધન પ્રાધિકરણ, દાનહના અધિકારીક ટવીટર હેન્‍ડલ @DNH_DMA પર પણ મોન્‍સૂન સંબંધિત જાણકારી ઉપલબ્‍ધ કરાવવામાં આવશે.
હાલમાં ત્રણ દિવસ વાવાઝોડાની આગાહી સંદર્ભે પણ આગામી 24 કલાકમાં દાદરા નગર હવેલી અને દમણ અને દીવમાં છુટાછવાયા વરસાદ સાથે વીજળી પડવાની સંભાવના છે જેથી પ્રદેશના લોકોને સુરક્ષિત રહેવા અને ઝાડ નીચે આશરો નહીં લેવા પ્રશાસન દ્વારા તાકીદ કરાઈ છે.

Related posts

અતુલ હાઈવે ઉપર સુરત મહાનગર પાલિકાના કર્મચારી સહિત કારમાં દારૂનો જથ્‍થો લઈ જતા બે ઝડપાયા

vartmanpravah

ધો.૧૦ બોર્ડના જાહેર થયેલ પરિણામમાં રોણવેલની આશા ગાંધી વિદ્યાલયની વિદ્યાર્થીની એ-1માં ઝળકી

vartmanpravah

ધરમપુર તા.ના યુવા મોરચા પ્રમુખ નિખિલ ભંડારી સામે શિક્ષાત્‍મક કાર્યવાહીકરવાની ધારાસભ્‍યને લેખિત ફરીયાદ કરાઈ

vartmanpravah

કચીગામ ગ્રામ પંચાયતની ગ્રામસભામાં સરપંચ ભરતભાઈ પટેલે સમસ્‍યાના ઉકેલની સાથે પંચાયતના વિકાસનું જાહેર કરેલું વિઝન

vartmanpravah

સેલવાસ-નરોલી રોડ પર એક વ્‍યક્‍તિને કારે ટક્કર મારતા સારવાર દરમ્‍યાન મોત

vartmanpravah

21મી મેના રવિવારે ખાનવેલના ચૌડા ગ્રાઉન્‍ડ ખાતે દાનહ આદિવાસી કલા ઉત્‍સવ સમિતિ દ્વારા પ્રદેશની આદિવાસી પરંપરા અને સંસ્‍કૃતિને નવું જોમ આપવા ‘તારપા મહોત્‍સવ’ યોજાશે

vartmanpravah

Leave a Comment