April 17, 2026
Vartman Pravah
Breaking Newsપારડી

પારડી બાર એસોસિએશન દ્વારા વકીલ મંડળોની રચના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.14
સમગ્ર ગુજરાતમાં વકીલ મંડળોની રચના તા.14-12-2021ના રોજ થઈ રહી છે ત્‍યારે પારડી બાર એસોસિએશન દ્વારા પણ આજરોજ વકીલ મંડળોની રચના કરવામાં આવી છે.
પારડી બાર એસોસિએશનની વર્ષોની પરંપરા અને એકતા છે કે પારડીમાં ઈલેકશન નહી પરંતુ વર્ષોથી સર્વ સંમતિથી સિલેકશનથી બિનહરીફ વકિલ મંડળોની રચના થતી આવી છે. વર્ષોની પરંપરાને અનુસરી આજરોજ પણ બે વર્ષ માટેની વકીલ મંડળોની જાહેરાત ચૂંટણી કમિશનર અને એડવોકેટ એવા શ્રી કિર્તીભાઈ આર. રાજપૂતે કરી હતી. જેમાં પ્રમુખ તરીકે શ્રી ભરતભાઈ મોહનભાઈપટેલ, ઉપપ્રમુખ શ્રી હિતેશભાઈ મોહનભાઈ પટેલ, સેક્રેટરી શ્રી હિતેશભાઈ રમેશભાઈ પટેલ, જોઈન્‍ટ સેક્રેટરી શ્રી અશ્વીનભાઈ રમણભાઈ દેસાઈ, ખજાનચી શ્રી માંગીલાલ રાજપુરોહિત, લાઈબ્રેરીયન શ્રી રોનકભાઈ એમ. રાણા તથા ઈ. લાઈબ્રેરીયન તરીકે શ્રી જીનેશભાઈ અનીલભાઈ મપારાની વરણી કરવામાં આવી હતી.
મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત તમામ વકિલ મિત્રોએ તમામ ચૂંટાયેલા હોદ્દેદારોને અભિનંદન આપ્‍યા હતા. નવા નિમાયેલા વકીલ મંડળના પ્રમુખ શ્રી ભરતભાઈ મોહનભાઈ પટેલને વલસાડ જિલ્લા નોટરી એસોસિએશનના પણ પ્રમુખ બનાવવામાં આવ્‍યા છે. તેઓએ આ પ્રસંગે સૌનો આભાર માની કોર્ટની પવિત્રતા જાળવી રાખવાની સાથે પારડીના કોર્ટનું નવુ બિલ્‍ડીંગ જલ્‍દીથી બને તેની પ્રાથમિકતા આપવાનું જણાવ્‍યું હતું.

Related posts

વાપી ચલા સ્‍વામિનારાયણ ગુરુકુળની વિદ્યાર્થીની સ્‍તુતિ શર્મા સ્‍ટેટ ફૂટબોલ ટીમ માટે પસંદગી

vartmanpravah

મન કી બાત (૮૮મી કડી), પ્રસારણ તિથિ: ૨૪.૦૪.૨૦૨૨

vartmanpravah

નવસારી જિલ્લામાં કુલ 10,78,260 મતદારો

vartmanpravah

દાનહની નરોલી ગ્રા.પં.ના સરપંચ પદે લીનાબેન પટેલ બિનહરિફ વિજેતાઃ માત્ર ઔપચારિક જાહેરાત બાકી 

vartmanpravah

વાપીથી દમણગંગા નદીમાં છોડાતા પ્રદૂષણને બંધ કરવા દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલની લોકસભામાં રજૂઆત

vartmanpravah

દાનહ પોલીસે ત્રણ ડ્રગ્‍સ તસ્‍કરોની કરી ધરપકડ

vartmanpravah

Leave a Comment