(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.14
સમગ્ર ગુજરાતમાં વકીલ મંડળોની રચના તા.14-12-2021ના રોજ થઈ રહી છે ત્યારે પારડી બાર એસોસિએશન દ્વારા પણ આજરોજ વકીલ મંડળોની રચના કરવામાં આવી છે.
પારડી બાર એસોસિએશનની વર્ષોની પરંપરા અને એકતા છે કે પારડીમાં ઈલેકશન નહી પરંતુ વર્ષોથી સર્વ સંમતિથી સિલેકશનથી બિનહરીફ વકિલ મંડળોની રચના થતી આવી છે. વર્ષોની પરંપરાને અનુસરી આજરોજ પણ બે વર્ષ માટેની વકીલ મંડળોની જાહેરાત ચૂંટણી કમિશનર અને એડવોકેટ એવા શ્રી કિર્તીભાઈ આર. રાજપૂતે કરી હતી. જેમાં પ્રમુખ તરીકે શ્રી ભરતભાઈ મોહનભાઈપટેલ, ઉપપ્રમુખ શ્રી હિતેશભાઈ મોહનભાઈ પટેલ, સેક્રેટરી શ્રી હિતેશભાઈ રમેશભાઈ પટેલ, જોઈન્ટ સેક્રેટરી શ્રી અશ્વીનભાઈ રમણભાઈ દેસાઈ, ખજાનચી શ્રી માંગીલાલ રાજપુરોહિત, લાઈબ્રેરીયન શ્રી રોનકભાઈ એમ. રાણા તથા ઈ. લાઈબ્રેરીયન તરીકે શ્રી જીનેશભાઈ અનીલભાઈ મપારાની વરણી કરવામાં આવી હતી.
મોટી સંખ્યામાં ઉપસ્થિત તમામ વકિલ મિત્રોએ તમામ ચૂંટાયેલા હોદ્દેદારોને અભિનંદન આપ્યા હતા. નવા નિમાયેલા વકીલ મંડળના પ્રમુખ શ્રી ભરતભાઈ મોહનભાઈ પટેલને વલસાડ જિલ્લા નોટરી એસોસિએશનના પણ પ્રમુખ બનાવવામાં આવ્યા છે. તેઓએ આ પ્રસંગે સૌનો આભાર માની કોર્ટની પવિત્રતા જાળવી રાખવાની સાથે પારડીના કોર્ટનું નવુ બિલ્ડીંગ જલ્દીથી બને તેની પ્રાથમિકતા આપવાનું જણાવ્યું હતું.
Previous post