Vartman Pravah
Breaking Newsપારડી

પારડી બાર એસોસિએશન દ્વારા વકીલ મંડળોની રચના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.14
સમગ્ર ગુજરાતમાં વકીલ મંડળોની રચના તા.14-12-2021ના રોજ થઈ રહી છે ત્‍યારે પારડી બાર એસોસિએશન દ્વારા પણ આજરોજ વકીલ મંડળોની રચના કરવામાં આવી છે.
પારડી બાર એસોસિએશનની વર્ષોની પરંપરા અને એકતા છે કે પારડીમાં ઈલેકશન નહી પરંતુ વર્ષોથી સર્વ સંમતિથી સિલેકશનથી બિનહરીફ વકિલ મંડળોની રચના થતી આવી છે. વર્ષોની પરંપરાને અનુસરી આજરોજ પણ બે વર્ષ માટેની વકીલ મંડળોની જાહેરાત ચૂંટણી કમિશનર અને એડવોકેટ એવા શ્રી કિર્તીભાઈ આર. રાજપૂતે કરી હતી. જેમાં પ્રમુખ તરીકે શ્રી ભરતભાઈ મોહનભાઈપટેલ, ઉપપ્રમુખ શ્રી હિતેશભાઈ મોહનભાઈ પટેલ, સેક્રેટરી શ્રી હિતેશભાઈ રમેશભાઈ પટેલ, જોઈન્‍ટ સેક્રેટરી શ્રી અશ્વીનભાઈ રમણભાઈ દેસાઈ, ખજાનચી શ્રી માંગીલાલ રાજપુરોહિત, લાઈબ્રેરીયન શ્રી રોનકભાઈ એમ. રાણા તથા ઈ. લાઈબ્રેરીયન તરીકે શ્રી જીનેશભાઈ અનીલભાઈ મપારાની વરણી કરવામાં આવી હતી.
મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત તમામ વકિલ મિત્રોએ તમામ ચૂંટાયેલા હોદ્દેદારોને અભિનંદન આપ્‍યા હતા. નવા નિમાયેલા વકીલ મંડળના પ્રમુખ શ્રી ભરતભાઈ મોહનભાઈ પટેલને વલસાડ જિલ્લા નોટરી એસોસિએશનના પણ પ્રમુખ બનાવવામાં આવ્‍યા છે. તેઓએ આ પ્રસંગે સૌનો આભાર માની કોર્ટની પવિત્રતા જાળવી રાખવાની સાથે પારડીના કોર્ટનું નવુ બિલ્‍ડીંગ જલ્‍દીથી બને તેની પ્રાથમિકતા આપવાનું જણાવ્‍યું હતું.

Related posts

જિલ્લા મહિલા સશક્‍તિકરણ કેન્‍દ્ર, દાનહ દ્વારા સેલવાસના કલા કેન્‍દ્ર ખાતે ‘‘આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ”ની કરાયેલી ઉજવણી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પોતાના અતિ વ્‍યસ્‍ત કાર્યક્રમ વચ્‍ચે દીવની મુલાકાત લઈ તૈયારીનું કરેલું નિરીક્ષણ: અધિકારીઓને આપેલા જરૂરી દિશાનિર્દેશ અને માર્ગદર્શન

vartmanpravah

દાનહઃ મસાટની એમ.બી. કંપનીમાં કામ કરતી પરિણીતાને સુપરવાઈઝર ભગાડી ગયો

vartmanpravah

આજે વલસાડ જિલ્લામાં માલધારી સમાજ દૂધ વિતરણ કરશે નહી : રાજ્‍ય સ્‍તરે 21 સપ્‍ટેમ્‍બરે દૂધ નહિ વેચવાનો નિર્ણય લેવાયો છે

vartmanpravah

વલસાડમાં રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના અધ્‍યક્ષસ્‍થાને મહાત્‍મા ગાંધીજીની 155મી જન્‍મ જયંતિએ સ્‍વચ્‍છતા હી સેવા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વરસાદના વિરામ બાદ વલસાડ જિલ્લામાં રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્‍ય તંત્રની 581 ટીમો કાર્યરત

vartmanpravah

Leave a Comment